શોધખોળ કરો
PM Modi: પોતાના જન્મ દિવસના અવસરે પીએમ મોદીએ કારીગરો સાથે કરી ખાસ મુલાકાત
PM Modi Photo: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમનો 73મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમના જન્મદિવસના ખાસ અવસર પર તેઓ ઘણા કારીગરોને મળ્યા હતા.

( Image Source : ANI )
1/8

PM Modi Photo: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમનો 73મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમના જન્મદિવસના ખાસ અવસર પર તેઓ ઘણા કારીગરોને મળ્યા હતા.
2/8

પીએમ મોદીએ આજે પીએમ વિશ્વકર્મા યોજના લોન્ચ કરી છે.
3/8

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વારકામાં ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર ખાતે વિશ્વકર્મા ભાગીદારો સાથે વાર્તાલાપ કર્યો હતો.
4/8

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 'PM વિશ્વકર્મા' યોજનાના લોન્ચિંગ પહેલા દ્વારકામાં ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન અને એક્સ્પો સેન્ટર ખાતે વિશ્વકર્મા ભાગીદારો સાથે વિગતો મેળવી હતી.
5/8

સુથાર, લુહાર, સોનાર, રમકડાં બનાવનાર, વણનાર, ચણતરકામ કરનાર, હોડી બનાવનાર, કુંભાર, હથોડી બનાવનાર, શિલ્પકાર, ચર્મકાર, રામી, બખ્તર બનાવનાર, તાળાં બનાવનાર, વાળંદ, માછલી પકડનાર, ધોબી, દરજી જેવા કુલ 18 પ્રકારના વ્યવસાયકારો આ યોજનાનો લાભ મળશે.
6/8

પીએમ વિશ્વકર્મા યોજનાથી જુદા જુદા 18 જેટલા કુશળ કારીગરોની હસ્તકલાને પ્રાધાન્ય આપી પ્રોત્સાહન આપી શકાશે.
7/8

આ ઉપરાંત રાહત દરે લોન અને આધુનિક તાલીમ પણ અપાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, પીએમ વિશ્વકર્મા યોજના દ્વારા 18 વર્ષ કે તેથી વધુ વયના વિવિધ 18 જેટલા વ્યવસાયો સાથે સંકળાયેલા કુશળ કારીગરોને પ્રથમ તબક્કામાં રૂ. 1 લાખ સુધીની લોન રાહત દરે 18 મહિનાના સમયગાળા પર આપવામાં આવશે. ત્યારબાદ બીજા તબક્કાની રૂ. 2 લાખ સુધીની લોન રાહત દરે 30 મહિનાના સમયગાળા પર આપવામાં આવશે.
8/8

વધુમાં, આ યોજનાના લાભાર્થીઓને પીએમ વિશ્વકર્મા પ્રમાણપત્ર અને ઓળખકાર્ડ પણ આપવામાં આવશે. કારીગરોને મૂળભૂત તથા આધુનિક સ્તરની તાલીમ અને સ્ટાઈપેન્ડ આપવામાં આવશે અને તાલીમના સમયગાળા દરમિયાન ટૂલકિટ સ્વરૂપે રૂ.15,000 સુધીની આર્થિક સહાય પણ આપવામાં આવશે.
Published at : 17 Sep 2023 04:56 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
આરોગ્ય
ગુજરાત
અમદાવાદ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
