શોધખોળ કરો

ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો

Cheteshwar Pujara Cricket Expert: યુકે પ્રવાસમાં એક પણ મેચ ન જીતી શકવા પાછળ નબળો મિડલ ઓર્ડર, ઓલરાઉન્ડર્સની કમી અને ખરાબ ફિલ્ડિંગ જવાબદાર.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • યુકે પ્રવાસે ભારતીય ટીમની કંગાળ હાર બાદ.
  • પૂજારાએ મિડલ ઓર્ડર અને ઓલરાઉન્ડર્સની કમી જણાવી.
  • ખરાબ ફિલ્ડિંગ ટીમના નિરાશાજનક પ્રદર્શનનું મુખ્ય કારણ બન્યું.

Cheteshwar Pujara Cricket Expert: વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન અચાનક કથળ્યું છે. આઈપીએલ 2026 પછી યુકે પ્રવાસે ગયેલી ભારતીય ટીમ આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામે એક પણ મેચ જીતી શકી નથી. ઈંગ્લેન્ડે 5 મેચની સિરીઝમાં ભારતને 4-0 થી હરાવ્યું, જ્યારે આ પહેલા આયર્લેન્ડે પણ બંને મેચ જીતીને ભારતને ક્લીન સ્વીપ કર્યું હતું. યુકે પ્રવાસની કુલ 6 મેચોમાં મળેલી આ શરમજનક હાર બાદ ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી ચેતેશ્વર પૂજારાએ ટીમના કંગાળ પ્રદર્શનના 3 મુખ્ય કારણો આપ્યા છે. ચાલો જાણીએ પૂજારાના મતે ટીમ ઈન્ડિયા ક્યાં થાપ ખાઈ ગઈ.

1. નબળો મિડલ ઓર્ડર

પૂજારાના મતે હારનું સૌથી મોટું અને પહેલું કારણ ભારતીય ટીમનો મિડલ ઓર્ડર હતો. તેમણે એક સ્પોર્ટ્સ પ્લેટફોર્મને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, "ઈંગ્લેન્ડ પાસે 5, 6, 7 અને 8 નંબર પર એવા બેટ્સમેન હતા જેમણે ટીમના સ્કોરમાં સતત અને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. તેની સરખામણીમાં ભારત પાસે 5 નંબર પર તિલક વર્મા અને 6 નંબર પર શિવમ દુબે હતા, પરંતુ તેઓ ઈંગ્લેન્ડના ખેલાડીઓ જેવું સંતોષકારક પ્રદર્શન કરી શક્યા નહીં."

2. યોગ્ય ઓલરાઉન્ડર્સની કમી

હારનું બીજું કારણ જણાવતા પૂજારાએ ટીમમાં યોગ્ય ઓલરાઉન્ડર્સની અછત પર ભાર મૂક્યો હતો. આધુનિક T20 ક્રિકેટમાં એવા ખેલાડીઓની ખાસ જરૂર હોય છે જે બેટ અને બોલ બંનેથી મેચનું પાસું પલટી શકે. પૂજારાએ સ્પષ્ટ કર્યું કે ભારતીય ટીમમાં આવા યોગ્ય ઓલરાઉન્ડર્સનો અભાવ છે, અને આગામી સમય માટે આ એક બહુ મોટો ચિંતાનો વિષય છે.

આ પણ વાંચોઃ IND vs ENG: ટી20 માં હાર બાદ વનડે ટીમમાં મોટો ફેરફાર, 2 સ્ટાર ખેલાડીઓ બહાર

3. અત્યંત ખરાબ ફિલ્ડિંગ

ત્રીજું અને સૌથી ચિંતાજનક કારણ ભારતીય ખેલાડીઓનું નિરાશાજનક ફિલ્ડિંગ હતું. પૂજારાએ કડક શબ્દોમાં કહ્યું કે, "આપણે એ સ્વીકારી શકીએ કે આ એક યુવા ટીમ છે, તેથી ક્યારેક બેટિંગ કે બોલિંગમાં અપેક્ષા મુજબનું પ્રદર્શન ન થાય તે સમજી શકાય, પરંતુ ખરાબ ફિલ્ડિંગ બિલકુલ ચલાવી ન લેવાય. T20 ફોર્મેટમાં ફિલ્ડિંગની ભૂમિકા ખૂબ જ મહત્વની હોય છે, પરંતુ આ સમગ્ર સિરીઝ દરમિયાન ભારતનું ફિલ્ડિંગ અત્યંત નબળું રહ્યું, જે ટીમ મેનેજમેન્ટ માટે મોટો પ્રશ્ન છે."

આ પણ વાંચોઃ ખરાબ કેપ્ટનશીપ નબળી ફિલ્ડિંગને કારણે 5મી T20માં ભારતની શરમજનક હાલત, ઇંગ્લેન્ડે 257 રન બનાવ્યા; નવો રેકોર્ડ બનાવ્યો

Frequently Asked Questions

પૂજારાના મતે ટીમ ઈન્ડિયાના કંગાળ પ્રદર્શનના મુખ્ય કારણો કયા છે?

પૂજારાએ ટીમના કંગાળ પ્રદર્શન માટે ત્રણ મુખ્ય કારણો આપ્યા છે: નબળો મિડલ ઓર્ડર, યોગ્ય ઓલરાઉન્ડર્સની કમી અને અત્યંત ખરાબ ફિલ્ડિંગ.

ભારતીય ટીમનો મિડલ ઓર્ડર કેમ નબળો પડ્યો, પૂજારાના મતે?

પૂજારાના મતે, ઇંગ્લેન્ડના બેટ્સમેનોની સરખામણીમાં ભારતના તિલક વર્મા અને શિવમ દુબે સંતોષકારક પ્રદર્શન કરી શક્યા નહીં. મિડલ ઓર્ડરમાંથી સતત યોગદાનનો અભાવ હતો.

પૂજારાએ ટીમમાં કયા પ્રકારના ખેલાડીઓની કમી પર ભાર મૂક્યો?

પૂજારાએ જણાવ્યું કે આધુનિક T20 ક્રિકેટમાં બેટ અને બોલ બંનેથી મેચનું પાસું પલટી શકે તેવા યોગ્ય ઓલરાઉન્ડર્સની ભારતીય ટીમમાં કમી છે. આ એક મોટી ચિંતાનો વિષય છે.

પૂજારાએ ભારતીય ટીમની ફિલ્ડિંગ વિશે શું કહ્યું?

પૂજારાએ ભારતીય ટીમની અત્યંત ખરાબ ફિલ્ડિંગને ચિંતાજનક ગણાવી. તેમણે કહ્યું કે T20માં ફિલ્ડિંગ મહત્વની છે અને આ પ્રદર્શન બિલકુલ ચલાવી ન લેવાય.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Advertisement

વિડિઓઝ

Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget