શોધખોળ કરો

IND Vs ENG: ચોથી રાંચી ટેસ્ટમાં નહીં રમે જસપ્રીત બુમરાહ, પ્લેઇંગ-11માં ધાકડ બૉલરની થશે એન્ટ્રી

ક્રિકબઝના અહેવાલ મુજબ, જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયા સાથે રાજકોટથી રાંચી નહીં જાય. જસપ્રીત બુમરાહ રાજકોટથી સીધો અમદાવાદ જવા રવાના થશે

IND Vs ENG: રાજકોટમાં ઈંગ્લેન્ડને કારમી હાર આપ્યા બાદ ટીમ ઈન્ડિયાએ જસપ્રીત બુમરાહને રાંચી ટેસ્ટમાંથી આરામ આપવાનો નિર્ણય કર્યો છે. રાંચીમાં જસપ્રીત બુમરાહની જગ્યાએ મુકેશ કુમાર અથવા અક્ષર પટેલને તક આપવામાં આવી શકે છે. જો કે જસપ્રીત બુમરાહ ધર્મશાળામાં રમાનારી સીરીઝની છેલ્લી મેચમાં ટીમમાં વાપસી કરશે. સીરીઝની ચોથી ટેસ્ટ મેચ 23 ફેબ્રુઆરીથી રાંચીમાં રમાશે. ટીમ ઈન્ડિયા હાલમાં પાંચ મેચની સીરીઝમાં 2-1થી આગળ છે.

ક્રિકબઝના અહેવાલ મુજબ, જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયા સાથે રાજકોટથી રાંચી નહીં જાય. જસપ્રીત બુમરાહ રાજકોટથી સીધો અમદાવાદ જવા રવાના થશે. જોકે, જસપ્રીત બુમરાહ સિવાય અન્ય કોઈ ખેલાડીને રાંચીમાં રમાનારી ચોથી ટેસ્ટમાં આરામ આપવામાં આવશે નહીં. જસપ્રીત બુમરાહના વર્કલોડને મેનેજ કરવા માટે ટીમ મેનેજમેન્ટે આ નિર્ણય લીધો છે. જસપ્રીત બુમરાહે આ સિરીઝમાં 80.5 ઓવર ફેંકી છે. જો કે, બુમરાહ આ શ્રેણીમાં ભારતનો સૌથી સફળ બોલર પણ છે અને તેણે 17 વિકેટ લીધી છે.

મુકેશ કુમાર ટીમની સાથે જોડાશે 
પરંતુ આ સીરીઝ પહેલા જ સ્પષ્ટ થઈ ગયું હતું કે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ સીરીઝની તમામ 5 ટેસ્ટ મેચ નહીં રમે. મોહમ્મદ સિરાજને સીરીઝની બીજી ટેસ્ટમાંથી આરામ આપવામાં આવ્યો હતો અને તે રાજકોટ પરત ફર્યો હતો. મુકેશ કુમારને બીજી ટેસ્ટ બાદ ટીમમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. મુકેશ કુમાર રાંચીમાં રમાનારી ચોથી ટેસ્ટ માટે ટીમમાં વાપસી કરશે. જસપ્રિત બુમરાહના સ્થાને મુકેશ કુમાર પ્લેઈંગ 11નો ભાગ બને તેવી શક્યતા વધુ છે. મુકેશ કુમાર ના રમવાના કિસ્સામાં ટીમ ચાર સ્પિનરો સાથે મેદાનમાં ઉતરી શકે છે. આવી સ્થિતિમાં અક્ષર પટેલનું ખેલ નિશ્ચિત છે.

રાજકોટ ટેસ્ટ જીતતાં જ ટીમ ઈન્ડિયાએ WTC પોઈન્ટ ટેબલમાં માર્યો કુદકો, ઈંગ્લેન્ડની હાલત ખરાબ

ઈંગ્લેન્ડ સામેની 5 મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ ટીમ ઈન્ડિયાના નામે રહી હતી. રવિવારે રાજકોટમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડને 434 રનથી હરાવ્યું હતું. આ મોટી જીત સાથે ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ના પોઈન્ટ ટેબલમાં પણ મોટો ફાયદો થયો છે. હવે ટીમ ઈન્ડિયા WTC પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે.

WTC 2023-25 ​​પોઈન્ટ ટેબલમાં ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ સ્થાને છે. કિવી ટીમના ખાતામાં 75 PCT છે. ભારતીય ટીમ અહીં 59.52 PCT સાથે બીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયા ત્રીજા સ્થાને છે. કાંગારૂ ટીમ પાસે 55 પીસીટી છે. આ હાર બાદ ઈંગ્લેન્ડની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. તે પોઈન્ટ ટેબલમાં 8મા સ્થાને પહોંચી ગઈ છે. તેના ખાતામાં માત્ર 21.87 PCT  છે. રાજકોટ ટેસ્ટમાં પણ સ્લો ઓવર રેટના કારણે ઈંગ્લેન્ડને WTC પોઈન્ટનું મોટું નુકસાન થયું હતું. તેને 19 પોઈન્ટનું નુકસાન સહન કરવું પડ્યું હતું.

ભારતીય ટીમ WTCના વર્તમાન ચક્રમાં અત્યાર સુધીમાં 7 મેચ રમી છે. જેમાંથી ચારમાં તેણે જીત મેળવી છે અને બેમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ ઈન્ડિયાની એક મેચ ડ્રો રહી છે. આ વખતે ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસથી તેની WTC સફરની શરૂઆત કરી હતી. ટીમ ઈન્ડિયાએ તે બે મેચની શ્રેણીમાં 1-0થી જીત મેળવી હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-1થી ડ્રો રહી હતી. તે જ સમયે, ઇંગ્લેન્ડ સામેની વર્તમાન શ્રેણીમાં ટીમ ઇન્ડિયા 2-1થી આગળ છે.

રાજકોટ ટેસ્ટમાં શાનદાર જીત
ભારતીય ટીમે રાજકોટમાં ઈંગ્લેન્ડને 434 રનથી હરાવ્યું હતું. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં રનના મામલે ભારતની આ સૌથી મોટી જીત હતી. આ મેચમાં રવિન્દ્ર જાડેજા 'પ્લેયર ઓફ ધ મેચ' તરીકે પસંદ કર્યો હતો. તેણે આ મેચમાં 112 રનની ઇનિંગ પણ રમી હતી અને કુલ 7 વિકેટ પણ લીધી હતી. રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ અને સરફરાઝ ખાને પણ જોરદાર પ્રદર્શન કર્યું હતું. રોહિતે પ્રથમ દાવમાં સદી ફટકારી હતી, જ્યારે યશસ્વીએ ત્રીજી ઇનિંગમાં બેવડી સદી ફટકારી હતી. સરફરાઝે ભારતની બંને ઇનિંગ્સમાં ઝડપી અડધી સદી ફટકારી હતી.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
બુમરાહ ઈજાગ્રસ્ત! ટીમ ઈન્ડિયામાં કોણ લેશે જગ્યા? 4 ઘાતક બોલરો વચ્ચે જંગ, BCCI કરશે જાહેરાત
બુમરાહ ઈજાગ્રસ્ત! ટીમ ઈન્ડિયામાં કોણ લેશે જગ્યા? 4 ઘાતક બોલરો વચ્ચે જંગ, BCCI કરશે જાહેરાત
અભિષેક શર્માએ વનડેમાં ફટકારી બેવડી સદી, 91 બોલમાં બનાવ્યા 233 રન
અભિષેક શર્માએ વનડેમાં ફટકારી બેવડી સદી, 91 બોલમાં બનાવ્યા 233 રન

વિડિઓઝ

Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Embed widget