શોધખોળ કરો
હાર્દિકે ભાજપને કેમ આપી ખુલ્લી ધમકીઃ કંઈ વાંધો નહીં, ચૂંટણી આવે જ છે.......
1/4

અમદાવાદ: મંત્રણાં માટે સરકારને આપેલું 24 ક્લાકનું અલ્ટીમેટમ ગુરૂવારે સાંજે 7 વાગ્યે પૂર્ણ થતાં પાસ કન્વીનર હાર્દિક પટેલે જળત્યાગ કર્યાંનું પાસ કોર કમિટીના મનોજ પનારાએ જાહેર કર્યું હતું. 13 દિવસથી ઉપવાસ કરી રહેલા હાર્દિક પટેલની શારરિક સ્થિતિ પહેલાથી જ અશક્ત છે. હાર્દિકની તબિયત લથડી છે જેને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપવામાં આવી છે જોકે હાર્દિક ના પાડી રહ્યો છે.
2/4

આ ઉપરાંત આંદોલનને લઈને હાર્દિક પટેલ સોશિયલ મીડિયામાં ટ્વીટ પણ કરી રહ્યો છે. હાર્દિકે ટ્વીટ કરીને લખ્યું હતું કે, ગોધરાકાંડના ગુંડા ગુજરાતના ભાજપવાળાને હું મરી જઉ તો શું ફરક પડવાનો, તેમણે તો હજારોની હત્યા પછી સત્તા મેળવી છે. 13 દિવસના ઉપવાસ પછી ભાજપવાળાએ ખેડૂતોનો સૌથી મોટા પાટીદાર સમુદાય માટે કંઈ વિચાર્યું નથી શબ્દ ઉચ્ચાર્યો નથી. કંઈ વાંધો નહીં ચૂંટણી આવે છે.
Published at : 07 Sep 2018 10:26 AM (IST)
View More





















