શોધખોળ કરો
પૃથ્વી પરથી ઓક્સિજન થશે ખતમ: વૈજ્ઞાનિકોનો ચોંકાવનારો દાવો, નાસાએ જણાવ્યું જીવનનો અંત ક્યારે થશે?
પૃથ્વી પર જીવનનો આધાર ઓક્સિજન છે, જેના વગર કોઈપણ જીવનું અસ્તિત્વ અશક્ય છે. પરંતુ તાજેતરમાં થયેલા એક વૈજ્ઞાનિક સંશોધને આ ઓક્સિજનના ભવિષ્ય પર એક મોટો પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યો છે.
નાસા અને જાપાનની તોહો યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કરેલા એક નવા સંશોધને પૃથ્વીના ભવિષ્ય વિશે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. વૈજ્ઞાનિકોના મતે, લગભગ 1 અબજ વર્ષ પછી પૃથ્વી પરનો ઓક્સિજન ભંડાર સંપૂર્ણપણે ખતમ થઈ જશે, જેના કારણે પૃથ્વી પર જીવન અશક્ય બની જશે.
1/7

આ સંશોધન 4 લાખ સિમ્યુલેશનના આધારે કરવામાં આવ્યું છે અને તેમાં જણાવાયું છે કે પૃથ્વીના ઓક્સિજન-સમૃદ્ધ વાતાવરણનો તેના કુલ આયુષ્યનો માત્ર 20 થી 30 ટકા ભાગ જ બાકી છે. આ સ્થિતિ માટે મુખ્યત્વે સૂર્યના તાપમાનમાં થતો વધારો જવાબદાર હશે.
2/7

સૂર્ય ધીમે ધીમે વધુ ગરમ અને તેજસ્વી થવાને કારણે પૃથ્વીનું તાપમાન વધશે, જેનાથી મહાસાગરોનું પાણી બાષ્પીભવન થશે અને ઓક્સિજનના મુખ્ય સ્ત્રોત એવા છોડનો નાશ થશે. આ પ્રક્રિયાને કારણે ઓક્સિજનનું ઉત્પાદન બંધ થઈ જશે. વૈજ્ઞાનિકોનો અંદાજ છે કે આ પરિસ્થિતિમાં મોટાભાગના ઓક્સિજન-આધારિત જીવોનો અંત આવશે અને માત્ર કેટલાક સુક્ષ્મસજીવો જ ટકી શકશે.
Published at : 10 Aug 2025 07:10 PM (IST)
આગળ જુઓ





















