શોધખોળ કરો

IND vs AFG: ભારત પ્રવાસ માટે અફઘાનિસ્તાન ટીમ જાહેર, ટેસ્ટમાંથી સ્ટાર સ્પિનર રાશિદ ખાન બહાર!

IND vs AFG: 6 જૂનથી શરૂ થનારા ભારત પ્રવાસ માટે અફઘાનિસ્તાને ટીમ જાહેર કરી છે. હશમતુલ્લાહ શાહિદીને બંને ફોર્મેટમાં કેપ્ટનશિપ સોંપાઈ છે, જ્યારે સ્ટાર સ્પિનર રાશિદ ખાન માત્ર વનડે રમતો જોવા મળશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અફઘાનિસ્તાને ભારત સામેની ટેસ્ટ અને વનડે સિરીઝ માટે ટીમ જાહેર કરી.
  • સ્ટાર સ્પિનર રાશિદ ખાન ટેસ્ટ મેચમાં રમશે નહીં, પરંતુ વનડે ટીમનો ભાગ.
  • હશમતુલ્લાહ શાહિદી બંને ફોર્મેટમાં ટીમનું સુકાન સંભાળશે.
  • ટેસ્ટ 6 જૂને, જ્યારે વનડે શ્રેણી 13 જૂનથી શરૂ થશે.

afghanistan tour of india 2026 squad: ક્રિકેટ ચાહકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. મંગળવારે (26 મે) અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે આગામી ભારત પ્રવાસ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. આ પ્રવાસમાં અફઘાનિસ્તાન ભારત સામે એકમાત્ર ટેસ્ટ મેચ અને 3 મેચની વનડે સિરીઝ રમવા જઈ રહ્યું છે. આ સિરીઝ 6 જૂનથી શરૂ થઈને 20 જૂન સુધી ચાલશે, જેમાં પહેલા ટેસ્ટ અને ત્યારબાદ વનડે સિરીઝ રમાશે. પરંતુ, આ ટીમ સિલેક્શનમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે અફઘાનિસ્તાનનો સ્ટાર સ્પિનર રાશિદ ખાન ભારત સામેની આ ઐતિહાસિક ટેસ્ટ મેચમાં રમતો જોવા નહીં મળે.

રાશિદ ખાન ભલે ટેસ્ટ ટીમમાંથી ગાયબ હોય, પરંતુ તે 15 સભ્યોની વનડે ટીમનો મહત્વનો હિસ્સો છે. અફઘાનિસ્તાન બોર્ડે આ બંને સિરીઝ માટે હશમતુલ્લાહ શાહિદી પર ભરોસો મૂકીને તેને કેપ્ટનશિપ સોંપી છે. બંને ફોર્મેટ માટે 3-3 રિઝર્વ ખેલાડીઓને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. ઘણા એવા ખેલાડીઓ છે જેમને ટેસ્ટ અને વનડે એમ બંને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.

હવે ચાહકોના મનમાં મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે રાશિદ ખાન ટેસ્ટ કેમ નથી રમી રહ્યો? જોકે, ક્રિકેટ બોર્ડ તરફથી આ અંગે કોઈ સત્તાવાર કારણ આપવામાં આવ્યું નથી. પરંતુ તાજેતરમાં જ એવા અહેવાલો આવ્યા હતા કે રાશિદ ખાને વર્કલોડ મેનેજ કરવા માટે વર્ષમાં માત્ર એક જ ટેસ્ટ રમવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે 2026 ના આ વર્ષમાં તેણે હજુ એક પણ ટેસ્ટ રમી નથી, છતાં તેને ભારત સામેની આ મહત્વની ટેસ્ટ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.

ભારત સામેની એકમાત્ર ટેસ્ટ માટેની અફઘાનિસ્તાન ટીમ:

હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), અબ્દુલ મલિક, સેદીકુલ્લાહ અટલ, રહેમત શાહ, રહેમાનુલ્લાહ ગુરબાઝ, રહેમાનુલ્લાહ ઝદરાન, અફસર ઝાઝાઈ (વિકેટકીપર), ઇકરામ અલીખિલ (વિકેટકીપર), અઝમતુલ્લાહ ઉમરઝાઈ, શરાફુદ્દીન અશરફ, નંગ્યાલ ખારોતી, કૈસ અહમદ, બિલાલ સામી, ઝિયા શરીફી અને સલીમ સફી.
રિઝર્વ ખેલાડીઓ: બશીર અહમદ, બહીર શાહ, ઇસ્મત આલમ.

આ પણ વાંચોઃ IPL પ્લેઓફનું ગણિત: હારવા છતાં RCB કે GT કેમ બહાર નહીં થાય? જાણી લો મોટો નિયમ

ભારત સામેની વનડે સિરીઝ માટે અફઘાનિસ્તાનની ટીમ:

હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), રહેમાનુલ્લાહ ગુરબાઝ (વિકેટકીપર), ઈબ્રાહીમ ઝદરાન, સેદીકુલ્લાહ અટલ, દરવીશ રસૂલી, રહેમત શાહ, ઈકરામ અલીખિલ (વિકેટકીપર), મોહમ્મદ નબી, અઝમતુલ્લાહ ઉમરઝાઈ, રાશિદ ખાન, નંગ્યાલ ખારોતી, અલ્લાહ ગઝનફર, અબ્દુલ મલિક અને બિલાલ સામી.
રિઝર્વ ખેલાડીઓ: કૈસ અહેમદ, સલીમ સફી, બશીર અહેમદ.

ભારત-અફઘાનિસ્તાન સિરીઝનો સંપૂર્ણ કાર્યક્રમ:

એકમાત્ર ટેસ્ટ: 6 જૂન

પ્રથમ વનડે: 13 જૂન

બીજી વનડે: 17 જૂન

ત્રીજી વનડે: 20 જૂન

આ પણ વાંચોઃ મુંબઈને 30 રનથી હરાવી રાજસ્થાન 7મી વખત પ્લેઓફમાં, પંજાબ-કોલકાતા IPL 2026માંથી બહાર

Frequently Asked Questions

ભારત પ્રવાસ માટે અફઘાનિસ્તાનની ટીમની જાહેરાત ક્યારે થઈ?

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે 26 મેના રોજ ભારત પ્રવાસ માટે ટીમની જાહેરાત કરી દીધી છે.

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે કઈ સિરીઝ રમાશે?

આ પ્રવાસમાં અફઘાનિસ્તાન ભારત સામે એકમાત્ર ટેસ્ટ મેચ અને 3 મેચની વનડે સિરીઝ રમશે.

રાશિદ ખાન ભારત સામેની ટેસ્ટ મેચમાં કેમ નથી રમતો?

રાશિદ ખાન ટેસ્ટ ટીમમાંથી ગાયબ છે. એવા અહેવાલો છે કે તેણે વર્કલોડ મેનેજ કરવા માટે વર્ષમાં માત્ર એક જ ટેસ્ટ રમવાનો નિર્ણય લીધો છે.

વનડે સિરીઝ માટે અફઘાનિસ્તાનનો કેપ્ટન કોણ છે?

હશમતુલ્લાહ શાહિદીને બંને ફોર્મેટ માટે કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જેમાં વનડે સિરીઝનો પણ સમાવેશ થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
'છેલ્લી મેચમાં 100 બનાવી દે યાર...', રોહિત શર્મા માટે આકાશ ચોપરાનો ભાવુક મેસેજ; કહી દીધી ઇમોશનલ વાત
'છેલ્લી મેચમાં 100 બનાવી દે યાર...', રોહિત શર્મા માટે આકાશ ચોપરાનો ભાવુક મેસેજ; કહી દીધી ઇમોશનલ વાત
India vs England: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND vs ENG ત્રીજી વનડેમાંથી બહાર થયો આ ખેલાડી
India vs England: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND vs ENG ત્રીજી વનડેમાંથી બહાર થયો આ ખેલાડી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
MutualFund: મહિને ₹5,000ની SIPથી બની શકો કરોડપતિ! જાણો ₹1 કરોડ બનતા કેટલો સમય લાગે?
MutualFund: મહિને ₹5,000ની SIPથી બની શકો કરોડપતિ! જાણો ₹1 કરોડ બનતા કેટલો સમય લાગે?
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ
Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Embed widget