શોધખોળ કરો

MS Dhoni Retirement: મહેન્દ્રસિંહ ધોનીની નિવૃતિ પર મોટો ખુલાસો, ઋષભ પંત સહિત બે લોકોને અગાઉથી હતી જાણકારી

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને બે વખતના વર્લ્ડકપ વિજેતા મહેન્દ્ર સિંહ ધોની હંમેશા પોતાના નિર્ણયોથી ચોંકાવે છે

MS Dhoni Retirement: ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને બે વખતના વર્લ્ડકપ વિજેતા મહેન્દ્ર સિંહ ધોની હંમેશા પોતાના નિર્ણયોથી ચોંકાવે છે. 15 ઓગસ્ટ 2020 ના રોજ તેણે અચાનક નિવૃત્તિની જાહેરાત કરી ત્યારે તેણે કંઈક આવું જ કર્યું. ધોનીના આ નિર્ણયથી રમત જગતના ચાહકો અને દિગ્ગજો ચોંકી ગયા હતા.

પરંતુ હવે આ મામલે મોટો ખુલાસો થયો છે. એવું જાણવા મળ્યું છે કે સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત અને ભૂતપૂર્વ ફિલ્ડિંગ કોચ આર શ્રીધરને ધોનીની નિવૃત્તિ વિશે પહેલાથી જ ખબર હતી. આ વાતનો ખુલાસો શ્રીધરે જાતે જ કર્યો છે.

2019 વર્લ્ડ કપની સેમીફાઇનલ છેલ્લી મેચ હતી

ધોની કેપ્ટન તરીકે તમામ ICC ટ્રોફી જીતનાર પ્રથમ ખેલાડી હતો. તેણે 2007માં T20 વર્લ્ડકપ જીત્યો હતો અને ત્યારબાદ 2011માં ODI વર્લ્ડકપ જીત્યો હતો. બે વર્ષ બાદ ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતાડી હતી. ધોનીએ તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 2019 વર્લ્ડકપની સેમીફાઇનલ મેચ રમી હતી. શ્રીધરના કહેવા પ્રમાણે, આ મેચ દરમિયાન ધોનીએ નિવૃતિ લેવાનું નક્કી કરી લીધું હતું. ત્યારબાદ ધોનીએ ઋષભ પંત અને શ્રીધરને નિવૃત્તિના સંકેતો આપ્યા હતા.

ફિલ્ડિંગ કોચ શ્રીધરે આ ખુલાસો કર્યો છે

શ્રીધરે પોતાના પુસ્તક 'કોચિંગ બિયોન્ડ - માય ડેઝ વિથ ધ ઈન્ડિયન ક્રિકેટ ટીમ'માં આ ખુલાસો કર્યો છે. તેમણે લખ્યું હતું કે હું હવે જાહેર કરી શકું છું કે મને ખબર પડી ગઈ હતી કે ધોની તેની છેલ્લી મેચ રમી ચૂક્યો છે. ભલે તેણે તે જાહેર ન કર્યું. ચાલો હું તમને કહું કે મને આ કેવી રીતે ખબર પડી. વર્લ્ડ કપ 2019માં ન્યૂઝીલેન્ડ સામેની સેમીફાઇનલના રિઝર્વ ડેની સવારે નાસ્તો કરવા માટે માન્ચેસ્ટર પહોંચનાર હું એકમાત્ર વ્યક્તિ હતો.

ફિલ્ડિંગ કોચે આગળ કહ્યું હતું કે હું કોફી પી રહ્યો હતો, પછી એમએસ ધોની અને પંત અંદર આવ્યા. તેમણે પોતાનો સામાન ઉપાડ્યો અને મારી સાથે જોડાયા. ત્યારબાદ ઋષભ પંતે ધોનીને હિન્દીમાં કહ્યું, 'ભાઈ, કેટલાક છોકરાઓ એકલા લંડન જવાની યોજના બનાવી રહ્યા છે. તમે રસ ધરાવો છો?' ત્યારે ધોનીએ કહ્યું, 'ના, ઋષભ, હું મારી ટીમ સાથે મારી છેલ્લી બસ સફરને ચૂકવા માંગતો નથી.

આ મામલે શ્રીધરે કહ્યું હતું કે મેં આ વાતચીત અંગે કોઈની સાથે વાત કરી નથી. તે વ્યક્તિ (ધોની)ના સન્માનને ધ્યાનમાં રાખીને મેં કોઈને કંઈ કહ્યું નથી. મેં રવિ શાસ્ત્રીને કે અરુણને મારી પત્નીને પણ કહ્યું નથી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન
યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન
Embed widget