IND vs NZ: ટીમ ઈન્ડિયા બીજી ODI માટે હેમિલ્ટન પહોંચી, VIDEOમાં જુઓ અર્શદીપ સિંહનો 'ભાંગડા' ડાન્સ
હવે શ્રેણીની બીજી મેચ રવિવારે રમાશે. શિખર ધવનની કપ્તાનીવાળી ભારતીય ટીમ માટે બીજી મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.
![IND vs NZ: ટીમ ઈન્ડિયા બીજી ODI માટે હેમિલ્ટન પહોંચી, VIDEOમાં જુઓ અર્શદીપ સિંહનો 'ભાંગડા' ડાન્સ IND vs NZ: Team India reached Hamilton for second ODI, see Arshdeep Singh's 'Bhangra' dance in VIDEO IND vs NZ: ટીમ ઈન્ડિયા બીજી ODI માટે હેમિલ્ટન પહોંચી, VIDEOમાં જુઓ અર્શદીપ સિંહનો 'ભાંગડા' ડાન્સ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/26/25c2ce4029f0018276101d135f11c768166944645757275_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
New Zealand vs India, 2nd ODI: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ODI શ્રેણીની બીજી મેચ હેમિલ્ટનમાં રમાશે. આ માટે ટીમ ઈન્ડિયા હેમિલ્ટન પહોંચી ગઈ છે. ભારતીય ખેલાડીઓનું ત્યાં રસપ્રદ રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં અર્શદીપ સિંહ ભાંગડા સ્ટેપ કરતો જોવા મળી રહ્યો છે. ભારતીય ટીમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.
BCCIએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ બસમાંથી નીચે ઉતરતા જોવા મળે છે. આ દરમિયાન અર્શદીપની રસપ્રદ સ્ટાઈલ જોવા મળી હતી. તે ભાંગડા સ્ટેપ કરતો જોવા મળ્યો હતો. અર્શદીપની સાથે ઉમરાન મલિક અને સંજુ સેમસન પણ જોવા મળ્યા હતા.
વનડે શ્રેણીની પ્રથમ મેચમાં ભારતને 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે શ્રેણીની બીજી મેચ રવિવારે રમાશે. શિખર ધવનની કપ્તાનીવાળી ભારતીય ટીમ માટે બીજી મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. અત્યારે ન્યૂઝીલેન્ડ શ્રેણીમાં 1-0થી આગળ છે. તેથી શ્રેણીમાં પરત ફરવા માટે ભારતે હેમિલ્ટન વનડે જીતવી પડશે.
Hello from Hamilton 👋📍#TeamIndia | #NZvIND pic.twitter.com/AHskNav1Vm
— BCCI (@BCCI) November 26, 2022
ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. અહીં બંને ટીમો વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણી રમાઈ હતી. ભારતે આ શ્રેણી 1-0થી જીતી હતી. શ્રેણીની બે મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી. આ શ્રેણી બાદ ત્રણ મેચોની વનડે શ્રેણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ન્યૂઝીલેન્ડે પ્રથમ વનડે 7 વિકેટે જીતી હતી. હવે બીજી વનડે રમાશે. આ પછી ત્રીજી મેચ 30 નવેમ્બરે રમાશે.
ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણીની પ્રથમ મેચમાં ભારતને 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 307 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ન્યૂઝીલેન્ડે 47.1 ઓવરમાં માત્ર 3 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. ટોમ લાથમ અને કેન વિલિયમસન ભારતની હારનું સૌથી મોટું કારણ બન્યા. ભારતીય બોલરો આ બંને વચ્ચેની ભાગીદારીને તોડવામાં નિષ્ફળ રહ્યા હતા. સારી શરૂઆત છતાં ટીમ ઈન્ડિયા મેચ હારી ગઈ હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)