શોધખોળ કરો
'......તો વિજય રૂપાણીને રાજકોટમાં નહીં ઘૂસવા દઈએ', કોંગ્રેસના ક્યા નેતાએ કેમ આપી આ ધમકી ? જાણો વિગત
1/4

રાજકોટ: પાણીની સમસ્યાને લઇ રાજકોટમાં જળ સંકટ ઘેરું બની શકે છે. હાલ રાજકોટના તમામ જળાશયોમાં બે થી ત્રણ મહિના ચાલે તેટલું જ પાણી બચ્યું છે. સૌરાષ્ટ્ર અને રાજકોટમાં ચાલુ વર્ષે સારો વરસાદ થવા છતાં ઉનાળામાં પાણીની પારાયણ જોવા મળી શકે છે. આ મુદ્દે રાજકોટ મહાનગર પાલિકાના વિપક્ષ નેતા વશરામ સાગઠિયા લાલઘૂમ બન્યા હતા. તેમણે કહ્યું કે, જો ભર ઉનાળે પાણીકાપ નાંખવામાં આવશે તો મુખ્યમંત્રી રૂપાણીને રાજકોટમાં પ્રવેશવા નહીં દેવામાં આવે.
2/4

હાલ આજી ભાદરની પરિસ્થિતિ જોતા એપ્રિલ સુધી મોટાભાગે વાંધો આવે તેવુ નથી. પરંતુ જો ત્યાં સુધી શાસકો કંઇ નહીં વિચારે તો 15 એપ્રિલ પછી પાણી ક્યાંથી લાવવું તે મોટો સવાલ ઉભો થશે. ભાદર અને થોડુ ઘણું મળે તો પાઇપલાઇન દ્વારા નર્મદાના નીર પર આધાર રાખવો પડશે અને નર્મદાના નીર સાથ નહીં આપે તો મે મહિનો ભર ઉનાળે ક્યાંથી પાણી લાવવું તે મોટો સવાલ છે. જો કે આ વાત શાસકો જાણે જ છે પણ સ્વીકારતા નથી.
Published at : 08 Feb 2018 12:48 PM (IST)
View More





















