IND vs NZ, 1st Test, Day 3: ટીમ ઈન્ડિયાનો વિકેટકિપર સાહા કેમ નથી કરી રહ્યો કિપિંગ, તેના બદલે ક્યો ખેલાડી કરી રહ્યો છે વિકેટકિપિંગ, જાણો વિગત
IND vs NZ, 1st Test, Day 3: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસની રમત શરૂ થઈ ગઈ છે. ત્રીજા દિવસે ભારતનો રેગ્યુલર વિકેટકિપર રિદ્ધિમાન સાહા વિકેટકિપિંગ કરવા આવ્યો નથી.
![IND vs NZ, 1st Test, Day 3: ટીમ ઈન્ડિયાનો વિકેટકિપર સાહા કેમ નથી કરી રહ્યો કિપિંગ, તેના બદલે ક્યો ખેલાડી કરી રહ્યો છે વિકેટકિપિંગ, જાણો વિગત IND vs NZ, 1st Test, Day 3: Wriddhiman Saha has stiffness in his neck and KS Bharat will be keeping wickets in his absence IND vs NZ, 1st Test, Day 3: ટીમ ઈન્ડિયાનો વિકેટકિપર સાહા કેમ નથી કરી રહ્યો કિપિંગ, તેના બદલે ક્યો ખેલાડી કરી રહ્યો છે વિકેટકિપિંગ, જાણો વિગત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/24/5c3fd52a160d9fbf3b35946af6b20b90_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
IND vs NZ, 1st Test, Day 3: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસની રમત શરૂ થઈ ગઈ છે. ત્રીજા દિવસે ભારતનો રેગ્યુલર વિકેટકિપર રિદ્ધિમાન સાહા વિકેટકિપિંગ કરવા આવ્યો નથી. તેને ગરદનમાં કોઈ સમસ્યા થઈ હોવાથી કેએસ ભરત વિકેટકિપિંગ કરી રહ્યો છે. કેએસ ભરતે હજુ સુધી એક પણ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી.
ન્યૂઝીલેન્ડ હજુ ૨૧0 રન પાછળ
UPDATE - Wriddhiman Saha has stiffness in his neck. The BCCI medical team is treating him and monitoring his progress. KS Bharat will be keeping wickets in his absence.#INDvNZ @Paytm
— BCCI (@BCCI) November 27, 2021
ન્યૂઝીલેન્ડ ભારતના સ્કોરથી હજુ ૨૧0 રન પાછળ છે અને તેઓની તમામ વિકેટ અંકબંધ છે. હજુ કેન વિલિયમસન અને રોસ ટેલર જેવા અનુભવી અને મોટી ઇનિંગ રમી શકે તેવા બેટ્સમેન બાકી છે.
બીજા દિવસે ન્યૂઝીલેન્ડનો દબદબો
ન્યૂઝીલેન્ડનાં યંગ (૭૫ રન, ૧૮૦ બોલ, ૧૨ ચોગ્ગા) અને લાથમે (૫૦ રન, ૧૬૫ બોલ, ચાર ચોગ્ગા) પ્રથમ ટેસ્ટના બીજા દિવસની રમતના અંતે ૧૨૯ રનની અણનમ ઓપનિંગ ભાગીદારી કરી હતી. ભારત ગઈકાલના ૪ વિકેટે ૨૫૮ રનથી આગળ રમતા ધાર્યા પ્રમાણેનો મોટો સ્કોર મોટો સ્કોર બનાવે તેમ લાગતું હતું પણ પ્રથમ ઇનિંગમાં ૩૪૫ રને ઓલ આઉટ થયું હતું. એટલેકે બીજા દિવસે ભારતે વધુ ૮૭ રન જ ઉમેરી છ વિકેટ ગુમાવી હતી. ભારત માટે શ્રેયસ ઐયરે તેની કારકિર્દીની પ્રથમ ટેસ્ટ રમતા સદી ફટકારી હતી.
પ્રથમ દિવસે ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ગુરુવાર બે ટેસ્ટ મેચની સીરિઝનો પ્રારંભ થયો છે. કાનપુરમાં રમાઈ રહેલી પ્રથમ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો હતો. પ્રથમ દિવસના અંતે ભારતે 4 વિકેટના નુકસાન પર 258 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજા 50 અને ડેબ્યૂમેન શ્રેયસ અય્યર 75 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી જેમિસને 3 અને સાઉથીએ 1 વિકેટ લીધી હતી.
ત્રણ સ્પિનર્સ સાથે ઉતર્યું ભારત
ભારત મેચમાં ત્રણ સ્પીનર્સ સાથે ઉતર્યું છે. ભારતીય ટીમ આ પ્રમાણે છેઃ શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, શ્રેયસ અય્યર, રિદ્ધિમાન સાહા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ઈશાંત શર્મા, ઉમેશ યાદવ
ન્યૂઝીલેન્ડની ટીમ આ પ્રમાણે છે
ટોમ લાથમ, વિલ યંગ, કેન વિલિયમસન, રોસ ટેલર, હેન્રી નિકોલસ, ટોમ બ્લન્ડેલ, રચિન રવિન્દ્ર, ટીમ સાઉથી. એઝાઝ પટેલ, કાયલી જેમિસન, વિલિયમ સોમેરવિલે
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)