શોધખોળ કરો

IND vs SA: ધર્મશાલામાં શુભમન ગિલની 'અગ્નિપરીક્ષા', પ્લેઈંગ-11 માં થઈ શકે છે 2 મોટા ફેરફાર

IND vs SA T20: સિરીઝ 1-1 થી બરાબર, કોચ ગંભીર પ્રયોગો બંધ કરી બેસ્ટ પ્લેઈંગ-11 ઉતારશે? કુલદીપ યાદવને લઈને સસ્પેન્સ યથાવત.

IND vs SA T20: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રવિવારે ધર્મશાલામાં રમાનારી ત્રીજી T20 મેચ માત્ર સિરીઝ જીતવા માટે જ નહીં, પરંતુ ભારતીય ટીમના વાઈસ-કેપ્ટન શુભમન ગિલના ભવિષ્ય માટે પણ નિર્ણાયક બની રહેવાની છે. સતત ખરાબ ફોર્મનો સામનો કરી રહેલા ગિલ માટે હવે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. જો તેનું બેટ અહીં નહીં ચાલે તો T20 વર્લ્ડ કપ પહેલા ટીમ મેનેજમેન્ટ 'પ્લાન-બી' તરફ વળી શકે છે. બીજી તરફ, ગૌતમ ગંભીરના વ્યૂહાત્મક પ્રયોગો પણ સવાલોના ઘેરામાં છે.

શુભમન ગિલ માટે 'કરો યા મરો'ની સ્થિતિ

ધર્મશાલાના મેદાન પર જ્યારે ટીમ ઈન્ડિયા ઉતરશે ત્યારે તમામની નજર શુભમન ગિલ પર હશે. T20 વર્લ્ડ કપને હવે ગણતરીના અઠવાડિયા બાકી છે અને ભારત પાસે માત્ર 8 મેચો બચી છે. આવા સમયે, વાઈસ-કેપ્ટનનું ફોર્મમાં ન હોવું ચિંતાનો વિષય છે. પસંદગી સમિતિએ સંજુ સેમસન જેવા ઇન-ફોર્મ ખેલાડીને બહાર રાખીને ગિલ પર ભરોસો મૂક્યો હતો. હવે જો ગિલ આ વિશ્વાસ પર ખરો નહીં ઉતરે, તો ન્યુઝીલેન્ડ સામેની આગામી શ્રેણીમાં યશસ્વી જયસ્વાલ કે સંજુ સેમસન માટે દરવાજા ખુલી શકે છે.

કેપ્ટન સૂર્યા સુરક્ષિત, પણ ગિલે સાબિત કરવું પડશે

છેલ્લા એક વર્ષમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવનું ફોર્મ પણ ચિંતાજનક રહ્યું છે, પરંતુ ટીમના કેપ્ટન હોવાને નાતે વર્લ્ડ કપ સુધી તેમનું સ્થાન સુરક્ષિત માનવામાં આવે છે. જોકે, શુભમન ગિલને આવી કોઈ 'રાહત' મળવાની શક્યતા નથી. T20 ઓપનર તરીકે તે ટીમની પ્રથમ પસંદગી નહોતો, તેથી તેણે પોતાના ટીકાકારોને જવાબ આપવા માટે અપવાદરૂપ પ્રદર્શન કરવું જ પડશે.

ગંભીરના 'અખતરા' પર લાગશે બ્રેક?

બીજી T20 મેચમાં મળેલી હાર બાદ કોચ ગૌતમ ગંભીરની રણનીતિની ટીકા થઈ રહી છે. ખાસ કરીને અક્ષર પટેલને નંબર-3 પર મોકલવો અને શિવમ દુબે જેવા હિટરને નંબર-8 પર ધકેલવો, આ બંને નિર્ણયો 'વ્યૂહાત્મક ભૂલ' સાબિત થયા હતા. ધર્મશાલાની નિર્ણાયક મેચમાં આવા પ્રયોગો ટાળીને સૂર્યકુમાર યાદવ પોતાના નિયત ક્રમે (નંબર-3) બેટિંગ કરવા આવે તેવી પૂરી શક્યતા છે.

શું કુલદીપ યાદવને પ્લેઈંગ-11 માં સ્થાન મળશે?

ટીમ મેનેજમેન્ટ સામે સૌથી મોટો પ્રશ્ન બોલિંગ કોમ્બિનેશનનો છે. કુલદીપ યાદવ દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનો માટે હંમેશા મુસીબત સાબિત થયો છે, છતાં તેને બહાર બેસવું પડે છે. તેનું કારણ એ છે કે ભારતને નંબર-8 પર પણ બેટિંગ કરી શકે તેવો બોલર જોઈએ છે, અને કુલદીપ અહીં ફિટ બેસતો નથી. જોકે, સિરીઝ બચાવવા માટે વિકેટ લેવી જરૂરી છે, તેથી મેનેજમેન્ટ કદાચ અર્શદીપ કે વરુણ ચક્રવર્તીને આરામ આપીને કુલદીપ અથવા હર્ષિત રાણાને તક આપી શકે છે. પણ તેની શક્યતા ઓછી દેખાઈ રહી છે.

ધર્મશાલા માટે ભારતની સંભવિત પ્લેઈંગ-11: અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, જીતેશ શર્મા (વિકેટકીપર), અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી/કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2026 એશિયા કપનું શેડ્યૂલ જાહેર, આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
2026 એશિયા કપનું શેડ્યૂલ જાહેર, આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
Shubman Gill Injury: શ્રીલંકા ટેસ્ટ સિરીઝ પહેલાં શુભમન ગિલ થયો ઘાયલ, વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન
Shubman Gill Injury: શ્રીલંકા ટેસ્ટ સિરીઝ પહેલાં શુભમન ગિલ થયો ઘાયલ, વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
શ્રીલંકા સિરીઝ પહેલાં શુભમન ગિલ સામે મોટું ટેન્શન, પ્લેઈંગ-11 પસંદ કરવી નહીં હોય આસાન
શ્રીલંકા સિરીઝ પહેલાં શુભમન ગિલ સામે મોટું ટેન્શન, પ્લેઈંગ-11 પસંદ કરવી નહીં હોય આસાન

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Embed widget