શોધખોળ કરો

IND Vs ENG: ચોથી રાંચી ટેસ્ટમાં નહીં રમે જસપ્રીત બુમરાહ, પ્લેઇંગ-11માં ધાકડ બૉલરની થશે એન્ટ્રી

ક્રિકબઝના અહેવાલ મુજબ, જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયા સાથે રાજકોટથી રાંચી નહીં જાય. જસપ્રીત બુમરાહ રાજકોટથી સીધો અમદાવાદ જવા રવાના થશે

IND Vs ENG: રાજકોટમાં ઈંગ્લેન્ડને કારમી હાર આપ્યા બાદ ટીમ ઈન્ડિયાએ જસપ્રીત બુમરાહને રાંચી ટેસ્ટમાંથી આરામ આપવાનો નિર્ણય કર્યો છે. રાંચીમાં જસપ્રીત બુમરાહની જગ્યાએ મુકેશ કુમાર અથવા અક્ષર પટેલને તક આપવામાં આવી શકે છે. જો કે જસપ્રીત બુમરાહ ધર્મશાળામાં રમાનારી સીરીઝની છેલ્લી મેચમાં ટીમમાં વાપસી કરશે. સીરીઝની ચોથી ટેસ્ટ મેચ 23 ફેબ્રુઆરીથી રાંચીમાં રમાશે. ટીમ ઈન્ડિયા હાલમાં પાંચ મેચની સીરીઝમાં 2-1થી આગળ છે.

ક્રિકબઝના અહેવાલ મુજબ, જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયા સાથે રાજકોટથી રાંચી નહીં જાય. જસપ્રીત બુમરાહ રાજકોટથી સીધો અમદાવાદ જવા રવાના થશે. જોકે, જસપ્રીત બુમરાહ સિવાય અન્ય કોઈ ખેલાડીને રાંચીમાં રમાનારી ચોથી ટેસ્ટમાં આરામ આપવામાં આવશે નહીં. જસપ્રીત બુમરાહના વર્કલોડને મેનેજ કરવા માટે ટીમ મેનેજમેન્ટે આ નિર્ણય લીધો છે. જસપ્રીત બુમરાહે આ સિરીઝમાં 80.5 ઓવર ફેંકી છે. જો કે, બુમરાહ આ શ્રેણીમાં ભારતનો સૌથી સફળ બોલર પણ છે અને તેણે 17 વિકેટ લીધી છે.

મુકેશ કુમાર ટીમની સાથે જોડાશે 
પરંતુ આ સીરીઝ પહેલા જ સ્પષ્ટ થઈ ગયું હતું કે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ સીરીઝની તમામ 5 ટેસ્ટ મેચ નહીં રમે. મોહમ્મદ સિરાજને સીરીઝની બીજી ટેસ્ટમાંથી આરામ આપવામાં આવ્યો હતો અને તે રાજકોટ પરત ફર્યો હતો. મુકેશ કુમારને બીજી ટેસ્ટ બાદ ટીમમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. મુકેશ કુમાર રાંચીમાં રમાનારી ચોથી ટેસ્ટ માટે ટીમમાં વાપસી કરશે. જસપ્રિત બુમરાહના સ્થાને મુકેશ કુમાર પ્લેઈંગ 11નો ભાગ બને તેવી શક્યતા વધુ છે. મુકેશ કુમાર ના રમવાના કિસ્સામાં ટીમ ચાર સ્પિનરો સાથે મેદાનમાં ઉતરી શકે છે. આવી સ્થિતિમાં અક્ષર પટેલનું ખેલ નિશ્ચિત છે.

રાજકોટ ટેસ્ટ જીતતાં જ ટીમ ઈન્ડિયાએ WTC પોઈન્ટ ટેબલમાં માર્યો કુદકો, ઈંગ્લેન્ડની હાલત ખરાબ

ઈંગ્લેન્ડ સામેની 5 મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ ટીમ ઈન્ડિયાના નામે રહી હતી. રવિવારે રાજકોટમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડને 434 રનથી હરાવ્યું હતું. આ મોટી જીત સાથે ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ના પોઈન્ટ ટેબલમાં પણ મોટો ફાયદો થયો છે. હવે ટીમ ઈન્ડિયા WTC પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે.

WTC 2023-25 ​​પોઈન્ટ ટેબલમાં ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ સ્થાને છે. કિવી ટીમના ખાતામાં 75 PCT છે. ભારતીય ટીમ અહીં 59.52 PCT સાથે બીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયા ત્રીજા સ્થાને છે. કાંગારૂ ટીમ પાસે 55 પીસીટી છે. આ હાર બાદ ઈંગ્લેન્ડની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. તે પોઈન્ટ ટેબલમાં 8મા સ્થાને પહોંચી ગઈ છે. તેના ખાતામાં માત્ર 21.87 PCT  છે. રાજકોટ ટેસ્ટમાં પણ સ્લો ઓવર રેટના કારણે ઈંગ્લેન્ડને WTC પોઈન્ટનું મોટું નુકસાન થયું હતું. તેને 19 પોઈન્ટનું નુકસાન સહન કરવું પડ્યું હતું.

ભારતીય ટીમ WTCના વર્તમાન ચક્રમાં અત્યાર સુધીમાં 7 મેચ રમી છે. જેમાંથી ચારમાં તેણે જીત મેળવી છે અને બેમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ ઈન્ડિયાની એક મેચ ડ્રો રહી છે. આ વખતે ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસથી તેની WTC સફરની શરૂઆત કરી હતી. ટીમ ઈન્ડિયાએ તે બે મેચની શ્રેણીમાં 1-0થી જીત મેળવી હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-1થી ડ્રો રહી હતી. તે જ સમયે, ઇંગ્લેન્ડ સામેની વર્તમાન શ્રેણીમાં ટીમ ઇન્ડિયા 2-1થી આગળ છે.

રાજકોટ ટેસ્ટમાં શાનદાર જીત
ભારતીય ટીમે રાજકોટમાં ઈંગ્લેન્ડને 434 રનથી હરાવ્યું હતું. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં રનના મામલે ભારતની આ સૌથી મોટી જીત હતી. આ મેચમાં રવિન્દ્ર જાડેજા 'પ્લેયર ઓફ ધ મેચ' તરીકે પસંદ કર્યો હતો. તેણે આ મેચમાં 112 રનની ઇનિંગ પણ રમી હતી અને કુલ 7 વિકેટ પણ લીધી હતી. રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ અને સરફરાઝ ખાને પણ જોરદાર પ્રદર્શન કર્યું હતું. રોહિતે પ્રથમ દાવમાં સદી ફટકારી હતી, જ્યારે યશસ્વીએ ત્રીજી ઇનિંગમાં બેવડી સદી ફટકારી હતી. સરફરાઝે ભારતની બંને ઇનિંગ્સમાં ઝડપી અડધી સદી ફટકારી હતી.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Virat Kohli Replacement: કોહલીના સ્થાન પર વન-ડે ટીમમાં કોણ થશે સામેલ ? આ ખેલાડી છે મજબૂત દાવેદાર
Virat Kohli Replacement: કોહલીના સ્થાન પર વન-ડે ટીમમાં કોણ થશે સામેલ ? આ ખેલાડી છે મજબૂત દાવેદાર
ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણીમાંથી બહાર, જાણો કારણ
ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણીમાંથી બહાર, જાણો કારણ
T20 Captain: સૂર્યકુમાર પછી કોણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો T20 કેપ્ટન? 3 IPL ચેમ્પિયન સહિત 5 દાવેદાર
T20 Captain: સૂર્યકુમાર પછી કોણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો T20 કેપ્ટન? 3 IPL ચેમ્પિયન સહિત 5 દાવેદાર
આજના દિવસે શેન વોર્ને ફેક્યો હતો ક્રિકેટ જગતનો 'બોલ ઓફ ધ સેન્ચ્યુરી', જુઓ વીડિયો
આજના દિવસે શેન વોર્ને ફેક્યો હતો ક્રિકેટ જગતનો 'બોલ ઓફ ધ સેન્ચ્યુરી', જુઓ વીડિયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
Monsoon Updates: કેરળમાં મોનસૂનની એન્ટ્રી, વરસાદનું ઓરેંજ એલર્ટ, 24 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
Monsoon Updates: કેરળમાં મોનસૂનની એન્ટ્રી, વરસાદનું ઓરેંજ એલર્ટ, 24 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
Gold Price: સોનાના ભાવમાં રેકોર્ડ વધારો, રોકાણ અથવા ખરીદી કરતા પહેલા જાણી લો આ જરૂરી વાતો
Gold Price: સોનાના ભાવમાં રેકોર્ડ વધારો, રોકાણ અથવા ખરીદી કરતા પહેલા જાણી લો આ જરૂરી વાતો
Embed widget