શોધખોળ કરો
24 કલાક માટે પોલીસને હટાવી દો પછી જુઓ આંદોલનમાં કેટલા લોકો આવે છે, જાણો ક્યા પાટીદારે આપ્યું આ નિવેદન
1/5

મોડી સાંજે કોંગ્રેસના 28 ધારાસભ્યો હાર્દિકને મળ્યા હતાં અને ઉપવાસ આંદોલનને ટેકો જાહેર કર્યો હતો જ્યારે બપોરે એકલ-દોકલ કોંગ્રેસના ધારાસભ્યો હાર્દિકને મળ્યા હતાં. કોંગ્રેસે આક્ષેપો કર્યા હતા કે, પોલીસ દ્વારા સમર્થકોને આંદોલનમાં આવતાં રોકવામાં આવી રહ્યા છેય મોડી સાંજે રામધૂનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
2/5

હાર્દિકે દાવો કર્યો હતો કે મધ્યપ્રદેશથી 300 ગાડીમાં લોકો બેસીને ઉપવાસી છાવણીની મુલાકાતે આવી રહ્યા છે. થર્ટ ફ્રન્ટના નેતા શરદ યાદવના પ્રતિનિધિ તરીકે એલજેડીના મુંબઈના ધારાસભ્ય કપિલ પાટિલે હાર્દિકની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું હતું કે, ઉપવાસ પર બેઠેલી વ્યક્તિને ન મળવા દેવાની સ્થિતિ મેં પહેલીવાર જોઈ છે. આમાં પોલીસનો નહીં પર ગુજરાતમાં બેઠેલી કથપૂતળી સરકારનો વાંક છે.
Published at : 28 Aug 2018 09:23 AM (IST)
View More




















