શોધખોળ કરો

IND vs NZ : ન્યુઝીલેન્ડમાં શાનદાર પ્રદર્શનને લઈ સૂર્યકુમાર યાદવે રહસ્ય ખોલતા કહ્યું કે...

સુર્યકુમાર યાદવના આ પ્રદર્શનની દેશ જ નહીં વિદેશના ક્રિકેટરો પણ ભારોભાર પ્રસંશા કરી રહ્યાં છે. તો યાદવના કરોડો ચાહકો પણ બન્યા છે. પોતાની આ રમતને લઈને સુર્યકુમાર યાદવે દિલ ખોલીને વાતચીત કરી હતી.

Suryakumar Yadav On His Batting: તાજેતરમાં જ સંપન્ન થયેલા T-20 વર્લ્ડકપ અને ત્યાર બાદ ન્યુઝીલેન્ડ સામે રમાયેલી 3 મેચોની T-20 શ્રેણીમાં સૂર્યકુમાર યાદવે શાનદાર પ્રદર્શન કર્યું હતું. સૂર્યુકુમાર યાદવે ન્યુઝીલેન્ડ સામેની બીજી ટી-20 મેચમાં શાનદાર 111 રન કર્યા હતાં. આ શ્રેણીમાં યાદવ પ્લેયર ઓફ ધ સિરીઝ રહ્યો હતો. ભારતે 3 મેચોની આ T-20 શ્રેણી 1-0થી જીતી લીધી હતી. 

સુર્યકુમાર યાદવના આ પ્રદર્શનની દેશ જ નહીં વિદેશના ક્રિકેટરો પણ ભારોભાર પ્રસંશા કરી રહ્યાં છે. તો યાદવના કરોડો ચાહકો પણ બન્યા છે. પોતાની આ રમતને લઈને સુર્યકુમાર યાદવે દિલ ખોલીને વાતચીત કરી હતી.  

સૂર્યાએ કહ્યું કે... 

નેપિયરમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી T20 મેચ ટાઈ રહી હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા યજમાન ટીમે 19.4 ઓવરમાં ઓલઆઉટ થયા બાદ 160 રન બનાવ્યા હતા. વરસાદને કારણે જ્યારે 9 ઓવર પછી રમત બંધ કરવામાં આવી ત્યારે ભારતે 4 વિકેટે 75 રન બનાવ્યા હતા. ડકવર્થ લુઈસ નિયમના આધારે બંને ટીમનો સ્કોર બરાબર હતો. તેથી જ આ મેચ ટાઈ રહી, ભારતે ટી20 શ્રેણીમાં ન્યુઝીલેન્ડને 1-0થી હટાવી દીધું. આ શ્રેણીમાં સૂર્યકુમાર યાદવે ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. આ મેચમાં એક સમયે ભારતે 21 રનમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ સંઘર્ષ કરવો પડી રહ્યો હતો. આવી સ્થિતિમાં સૂર્યકુમાર યાદવે કેપ્ટન હાર્દિક પંડ્યા સાથે 39 રનની ભાગીદારી કરીને સ્કોર 50 સુધી પહોંચાડ્યો હતો. 

સૂર્યકુમાર યાદવે કહ્યું હતું કે, હવામાન આપણા નિયંત્રણમાં નથી. જ્યારે પ્રદર્શનનું દબાણ હંમેશા હોય જ છે. જ્યારે તે યોગ્ય પ્રદર્શન ના કરે તો તેને આનંદ નથી આવતો. તેણે વધુમાં કહ્યું હતું કે, હું મારી બેટિંગનો આનંદ લઈ રહ્યો છું. હું કોઈ બોજ વહન કરતો નથી. યાદવે T20 શ્રેણીમાં 124 રન બનાવ્યા હતા. માઉન્ટ મૌનગાનુઇમાં રમાયેલી બીજી મેચમાં તેણે 111 રનની તોફાની ઇનિંગ રમી હતી. જ્યારે ત્રીજી મેચમાં 13 રન બનાવ્યા હતા. વરસાદના કારણે પ્રથમ મેચ રમાઈ ન હતી. T20 શ્રેણીમાં તેના જોરદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

ભારતે શ્રેણી 1-0થી જીતી લીધી હતી

ભારતે ટી-20 શ્રેણીમાં ન્યૂઝીલેન્ડને 1-0થી હરાવ્યું હતું. વેલિંગ્ટનમાં 18 નવેમ્બરે રમાનારી મેચ વરસાદના કારણે રમાઈ ન હતી. આ મેચમાં એક પણ બોલ ફેંકવામાં આવ્યો ન હતો. જ્યારે માઉન્ટ મૌનગાનુઈ ખાતે રમાયેલી બીજી મેચમાં ભારતે કિવિઓને 65 રનથી હરાવ્યું હતું. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 6 વિકેટે 191 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી કીવી ટીમ 126 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જ્યારે નેપિયરમાં રમાયેલી મેચ ટાઈ રહી હતી. આ રીતે ભારતે ટી-20 શ્રેણી 1-0થી કબજે કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ગરમીનો કહેર: સુરેન્દ્રનગરમાં પારો 45.5°C ને પાર, જાણો ક્યારે મળશે મોટી રાહત?
ગુજરાતમાં ગરમીનો કહેર: સુરેન્દ્રનગરમાં પારો 45.5°C ને પાર, જાણો ક્યારે મળશે મોટી રાહત?
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદ મનપાના ફુડ વિભાગની કાર્યવાહી, અખાદ્ય હળદર, કાજુનો જથ્થો કર્યો જપ્તAhmedabad Municipal Corporation's Food Department's action, quantity of inedible Haldar, Cashew seized.
Ahmedabad News: સાબરમતી જેલની સુરક્ષામાં મોટી ચૂક, સુરક્ષાકર્મીની સામેથી ફરાર થઈ ગયો કેદી
Gujarat Heat Wave: રાજ્યમાં ઉનાળાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, જાણો ક્યાં કેટલું નોંધાયુ તાપમાન?
NEET UG 2026 Exam Cancelled : પેપર લીકના આરોપો બાદ NEET-UG 2026 પરીક્ષા રદ
Sabarkantha news: હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ગરમીનો કહેર: સુરેન્દ્રનગરમાં પારો 45.5°C ને પાર, જાણો ક્યારે મળશે મોટી રાહત?
ગુજરાતમાં ગરમીનો કહેર: સુરેન્દ્રનગરમાં પારો 45.5°C ને પાર, જાણો ક્યારે મળશે મોટી રાહત?
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?
UPSC Recruitment 2026: UPSCએ ગ્રુપ- A અને B માટે બહાર પાડી ભરતી, મંત્રાલયમાં મળશે પોસ્ટિંગ
UPSC Recruitment 2026: UPSCએ ગ્રુપ- A અને B માટે બહાર પાડી ભરતી, મંત્રાલયમાં મળશે પોસ્ટિંગ
8th Pay Commission: કર્મચારી યુનિયનોની મોટી માંગ, 3ના બદલે 5 સભ્યોના આધારે નક્કી થાય પગાર
8th Pay Commission: કર્મચારી યુનિયનોની મોટી માંગ, 3ના બદલે 5 સભ્યોના આધારે નક્કી થાય પગાર
તમિલનાડુમાં ફ્લૉર ટેસ્ટ પહેલા બે જૂથોમાં વહેંચાઇ AIADMK, એક જૂથે વિજયની TVK ને સમર્થનનું કર્યું એલાન
તમિલનાડુમાં ફ્લૉર ટેસ્ટ પહેલા બે જૂથોમાં વહેંચાઇ AIADMK, એક જૂથે વિજયની TVK ને સમર્થનનું કર્યું એલાન
હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત, UGVCL સામે લોકોનો રોષ 
હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત, UGVCL સામે લોકોનો રોષ 
Embed widget