Cricket News: ગુજરાતના આ દિગ્ગજ ક્રિકેટરે અચાનક ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી લીધી નિવૃત્તિ
Cricket News: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં આ અંગે માહિતી આપી છે. તેઓ લાંબા સમયથી ભારતીય ટેસ્ટ ટીમની બહાર હતો.

Cricket News: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં આ અંગે માહિતી આપી છે. તેઓ લાંબા સમયથી ભારતીય ટેસ્ટ ટીમની બહાર હતા. હવે તેમણે પોતાના સુવર્ણ કારકિર્દીને અલવિદા કહી દીધું છે.
🚨 PUJARA RETIRED FROM ALL FORMS OF INDIAN CRICKET 🚨
— Johns. (@CricCrazyJohns) August 24, 2025
- One of the Greatest ever in Modern Era. pic.twitter.com/ECt2RlZBIq
સ્ટાર ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ ક્રિકેટના તમામ ફોર્મેટને અલવિદા કહી દીધું છે. પૂજારાએ 24 ઓગસ્ટ (રવિવાર) ના રોજ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ અંગે માહિતી આપી હતી. પૂજારાએ લખ્યું, 'ભારતીય જર્સી પહેરીને, રાષ્ટ્રગીત ગાવું અને દરેક વખતે મેદાન પર શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરવો, તેને શબ્દોમાં વર્ણવવું મુશ્કેલ છે. પરંતુ જેમ તેઓ કહે છે, દરેક સારી વસ્તુનો અંત આવે છે અને ખૂબ જ કૃતજ્ઞતા સાથે મેં ભારતીય ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. તમારા બધાના પ્રેમ અને સમર્થન બદલ આભાર!”.
Wearing the Indian jersey, singing the anthem, and trying my best each time I stepped on the field - it’s impossible to put into words what it truly meant. But as they say, all good things must come to an end, and with immense gratitude I have decided to retire from all forms of… pic.twitter.com/p8yOd5tFyT
— Cheteshwar Pujara (@cheteshwar1) August 24, 2025
છેલ્લે ક્યારે આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી?
ચેતેશ્વર પૂજારાને ઘણા સમયથી ટીમ ઈન્ડિયામાં પસંદ કરવામાં આવી રહ્યો ન હતો. પસંદગીકારોનું ધ્યાન હવે નવા અને યુવા ખેલાડીઓ પર કેન્દ્રિત છે. પૂજારાએ પોતાની છેલ્લી ટેસ્ટ મેચ 7 જૂન 2023 ના રોજ રમી હતી. પૂજારાએ પોતાની છેલ્લી મેચ ઓસ્ટ્રેલિયા સામે ઓવલ ખાતે રમી હતી. આ મેચમાં તેમનું પ્રદર્શન ખાસ નહોતું. પૂજારાએ આ મેચની પહેલી ઇનિંગમાં 14 રન અને બીજી ઇનિંગમાં 27 રન બનાવ્યા હતા.
37 વર્ષીય ચેતેશ્વર પૂજારાની ટેસ્ટ કારકિર્દી શાનદાર રહી. પૂજારાએ 103 ટેસ્ટ મેચમાં 43.60 ની સરેરાશથી 7195 રન બનાવ્યા. આ દરમિયાન તેણે 19 સદી અને 35 અડધી સદી ફટકારી. પૂજારાએ ભારત માટે પોતાની છેલ્લી મેચ 2023 માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં રમી હતી. ઓસ્ટ્રેલિયા સામેની તે મેચમાં પૂજારાએ 41 રન બનાવ્યા હતા. આ પછી, પૂજારાને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.




















