શોધખોળ કરો
તુલસીના પાન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, જાણો દરરોજ સેવન કરવાથી શું થાય
તુલસીના પાન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, જાણો દરરોજ સેવન કરવાથી શું થાય
પ્રતિકાત્મક તસવીર
1/6

હિન્દૂ ધર્મમાં તુલસીનું ખાસ મહત્વ છે. તુલસીમાં અનેક ઔષધીય ગુણો હોય છે. તુલસી અનેક બીમારીનો ઈલાજ છે. તુલસીના પાન દરરોજ સવારે ખાલી પેટે ખાવાથી વાઇરસ ઇન્ફેક્શનથી બચી શકાય છે.
2/6

દરરોજ સવારે તુલસીના 4થી 5 પાન ચાવીને ખાવા જોઈએ. જો તમે ચાવીને ન ખાઈ શકો તો, દૂધ, પાણી અને ચામાં ઉકાળીને તુલસીના પાન ખાઈ શકો છો.
3/6

તુલસીના પાન હાર્ટના દર્દીઓ માટે ખાસ ફાયદાકારક છે. આ સિવાય તુલસીના પાનનું સેવન કરવાથી પાચનક્રિયા પણ સારી રહે છે. જો કોઈને પેટ સંબંધિત સમસ્યા હોય તો દરરોજ તુલસીના પાનનું સેવન કરે તો ફાયદો થશે.
4/6

ઋતુ બદલાતા શરદી, ઉધરસ જેવી બીમારીઓ સામાન્ય બની જાય છે. તુલસીના પાન શરદી અને ઉધરસમાં ખૂબ જ મદદરુપ થાય છે. તુલસીને એન્ટિવાયરલ, એન્ટિબેક્ટેરિયલ ગુણ ધરાવતા માનવામાં આવે છે.
5/6

તુલસીમાં ઘણા પ્રકારના વિટામિન્સની સાથે સાથે પોટેશિયમ, મેંગેનીઝ, મેગ્નેશિયમ, કોપર અને આયર્ન ભરપૂર પ્રમાણમાં હોય છે. ફેફસાની કોઈપણ બીમારીમાં પણ તુલસીના પાન ખાવા ખૂબ જ ફાયદાકારક છે.
6/6

જો તમે લાંબા સમય સુધી તુલસીના પાનનું સેવન કરો છો તો તમારા શરીરમાં અનેક પ્રકારના ફાયદા જોવા મળશે.
Published at : 29 Jan 2025 08:58 PM (IST)
આગળ જુઓ





















