શોધખોળ કરો

રાજકોટઃ 15 દિવસ પછી દીકરીના લગ્ન, બેંકે પૈસા બદલાવી ન આપતાં પિતાએ કર્યો આપઘાત

1/5
ત્રિભોવનભાઈની બીજી દીકરી આરતીના આગામી 9 ડિસેમ્બરના રોજ લગ્ન હોય, સુરેન્દ્રનગરથી જાન આવવાની હતી. અત્યારે લગ્નની કંકોત્રી પણ છપાઇ ગઈ છે. એટલું જ નહીં, આવતા રવિવારે લગ્ન પણ લખવાના હતા. જોકે, ત્રિભોવનભાઈએ આપઘાત કરી લેતા પરિવાર પર આભ ફાટ્યું છે.
ત્રિભોવનભાઈની બીજી દીકરી આરતીના આગામી 9 ડિસેમ્બરના રોજ લગ્ન હોય, સુરેન્દ્રનગરથી જાન આવવાની હતી. અત્યારે લગ્નની કંકોત્રી પણ છપાઇ ગઈ છે. એટલું જ નહીં, આવતા રવિવારે લગ્ન પણ લખવાના હતા. જોકે, ત્રિભોવનભાઈએ આપઘાત કરી લેતા પરિવાર પર આભ ફાટ્યું છે.
2/5
આ અંગેની વિગત એવી છે કે, રાજકોટના આજી વસાહત સ્થિત ખોડિયારનગર-2માં રહેતા ત્રિભોવનભાઇ નાથાભાઇ સોલંકી(ઉ.વ.45)એ પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ આપઘાત અંગે પરિવારજનોએ જણાવ્યું હતું કે, ત્રિભોવનભાઈનું ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં ખાતું છે. આવતા મહિને તેમની દીકરીના લગ્ન હોવાથી તેઓ અનેકવાર પૈસા બદલાવા ગયા પરંતુ તેનો વારો જ આવ્યો નહોતો, જેને કારણે પૈસા પણ મળ્યા નહોતા.
આ અંગેની વિગત એવી છે કે, રાજકોટના આજી વસાહત સ્થિત ખોડિયારનગર-2માં રહેતા ત્રિભોવનભાઇ નાથાભાઇ સોલંકી(ઉ.વ.45)એ પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ આપઘાત અંગે પરિવારજનોએ જણાવ્યું હતું કે, ત્રિભોવનભાઈનું ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં ખાતું છે. આવતા મહિને તેમની દીકરીના લગ્ન હોવાથી તેઓ અનેકવાર પૈસા બદલાવા ગયા પરંતુ તેનો વારો જ આવ્યો નહોતો, જેને કારણે પૈસા પણ મળ્યા નહોતા.
3/5
ત્રિભોવનભાઈ અંગે મળતી માહિતી પ્રમાણે પહેલા તેઓ ડ્રાઇવર હતા અને હાલ મજૂરીકામ કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા. જોકે, પાંચેક વર્ષ પહેલા તેમને એટેક આવ્યો હતો. આ પછી તેઓ વધુ કામ કરી શકતા નહોતા. ત્રિભોવનભાઇ સોલંકી ત્રણ ભાઇ અને ચાર બહેનોમાં સૌથી નાના હતા. તેમને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. મોટી પુત્રી પૂજા લીંબડીના જાંબુ ગામે સાસરે  છે. બીજી પુત્રી આરતીના આવતા મહિને લગ્ન છે. જ્યારે નાની પુત્રી ક્રિષ્ના અભ્યાસ કરે છે.
ત્રિભોવનભાઈ અંગે મળતી માહિતી પ્રમાણે પહેલા તેઓ ડ્રાઇવર હતા અને હાલ મજૂરીકામ કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા. જોકે, પાંચેક વર્ષ પહેલા તેમને એટેક આવ્યો હતો. આ પછી તેઓ વધુ કામ કરી શકતા નહોતા. ત્રિભોવનભાઇ સોલંકી ત્રણ ભાઇ અને ચાર બહેનોમાં સૌથી નાના હતા. તેમને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. મોટી પુત્રી પૂજા લીંબડીના જાંબુ ગામે સાસરે છે. બીજી પુત્રી આરતીના આવતા મહિને લગ્ન છે. જ્યારે નાની પુત્રી ક્રિષ્ના અભ્યાસ કરે છે.
4/5
પૈસા ન મળતાં ત્રિભોવનભાઈ ચિંતામાં મુકાઈ ગયા હતા. તેમને ચિંતા હતી કે, થોડા દિવસ પછી દીકરીના લગ્ન છે, પરંતુ પૈસા વગર દીકરીના લગ્ન કેમ કરવા? તેમણે ગઈ કાલે સાંજે જમ્યા પછી સવારે પૈસાની વ્યવસ્થા કરવા જઇશ, તેમ પરિવારજનોને કહ્યું હતું. દરમિયાન આજે વહેલી સવારે 4 વાગે પાણી આવતા ત્રિભોવનભાઈના પત્ની લીલાબેન ઉઠ્યા હતા. ત્યારે તેઓ પણ ઉઠી ગયા હતા. તેમજ તેમણે પૈસા લેવા જવાના હોવાનું પણ કહ્યું હતું. આ પછી તેઓ રૂમમાં ચાલ્યા ગયા હતા અને જ્યાં ગળેફાંસો ખાઇ લીધો હતો.
પૈસા ન મળતાં ત્રિભોવનભાઈ ચિંતામાં મુકાઈ ગયા હતા. તેમને ચિંતા હતી કે, થોડા દિવસ પછી દીકરીના લગ્ન છે, પરંતુ પૈસા વગર દીકરીના લગ્ન કેમ કરવા? તેમણે ગઈ કાલે સાંજે જમ્યા પછી સવારે પૈસાની વ્યવસ્થા કરવા જઇશ, તેમ પરિવારજનોને કહ્યું હતું. દરમિયાન આજે વહેલી સવારે 4 વાગે પાણી આવતા ત્રિભોવનભાઈના પત્ની લીલાબેન ઉઠ્યા હતા. ત્યારે તેઓ પણ ઉઠી ગયા હતા. તેમજ તેમણે પૈસા લેવા જવાના હોવાનું પણ કહ્યું હતું. આ પછી તેઓ રૂમમાં ચાલ્યા ગયા હતા અને જ્યાં ગળેફાંસો ખાઇ લીધો હતો.
5/5
રાજકોટ: શહેરના એક આધેડે દીકરીના 15 દિવસ પછી લગ્ન છે, ત્યારે જ આપઘાત કરી લેતા સમગ્ર રાજકોટમાં ખળભળાટ મચી ગયો છે. આવતા મહિને દીકરીના લગ્ન લેવાના હોવાથી પિતા પૈસા બદલાવવાના પ્રયાસમાં હતાં. જોકે, બેંકે પૈસા ન બદલી આપતાં ચિંતામાં સરી પડેલા પિતાએ ઘરમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો આક્ષેપ પરિવારજનો કરી રહ્યા છે.
રાજકોટ: શહેરના એક આધેડે દીકરીના 15 દિવસ પછી લગ્ન છે, ત્યારે જ આપઘાત કરી લેતા સમગ્ર રાજકોટમાં ખળભળાટ મચી ગયો છે. આવતા મહિને દીકરીના લગ્ન લેવાના હોવાથી પિતા પૈસા બદલાવવાના પ્રયાસમાં હતાં. જોકે, બેંકે પૈસા ન બદલી આપતાં ચિંતામાં સરી પડેલા પિતાએ ઘરમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો આક્ષેપ પરિવારજનો કરી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
Embed widget