શોધખોળ કરો
8મું પગાર પંચ: પેન્શનરો માટે ખુશખબર? 15ને બદલે 12 વર્ષે મળશે કમ્યુટેડ પેન્શન! જાણો શું છે પ્રસ્તાવ
8th Pay Commission: હાલમાં ૧૫ વર્ષનો નિયમ, કર્મચારી સંગઠનો ૧૨ વર્ષની માંગ કરી રહ્યા છે, લાખો પેન્શનરોને થશે લાભ.
Commuted pension: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે કમ્યુટેડ પેન્શન પુનઃસ્થાપિત કરવાની લાંબા સમયથી ચાલી રહેલી માંગ ફરી એકવાર ચર્ચામાં છે. હાલના નિયમો અનુસાર, આ પેન્શન ૧૫ વર્ષ પછી પુનઃસ્થાપિત કરવામાં આવે છે, પરંતુ કર્મચારી સંગઠનો આ સમયગાળો ઘટાડીને ૧૨ વર્ષ કરવાની માંગ કરી રહ્યા છે. ૮મા પગાર પંચની જાહેરાત બાદ કર્મચારીઓને આશા છે કે સરકાર આ વખતે તેમની માંગણી પર વિચાર કરી શકે છે.
1/5

જ્યારે કોઈ સરકારી કર્મચારી નિવૃત્ત થાય છે, ત્યારે તેને તેના માસિક પેન્શનનો એક ભાગ એક સામટી રકમમાં લેવાનો વિકલ્પ મળે છે, જેને કમ્યુટેડ પેન્શન કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારી તેના પેન્શનનો ત્રીજો ભાગ કમ્યુટ કરે છે, તો તેને તે રકમ એક સાથે મળી જાય છે, પરંતુ આગામી ૧૫ વર્ષ સુધી તેને તેના પેન્શનનો અમુક ભાગ કપાઈને મળે છે.
2/5

હાલના નિયમો પ્રમાણે, સરકાર નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં ૧૫ વર્ષ સુધી ઘટાડો કરે છે. કર્મચારી સંગઠનોની માંગ છે કે આ સમયગાળો ઘટાડીને ૧૨ વર્ષ કરવામાં આવે, જેથી નિવૃત્ત કર્મચારીઓને જલ્દીથી તેમનું સંપૂર્ણ પેન્શન મળી શકે. તેમનું કહેવું છે કે વધતી મોંઘવારી અને ખર્ચને જોતાં ૧૫ વર્ષનો સમય યોગ્ય નથી. કર્મચારીઓ તેમની નોકરી દરમિયાન ટેક્સ અને અન્ય કપાત તો ચૂકવે જ છે. જો સરકાર આ માંગણી સ્વીકારે તો લાખો નિવૃત્ત કર્મચારીઓને મોટી રાહત મળશે.
Published at : 14 Apr 2025 08:59 PM (IST)
આગળ જુઓ





















