શોધખોળ કરો
દિયર-ભાભીએ એકસાથે અગ્નિસ્નાન કરતાં રાજકોટમાં ચકચાર, શું ચાલી રહી છે ચર્ચા?
1/7

કુવાડવા રોડ પોલીસની પ્રાથમિક તપાસમાં આ ઘટના પાછળ પ્રેમપ્રકરણમાં નિષ્ફળતા કારણભુત હોવાનું જણાય છે. છગન અને તેના ભાભી વિજ્યાબેનને એક નહીં થઇ શકાય તેવું લાગતાં બંનેએ સાથે મરવાનું નક્કી કરી આ પગલું ભર્યાનું જણાય છે. પોલીસે વિશેષ તપાસ યથાવત રાખી છે. બનાવથી ભીમરાવનગરમાં અને આસપાસના વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
2/7

છગનના માતા અમરતબેન અને હસમુખના માતા મોંઘીબેન સગી બહેનો છે. હસમુખના લગ્ન ભીચરીની વિજ્યા (વિજુ) સાથે બાર વર્ષ પહેલા થયા છે. સંતાનમાં બે પુત્રો છે. હસમુખના કહેવા મુજબ મેં છગનને સગા ભાઇ કરતાં પણ વિશેષ સારી રીતે રાખ્યો હતો. તેના અને મારી પત્ની વચ્ચે શું હશે કંઇ હશે કે કેમ? તેનો અમને કદી વિચાર પણ આવ્યો નહોતો. પણ અત્યારે તો મારા બે દિકરા મા વગરના થઇ ગયા છે.
Published at : 15 Nov 2017 12:59 PM (IST)
View More























