શોધખોળ કરો

Asia Cup 2023: બુધવારે સાંજે એશિયા કપના શેડ્યૂલની જાહેરાત થશે, જાણો લેટેસ્ટ અપડેટ વિશે

મંગળવારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એક પ્રેસ રિલીઝ જાહેર કરી હતી. આ પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે એશિયા કપ 2023નું શેડ્યૂલ બુધવારે જાહેર કરવામાં આવશે.

Asia Cup 2023 Schedule: મંગળવારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એક પ્રેસ રિલીઝ જાહેર કરી હતી. આ પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે એશિયા કપ 2023નું શેડ્યૂલ બુધવારે જાહેર કરવામાં આવશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ ઝકા અશરફ ટૂર્નામેન્ટનું શેડ્યૂલ જાહેર કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ ઝકા અશરફ બુધવારે સાંજે 7.45 વાગ્યે એશિયા કપનું શેડ્યૂલ જાહેર કરશે. આ પહેલા શનિવારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ વચ્ચે બેઠક થઈ હતી. જે બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો.

 

ટુર્નામેન્ટની પ્રથમ મેચ 31 ઓગસ્ટે રમાશે

એશિયા કપ 2023ની પ્રથમ મેચ 31 ઓગસ્ટે રમાશે.  એશિયા કપની ટાઈટલ મેચ 17 સપ્ટેમ્બરે રમાશે. પાકિસ્તાન આ ટૂર્નામેન્ટની પ્રથમ મેચની યજમાની કરશે. પાકિસ્તાન ટુર્નામેન્ટની 4 મેચોની યજમાની કરશે. જ્યારે શ્રીલંકામાં 9 મેચ રમાશે.  રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ પોતાની તમામ મેચો શ્રીલંકામાં રમશે. જો કે એશિયા કપનો ઈતિહાસ બતાવે છે કે આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમનો દબદબો રહ્યો છે. ટીમ ઈન્ડિયાએ સૌથી વધુ 6 વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. જ્યારે શ્રીલંકાની ટીમ 5 વખત ટૂર્નામેન્ટ જીતી ચુકી છે.

આ ટુર્નામેન્ટ હાઇબ્રિડ મોડલ હેઠળ રમાશે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ પાકિસ્તાનના રમતગમત મંત્રી અહેસાન મજારીએ કહ્યું હતું કે પાકિસ્તાન એશિયા કપ 2023નું યજમાન હોવાથી ટૂર્નામેન્ટની તમામ મેચો પાકિસ્તાનની ધરતી પર જ રમવી જોઈએ. તેણે એમ પણ કહ્યું કે તેને હાઇબ્રિડ મોડલ નથી જોઈતું. પરંતુ જો ભારતીય ટીમ એશિયા કપ રમવા માટે પાકિસ્તાન નહીં આવે તો પાકિસ્તાનની ટીમ વનડે વર્લ્ડ કપ રમવા માટે ભારત નહીં જાય. પરંતુ હવે BCCI અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વચ્ચે સમજૂતી થઈ છે. પરંતુ ટીમ ઈન્ડિયા પોતાની મેચ પાકિસ્તાનની જગ્યાએ શ્રીલંકાની ધરતી પર રમશે.  

તમામ ક્રિકેટ ફેન્સ કાર્યક્રમની રાહ જોઇ રહ્યા છે. આ વખતે હાઇબ્રિડ મોડલમાં રમાનારી એશિયા કપની પ્રથમ 4 મેચ પાકિસ્તાનમાં અને બાકીની 9 મેચ શ્રીલંકામાં યોજાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ટૂર્નામેન્ટમાં ઓછામાં ઓછી 2 મેચ રમાશે તેવી પૂરી આશા છે.

એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનની ટીમો એક જ ગ્રુપમાં છે અને બંને ટીમો વચ્ચે પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે રમાય તેવી સંભાવના છે. તે સિવાય જો બંન્ને ટીમો સુપર-4 તબક્કામાં પહોંચે તો ત્યાં 10 સપ્ટેમ્બરે ફરી એકવાર બંને ટીમો વચ્ચે ટક્કર થશે. 

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial
 
 
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Embed widget