શોધખોળ કરો

લોર્ડ્સમાં ભારતની હારના 2 મોટા કારણો, ગંભીરના એક નિર્ણયે જીતેલી મેચ છીનવી લીધી

રોહિત શર્માની શાનદાર સદી અને ગિલ-કોહલીની ધમાકેદાર બેટિંગ છતાં, બેટિંગ ઓર્ડરમાં ફેરફાર અને કુલદીપ યાદવને ન રમાડવાનો નિર્ણય ટીમ ઈન્ડિયાને ભારે પડ્યો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • લોર્ડ્સ વનડેમાં ભારત 27 રને હાર્યું, સીરીઝ ગુમાવી.
  • રોહિત શર્માના 138 રન છતાં ભારતીય ટીમ લક્ષ્ય ચૂકી.
  • નંબર 4 પર ઇશાન કિશનને મોકલવાનો નિર્ણય ભારે પડ્યો.
  • કુલદીપ યાદવને બહાર રાખવાનો નિર્ણય ટીમને નડ્યો.

ind vs eng lords odi: ક્રિકેટ ચાહકો માટે રવિવારનો દિવસ નિરાશાજનક રહ્યો. લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાયેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી અને નિર્ણાયક વનડે મેચમાં ટીમ ઈન્ડિયાનો 27 રને પરાજય થયો છે. આ સાથે જ 1.4 અબજ ભારતીયોના દિલ તૂટી ગયા હતા. ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા 387 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો, જેના જવાબમાં ભારતીય ટીમ લડાયક પ્રદર્શન છતાં 360 રન જ બનાવી શકી. એક સમયે કેપ્ટન રોહિત શર્માની શાનદાર સદીના સહારે ભારત જીત તરફ આગળ વધી રહ્યું હતું, પરંતુ કોચ ગૌતમ ગંભીરના બેટિંગ ઓર્ડરમાં ફેરફારના પ્રયોગ અને પ્લેઇંગ ઇલેવનમાં એક મોટી ભૂલના કારણે ટીમ ઈન્ડિયાના હાથમાંથી જીત છીનવાઈ ગઈ. ચાલો સમજીએ કે મેચમાં શું થયું અને કયા બે નિર્ણયોને કારણે ભારતે આ ઐતિહાસિક જીત ગુમાવી.

રોહિત શર્માની ઐતિહાસિક ઇનિંગ પર ફરી વળ્યું પાણી

ઇંગ્લેન્ડે આપેલા 388 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે મજબૂત શરૂઆત કરી હતી. કેપ્ટન શુભમન ગિલ અને 'હિટમેન' રોહિત શર્માએ પહેલી વિકેટ માટે 24.2 ઓવરમાં જ 147 રનની શાનદાર ભાગીદારી નોંધાવી હતી. ગિલે 84 બોલમાં 10 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 77 રન ફટકાર્યા હતા. ગિલના આઉટ થયા બાદ પોતાની કારકિર્દીની 400મી મેચ રમી રહેલા વિરાટ કોહલીએ રોહિત સાથે મળીને બાજી સંભાળી હતી અને બંનેએ શાનદાર સદીની ભાગીદારી નોંધાવી.

ભારતીય ટીમનો સ્કોર જ્યારે 39મી ઓવરમાં 260 રન હતો ત્યારે રોહિત શર્મા આઉટ થયો હતો. રોહિતે માત્ર 110 બોલમાં 17 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 138 રનની યાદગાર ઇનિંગ રમી હતી. વિશેષ વાત એ છે કે, લોર્ડ્સના મેદાન પર ભારતીય ટીમ તરફથી આ પહેલી સદી હતી.

પ્રથમ ભૂલ: ગંભીરનો પ્રયોગ નિષ્ફળ, નંબર 4 પર ઈશાન કિશનને ઉતારવો

મેચનો ટર્નિંગ પોઈન્ટ રોહિત શર્માની વિકેટ પડ્યા પછી આવ્યો. શ્રેયસ ઐયર લાંબા સમયથી વનડેમાં નંબર 4 પર બેટિંગ કરતો આવ્યો છે અને તે આ પોઝિશન માટે પૂરી રીતે સેટ છે. છતાં ટીમ મેનેજમેન્ટે બીજી અને ત્રીજી વનડેમાં ઐયરની જગ્યાએ ઈશાન કિશનને નંબર 4 પર રમવા ઉતાર્યો. આ પ્રયોગ તદ્દન નિષ્ફળ રહ્યો. ઈશાન 12 બોલમાં માત્ર 14 રન જ બનાવી શક્યો અને પેવેલિયન ભેગો થયો. નિર્ણાયક સમયે જો શ્રેયસ ઐયર મેદાનમાં આવ્યો હોત તો કદાચ મેચનું પરિણામ કંઈક અલગ હોત. ભારતની હારનું આ સૌથી મોટું કારણ સાબિત થયું.

આ પણ વાંચોઃ લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી: 15 બાઉન્ડ્રી ફટકારી ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ

બીજી ભૂલ: કુલદીપ યાદવને બહાર રાખવાનો નિર્ણય મોંઘો પડ્યો

ભારતની બીજી સૌથી મોટી ભૂલ પ્લેઇંગ ઇલેવનની પસંદગીમાં રહી. આ નિર્ણાયક મેચમાં મેનેજમેન્ટે અનુભવી સ્પિનર કુલદીપ યાદવને પડતો મૂક્યો હતો. બીજી તરફ ઇંગ્લેન્ડના સ્પિનર્સે ભારતીય બેટ્સમેનોને ખૂબ પરેશાન કર્યા અને રન ગતિ પર બ્રેક લગાવી. અહીં સુધી કે તેમના પાર્ટ-ટાઇમ સ્પિનર જેકબ બેથેલે પણ ભારતીય બેટ્સમેનો માટે મુશ્કેલીઓ ઊભી કરી હતી. પીચ પર સ્પિનર્સને મળતી મદદ જોતા સ્પષ્ટ થાય છે કે જો કુલદીપ યાદવ ટીમમાં હોત, તો તે પોતાની ફિરકીથી ઇંગ્લિશ બેટ્સમેનોને ચોક્કસપણે ફસાવી શક્યો હોત અને ઇંગ્લેન્ડને 387 રનના આટલા મોટા સ્કોર સુધી પહોંચતા અટકાવી શકાયું હોત.

આ પણ વાંચોઃ લોર્ડ્સમાં વિરાટ કોહલી તોડશે સચિનનો 19 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ! માત્ર આટલા રનની જરૂર

Frequently Asked Questions

લોર્ડ્સમાં રમાયેલી ભારત-ઇંગ્લેન્ડ વનડે મેચનું પરિણામ શું આવ્યું?

લોર્ડ્સમાં રમાયેલી ત્રીજી અને નિર્ણાયક વનડે મેચમાં ટીમ ઇન્ડિયાનો ઇંગ્લેન્ડ સામે 27 રને પરાજય થયો હતો. ઇંગ્લેન્ડે આપેલા 387 રનના લક્ષ્યાંક સામે ભારત 360 રન જ બનાવી શક્યું.

ભારતીય ટીમના પરાજયના મુખ્ય કારણો શું હતા?

કોચ ગૌતમ ગંભીરના બેટિંગ ઓર્ડરમાં ફેરફાર (નંબર 4 પર ઇશાન કિશનને ઉતારવો) અને કુલદીપ યાદવને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રાખવાના નિર્ણયોને હારના મુખ્ય કારણો ગણાવવામાં આવ્યા છે.

રોહિત શર્માએ મેચમાં કેવું પ્રદર્શન કર્યું?

કેપ્ટન રોહિત શર્માએ 110 બોલમાં 138 રનની યાદગાર ઇનિંગ રમી, જેમાં 17 ચોગ્ગા અને 5 છગ્ગા સામેલ હતા. લોર્ડ્સના મેદાન પર ભારતીય ટીમ તરફથી આ પ્રથમ સદી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Advertisement

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
Embed widget