શોધખોળ કરો

IND vs SA 3rd ODI: ત્રીજી વન ડેમાં અનેક બદલાવ સાથે ઉતરી શકે છે Team India, આ ખેલાડીઓની થશે હકાલપટ્ટી

IND vs SA ODI Series: ટીમ ઈન્ડિયા શરૂઆતની પ્રથમ બંને વન ડે મેચ હારીને શ્રેણી ગુમાવી ચુક્યું છે. અંતિમ મેચમાં ટીમ સાખ બચાવવા મેદાનમાં ઉતરશે.

IND vs SA 3rd ODI: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની શ્રેણીની છેલ્લી ODI મેચ કેપટાઉનના ન્યુલેન્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ (NCG) ખાતે રમાશે. યજમાનોએ પ્રથમ બે મેચ જીતીને શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી હતી. ટીમ ઈન્ડિયા છેલ્લી મેચ જીતીને ક્લીન સ્વીપથી બચવા ઈચ્છશે. અત્યાર સુધી ભારતીય ટીમના બેટ્સમેન અને બોલર બંનેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. આવી સ્થિતિમાં છેલ્લી મેચમાં ટીમમાં ઘણા ફેરફાર કરવામાં આવી શકે છે. અગાઉની મેચોમાં ફ્લોપ ગયેલા અનુભવી ખેલાડીઓને આ મેચમાં પડતો મૂકીને યુવા ખેલાડીઓને તક આપવામાં આવી શકે છે.

ભારતીય ટીમને પ્રથમ મેચમાં 31 રને હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં સારી શરૂઆત મળી હતી, પરંતુ તે પછી મિડલ ઓર્ડર સંપૂર્ણપણે પડી ભાંગ્યો અને ભારતીય ટીમ ટીમ મેચ હારી ગઈ હતી. બીજી મેચમાં મિડલ ઓર્ડરે પણ સારો દેખાવ કર્યો નહતો અને બોલરો પણ સંપૂર્ણપણે ફ્લોપ રહ્યા હતા. અત્યાર સુધી ઘણા યુવા બેટ્સમેનોને રમવાની તક મળી નથી. ટીમ મેનેજમેન્ટ છેલ્લી મેચમાં બેન્ચ સ્ટ્રેન્થ અજમાવી શકે છે.

આ ખેલાડીઓની થઈ શકે છે છુટ્ટી

પ્રથમ બે મેચમાં ફ્લોપ રહેલા શ્રેયસ અય્યરને આગામી મેચમાં પડતો મૂકવામાં આવી શકે છે. આ સિવાય ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર, સિનિયર સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલને આગામી મેચમાં પડતાં મુકવામાં આવી શકે છે. નિષ્ણાતોનું માનીએ તો જસપ્રીત બુમરાહને પણ આગામી મેચમાં આરામ આપવામાં આવી શકે છે. ત્રીજી વનડેમાં ટીમ ઈન્ડિયા 4 થી 5 ફેરફારો સાથે મેદાનમાં ઉતરી શકે છે.

આ યુવાનોને તક મળી શકે છે

યુવા બેટ્સમેન રૂતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશનને છેલ્લી મેચમાં રમવાની તક આપવામાં આવી શકે છે. આ સિવાય યુવા બોલર પ્રસિદ્ધ કૃષ્ણા વનડેમાં ડેબ્યૂ કરી શકે છે. ચહલની જગ્યાએ સ્પિનર ​​જયંત યાદવને તક આપવામાં આવી શકે છે. જો બુમરાહને આરામ આપવામાં આવે છે તો દીપક ચહર પણ છેલ્લી વનડેમાં પ્લેઈંગ ઈલેવનનો ભાગ બની શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget