શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Monsoon Diseases: ચોમાસામાં આ બીમારીઓ બની શકે જીવલેણ, આ રીતે કરો બચાવ
Monsoon Diseases: ચોમાસામાં આ બીમારીઓ બની શકે જીવલેણ, આ રીતે કરો બચાવ
![Monsoon Diseases: ચોમાસામાં આ બીમારીઓ બની શકે જીવલેણ, આ રીતે કરો બચાવ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/02/9077d919ab8a9c77454ef3f05556bb5b171991346260478_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીર સોશિયલ મીડિયા
1/7
![Monsoon Diseases : હાલ વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ગરમીથી રાહત મળી છે. દેશના અનેક ભાગોમાં ચોમાસાના આગમનથી વાતાવરણ ખુશનુમા બની ગયું છે. જો કે આ વરસાદ રાહતની સાથે સાથે અનેક બીમારીઓ પણ લઈને આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/02/5272a3176a735b902eea28de2abae05316e7f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Monsoon Diseases : હાલ વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ગરમીથી રાહત મળી છે. દેશના અનેક ભાગોમાં ચોમાસાના આગમનથી વાતાવરણ ખુશનુમા બની ગયું છે. જો કે આ વરસાદ રાહતની સાથે સાથે અનેક બીમારીઓ પણ લઈને આવે છે.
2/7
![આ ઋતુમાં અનેક ખતરનાક બીમારીઓનો ખતરો વધી જાય છે. કેટલીક બીમારીઓ એવી હોય છે જેની સમયસર સારવાર ન કરવામાં આવે તો મૃત્યુ પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે આ રોગોના લક્ષણોને કેવી રીતે ઓળખી શકાય અને તેનાથી બચવાના ઉપાયો શું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/02/bc74131f38d648632f52e09f3eb5f41240131.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ઋતુમાં અનેક ખતરનાક બીમારીઓનો ખતરો વધી જાય છે. કેટલીક બીમારીઓ એવી હોય છે જેની સમયસર સારવાર ન કરવામાં આવે તો મૃત્યુ પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે આ રોગોના લક્ષણોને કેવી રીતે ઓળખી શકાય અને તેનાથી બચવાના ઉપાયો શું છે.
3/7
![આરોગ્ય નિષ્ણાતોના મતે વરસાદની ઋતુમાં વાતાવરણ ભેજવાળુ બની જાય છે. તેના કારણે બેક્ટેરિયા અને વાયરસને વધવા માટે અનુકૂળ હવામાન મળે છે, જે ઘણી બીમારીઓનું કારણ બને છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/02/727e1e8928fc33b2f92662d8b7b69bd237233.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આરોગ્ય નિષ્ણાતોના મતે વરસાદની ઋતુમાં વાતાવરણ ભેજવાળુ બની જાય છે. તેના કારણે બેક્ટેરિયા અને વાયરસને વધવા માટે અનુકૂળ હવામાન મળે છે, જે ઘણી બીમારીઓનું કારણ બને છે.
4/7
![આ સિઝનમાં વાઈરલ અને બેક્ટેરિયલ ઈન્ફેક્શનનું જોખમ વધારે હોય છે, જેમાં બાળકો અને વૃદ્ધો સૌથી વધુ સંવેદનશીલ હોય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/02/fae147f9a3efd3de4c3caa493ef574d227589.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ સિઝનમાં વાઈરલ અને બેક્ટેરિયલ ઈન્ફેક્શનનું જોખમ વધારે હોય છે, જેમાં બાળકો અને વૃદ્ધો સૌથી વધુ સંવેદનશીલ હોય છે.
5/7
![તબીબોના જણાવ્યા અનુસાર ઝાડા, ટાઈફોઈડ, વાયરલ ફીવર, ડેન્ગ્યુ અને મેલેરિયાનું જોખમ સૌથી વધુ હોય છે અને વરસાદની મોસમમાં તે ઝડપથી ફેલાય છે. ટાઈફોઈડ અને ઝાડા ખરાબ ખાવા-પીવાના કારણે થાય છે. ઉલ્ટી અને ઝાડા થવાની સમસ્યા પણ રહે છે. કેટલાક બેક્ટેરિયા વાયરલ તાવનું કારણ પણ બને છે. આ સિઝનમાં ફ્લૂનું જોખમ પણ વધારે હોય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/02/247d961fb98af88f525cf4c92c38c5f778e8a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તબીબોના જણાવ્યા અનુસાર ઝાડા, ટાઈફોઈડ, વાયરલ ફીવર, ડેન્ગ્યુ અને મેલેરિયાનું જોખમ સૌથી વધુ હોય છે અને વરસાદની મોસમમાં તે ઝડપથી ફેલાય છે. ટાઈફોઈડ અને ઝાડા ખરાબ ખાવા-પીવાના કારણે થાય છે. ઉલ્ટી અને ઝાડા થવાની સમસ્યા પણ રહે છે. કેટલાક બેક્ટેરિયા વાયરલ તાવનું કારણ પણ બને છે. આ સિઝનમાં ફ્લૂનું જોખમ પણ વધારે હોય છે.
6/7
![વરસાદની ઋતુમાં ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગોને કારણે સૌથી મોટો ખતરો છે. બંને મચ્છર કરડવાથી ફેલાય છે. આ સિઝનમાં પાણી એકઠું થઈ જાય છે, જેમાં મચ્છરોની ઉત્પત્તિ થાય છે. તેના કરડવાથી ડેન્ગ્યુ અને મેલેરિયા વધે છે. જો સમયસર સારવાર ન કરવામાં આવે તો તે જીવલેણ પણ બની શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/02/a9f669517a1ea14e885aba5b321bb7363d37e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વરસાદની ઋતુમાં ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગોને કારણે સૌથી મોટો ખતરો છે. બંને મચ્છર કરડવાથી ફેલાય છે. આ સિઝનમાં પાણી એકઠું થઈ જાય છે, જેમાં મચ્છરોની ઉત્પત્તિ થાય છે. તેના કરડવાથી ડેન્ગ્યુ અને મેલેરિયા વધે છે. જો સમયસર સારવાર ન કરવામાં આવે તો તે જીવલેણ પણ બની શકે છે.
7/7
![મચ્છરોને ઘરની આસપાસ કે છત પર પાણી જમા ન થવા દો. તમારા આહારનું ખાસ ધ્યાન રાખો, બહારનો ખોરાક ટાળો. માત્ર સ્વચ્છ અને ઉકાળેલું પાણી પીવો. સ્વચ્છતા પ્રત્યે બેદરકાર ન રહો. સમયાંતરે હાથ ધોવાનું રાખો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/02/9cfd6da4e46f846962b65f6989a0d1c1b5324.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મચ્છરોને ઘરની આસપાસ કે છત પર પાણી જમા ન થવા દો. તમારા આહારનું ખાસ ધ્યાન રાખો, બહારનો ખોરાક ટાળો. માત્ર સ્વચ્છ અને ઉકાળેલું પાણી પીવો. સ્વચ્છતા પ્રત્યે બેદરકાર ન રહો. સમયાંતરે હાથ ધોવાનું રાખો.
Published at : 02 Jul 2024 03:16 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
સમાચાર
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)