રાજકોટ: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ બાઘો એટલે તન્મય વેકરીયાના સસરાંનું હાર્ટ અટેકના કારણે નિધન થયું હતું. તન્મય અને મિત્સુ વેકરીયાને પિતાના નિધનની જાણ થતાં તેવો તાત્કાલિક રાજકોટ આવી પહોંચ્યા હતાં. તન્મય વેકરીયાની સાસરી રાજકોટ થાય છે.
2/4
સસરાના નિધનના સમાચાર મળતાં જ તન્મય વેકરીયા રાજકોટ આવી પહોંચ્યા હતા. આગામી 14 સપ્ટેમ્બરના રોજ જીતેન્દ્રભાઇની પ્રાર્થના સભા કાલાવડ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરના હોલમાં રાખવામાં આવી છે. જેમાં તારક મહેતાની ટીમના સભ્યો આવે તેવી શક્યતા છે.
3/4
ગોંડલ રોડ પર રહેતા મનસુખભાઇ એલઆઈસીમાં નોકરી કરતા હતા અને નિવૃત જીવન જીવતા હતા. જીતેન્દ્રભાઈને બે પુત્રીઓ છે જેમાં મોટી દિકરી મિત્સુના લગ્ન તન્મય વેકરિયા સાથે થયા છે. મિત્સુ વેકરીયાના નાના બહેન અમેરિકા છે જે આજે રાજકોટ આવવાના છે.
4/4
તન્મયના સસરા જીતેન્દ્રભાઈનું ગઇકાલે હાર્ટએટેકથી નિધન થતાં તે રાજકોટ દોડી આવ્યા હતા. તન્મયની પત્ની મિત્સુ વેકરીયાએ જણાવ્યું હતું કે, મંગળાવેર તેમના પિતા જીતેન્દ્રભાઇ મનસુખભાઇ વૈદ્યને ઉંઘમાં હાર્ટ અટેક આવતા નિધન થયું હતું.