શોધખોળ કરો

ભારતીય ટીમના આ ખેલાડીનું છલકાયું દર્દ, કહ્યું- સાહાની વાપસી થઈ પણ મને પૂછવામાં ન આવ્યું

મિશ્રાએ આગળ કહ્યું કે, મારું ફોર્મ પણ સારું હોવા છતાં મને સ્થાન મળતું નહોતું. ઈજામાંથી મુક્ત થયા બાદ આજ સુધી સિલેક્ટર્સ કે ટીમ મેનેજમેન્ટે મારી સાથે વાત નથી કરી.

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે જાહેર કરવામાં આવેલા લોકડાઉનના કારણે સ્પોર્ટ્સ એક્ટિવિટી સ્થગિત છે. આ દરમિયાન પર સ્પોર્ટ્સ પર્સનાલિટી સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સની સાથે સંપર્કમાં રહેતા હોય છે. ભારતના અનેક ક્રિકેટર્સ બાદ લેગ સ્પિનર અમિત મિશ્રાએ પણ લોકડાઉન દરમિયાન દિલની વાત કરી હતી. અમિત મિશ્રાએ યૂટ્યુબ ચેનલ સ્પોર્ટ્સ તક સાથે વાત કરતા કહ્યું, "દરેક સ્તર પર વિકેટ લેવા છતાં મને રાષ્ટ્રીય ટીમમાંથી કેમ બહાર રાખવામાં આવ્યો તે સમજાતું નથી. ફેબ્રુઆરી 2017માં ઈંગ્લેન્ડ સામે ટી-20 સીરિઝમાં ઈજાગ્રસ્ત બન્યા બાદ ભારત તરફથી હું રમી શક્યો નથી. હું મારી જાતને પૂછતો હોઉ છું કે મારી સાથે આમ કેમ થયું ? કોઈપણ મને સંતોષજનક જવાબ આપી શકતા નથી. તે સમયે ટીમમાં એવો નિયમ હતો કે જો કોઈને ઈજાના કારણે ટીમમાંથી બહાર કરવામાં આવે તો તે ટીમમાં પરત આવી શકશે. દોઢ વર્ષની ઈજા બાદ સાહાએ વાપસી કરી, મને ખબર નથી પડતી કે મારી સાથે કેમ આમ થયું." મિશ્રાએ આગળ કહ્યું કે, મારું ફોર્મ પણ સારું હોવા છતાં મને સ્થાન મળતું નહોતું. ઈજામાંથી મુક્ત થયા બાદ આજ સુધી સિલેક્ટર્સ કે ટીમ મેનેજમેન્ટે મારી સાથે વાત નથી કરી. કેપ્ટન કોહલીએ મને આશ્વાસન આપ્યું હતુ કે, હું રાષ્ટ્રીય પસંદગીકર્તા સાથે વાત કરીશ પરંતુ કંઈ થયું નથી. તેણે જણાવ્યું, મારી અંતિમ ઈચ્છા ભારત માટે ટી-20 ફોર્મેટમાં રમવાની છે. કારણકે મારી આંતરરાષ્ટ્રીય કરિયર અચાનક જ ખતમ થઈ ગઈ હતી. ઈજાના કારણે મને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. જેવો ધોનીએ ગાંગુલીને સપોર્ટ કર્યો તેવો જો કોઈએ મને કર્યો હોત તો હું 70 કે 80 ટેસ્ટ મેચ રમી શક્યો હતો. અમિત મિશ્રાએ ટીમ ઈન્ડિયા તરફથી 22 ટેસ્ટમાં 76 વિકેટ, 36 વન ડેમાં 64 વિકેટ અને 10 ટી20માં 16 વિકેટ ઝડપી છે. 147 આઈપીએલ મેચમાં તેણે 157 વિકેટ લીધી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Embed widget