શોધખોળ કરો
નાની બચત યોજનાઓ PPF, KVP, SSYના વ્યાજ દરને લઈને સરકારનો મહત્વનો નિર્ણય
સુકન્યા સમૃદ્ધિ યોજના પર ૮.૨ ટકા અને પીપીએફ પર ૭.૧ ટકા વ્યાજ યથાવત, ૩૦ જૂન સુધી આ દર લાગુ.
કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના પ્રથમ ત્રિમાસિક ગાળા (એપ્રિલ-જૂન) માટે નાની બચત યોજનાઓના વ્યાજ દરો અંગે પોતાનો નિર્ણય જાહેર કર્યો છે.
1/5

સરકારે PPF, KVP, SSY સહિતની તમામ નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. આ સતત પાંચમું ક્વાર્ટર છે જ્યારે સરકારે આ યોજનાઓના વ્યાજ દરોને સ્થિર રાખ્યા છે.
2/5

નાણા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્ર અનુસાર, ૧ એપ્રિલ, ૨૦૨૫થી શરૂ થઈને ૩૦ જૂન, ૨૦૨૫ના રોજ સમાપ્ત થતા ક્વાર્ટર માટે વિવિધ નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરો નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર જેટલા જ રહેશે.
Published at : 28 Mar 2025 07:21 PM (IST)
આગળ જુઓ




















