શોધખોળ કરો

IND vs AUS Test: ત્રીજા દિવસની રમત પૂર્ણ, ભારતનો સ્કૉર 289/3, ઓસ્ટ્રેલિયાથી હજુ 191 રન પાછળ

ત્રીજા દિવસની રમતની વાત કરીએ તો ભારતીય ટીમની ત્રીજા દિવસની રમત ખુબ શાનદાર રહી, અને આજના દિવસે એક સદી અને એક ફિફ્ટી પણ ભારત તરફથી જોવા મળી.

IND vs AUS Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી ચોથી ટેસ્ટમાં ત્રીજા દિવસની રમત પૂર્ણ થઇ ચૂકી છે. ભારતનો સ્કૉર ત્રીજા દિવસના અંતે 3 વિકેટના નુકશાને 289 રન પર પહોંચ્યો છે. અત્યાર ભારત તરફથી ક્રિઝ પર વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા છે. વિરાટ કોહલી અત્યારે 59 રન અને જાડેજા 16 રન બનાવીને રમી રહ્યો છે. ખાસ વાત છે કે હજુ ભારતીય ટીમ કાંગારુ ટીમથી 191 રન પાછળ છે. 

ભારતની ઇનિંગની વાત કરીએ તો....
ત્રીજા દિવસની રમતની વાત કરીએ તો ભારતીય ટીમની ત્રીજા દિવસની રમત ખુબ શાનદાર રહી, અને આજના દિવસે એક સદી અને એક ફિફ્ટી પણ ભારત તરફથી જોવા મળી. ખાસ વાત છે કે ભારતના યુવા ઓપનર બેટ્સમેન શુભમન ગીલે ત્રીજા દિવસે શાનદાર સદી ફટકારી, શુભમન ગીલે 235 બૉલનો સામનો કરતાં 1 છગ્ગા અને 12 ચોગ્ગાની મદદથી શાનદાર 128 રનની શતકીય ઇનિંગ રમી હતી. જ્યારે આજે ફિફ્ટી વિરાટ કોહલીના બેટમાંથી નીકળી હતી, વિરાટે લાંબા વિરામ બાદ આજે ટેસ્ટમાં પોતાની અર્ધશતકીય ઇનિંગ રમી છે. વિરાટે દિવસના અંત પહેલા પોતાની ફિફ્ટી પુરી કરી લીધી હતી, વિરાટે 128 બૉલ રમીને 5 ચોગ્ગાની મદદથી શાનદાર 59 રનની ઇનિંગ રમી હતી. 

ભારતીય ટીમ તરફથી આજે બેટિંગમાં શાનદાર લય જોવા મળી, કેપ્ટન રોહિત શર્મા શરૂઆતમાં સારી બેટિંગ કર્યા બાદ પેવેલિયન ભેગો થયો હતો, રોહિત શર્માએ 35 રન, શુભમન ગીલે 128 રન, ચેતેશ્વર પુજારાએ 42 રન ફટકાર્યા હતા, આ સિવાય વિરાટ કોહલી 59 અને રવિન્દ્ર જાડેજા 16 રન બનાવીને અમદાવાદની પીચ પર યથાવત છે. 

ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો...
ત્રીજા દિવસે કાંગારુ ટીમને કોઇ ખાસ ફાયદો થયો ન હતો. કાંગારુ બૉલરો ફરી એકવાર વિકેટો લેવામાં આજે નિષ્ફળ રહ્યાં હતા. ઓસ્ટ્રેલિયા તરફથી આજે નાથન લિયૉન, મેથ્યૂ કેહૂનમેન અને ટૉડ મર્ફી એક-એક વિકેટો લેવામાં સફળ થયા હતા, આ સિવાય અન્ય કોઇ બૉલરના નસીબમાં વિકેટ ન હતી. 

ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયાએ અમદાવાદ ટેસ્ટમાં ટૉસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી, જેમાં પ્રથમ ઇનિંગમાં કાંગારુ ટીમે પહાડ જેવો સ્કૉર કર્યો હતો, ઓસ્ટ્રેલિયન ટીમે 480 રનોનો વિશાળ સ્કૉર કર્યો હતો, આજે ટેસ્ટના ત્રીજા દિવસે ભારતીય ટીમે 3 વિકેટના નુકશાને 289 રન બનાવ્યા છે, છતાં હજુ કાંગારુ ટીમથી 191 રન પાછળ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણીDaman News । દમણથી દીવ જતું હેલિકોપ્ટર અટવાયુંWeather Forecast: સાયકલોની સિસ્ટમને કારણે ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી!Kalpesh Parmar | ખેડામાં સિંચાઈનું પાણી ન મળતા ધારાસભ્યે મંત્રી કુંવરજી બાવળિયાને લખ્યો પત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
Heart Attack: આ એક ટેસ્ટથી ખબર પડી જશે કે તમે હાર્ટના દર્દી છો કે નહી, આજે જ કરાવી લો
Heart Attack: આ એક ટેસ્ટથી ખબર પડી જશે કે તમે હાર્ટના દર્દી છો કે નહી, આજે જ કરાવી લો
Embed widget