શોધખોળ કરો

Women's World Cup: ઇગ્લેન્ડની ટીમે પાકિસ્તાનને હરાવ્યુ, ભારતની મુશ્કેલીમાં થયો વધારો

ઈગ્લેન્ડની ટીમના આ મહિલા વર્લ્ડ કપમાં 6માંથી 3 મેચ જીત્યા બાદ 6 પોઈન્ટ થઈ ગયા છે. તે પોઈન્ટ ટેબલમાં નંબર-4 પર પહોંચી ગઈ છે

નવી દિલ્હી. ઇગ્લેન્ડની ટીમે મહિલા વર્લ્ડ કપ-2022માં સતત ત્રીજી જીત મેળવી છે. હિથર નાઈટની કેપ્ટનશીપમાં ઇગ્લેન્ડની ટીમે ગુરુવારે ક્રાઈસ્ટચર્ચમાં રમાયેલી મેચમાં પાકિસ્તાને 9 વિકેટથી હરાવ્યું હતું. આ જીત સાથે ઇગ્લેન્ડની ટૂર્નામેન્ટની સેમિફાઈનલમાં પહોંચવાની આશા પણ મજબૂત થઈ ગઈ છે. જ્યારે સેમિફાઇનલમાં પહોંચવા માટે ભારતીય ટીમ માટે કપરા ચઢાણ રહેશે.

ઈગ્લેન્ડની ટીમના આ મહિલા વર્લ્ડ કપમાં 6માંથી 3 મેચ જીત્યા બાદ 6 પોઈન્ટ થઈ ગયા છે. તે પોઈન્ટ ટેબલમાં નંબર-4 પર પહોંચી ગઈ છે. જ્યારે ભારતીય ટીમ નંબર-5 પર સરકી ગઈ છે. ભારતના પણ 6 પોઈન્ટ છે પરંતુ નેટ રન રેટના મામલે તે ઈંગ્લેન્ડ કરતા પાછળ છે. વાસ્તવમાં, ટેબલમાં ટોચની 4 ટીમો જ સેમિફાઇનલમાં પ્રવેશ કરશે, જેનો નિર્ણય હવે 27 માર્ચે જ થશે.

ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાએ સેમિફાઇનલમાં લગભગ પ્રવેશ કરી લીધો છે.  ઓસ્ટ્રેલિયન ટીમ શાનદાર ફોર્મમાં છે જે હજુ પણ ટુર્નામેન્ટમાં અજેય છે. ઓસ્ટ્રેલિયાના 12 પોઈન્ટ છે જ્યારે દક્ષિણ આફ્રિકાના 9 પોઈન્ટ છે. ગુરુવારે દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી, જેના કારણે બંનેને 1-1 પોઈન્ટ આપવામાં આવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝના 7 મેચમાં 7 પોઈન્ટ છે અને તે નંબર-3 પર છે. હવે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 1-1 મેચ બાકી છે.

ભારતીય ટીમે ટૂર્નામેન્ટની શરૂઆત જીત સાથે કરી હતી અને કટ્ટર હરીફ પાકિસ્તાનને 107 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. ત્યારબાદ યજમાન ન્યુઝીલેન્ડ સામે 62 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ વાપસી કરીને વેસ્ટ ઈન્ડિઝને 155 રનથી હરાવ્યું હતું. ત્યાર પછીની 2 મેચમાં તેને ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લી મેચમાં બાંગ્લાદેશને 110 રનથી હરાવ્યું હતું. હવે લીગ તબક્કાની છેલ્લી મેચ 28 માર્ચે સાઉથ આફ્રિકા સામે રમાશે, જેમાં માત્ર જીતવાની જ નહીં પરંતુ નેટ રન રેટમાં પણ સુધારો કરવો પડશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget