શોધખોળ કરો

IND vs WI: ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને વનડેમાં સતત 9મી વખત આપી હાર, જાણો મેચમાં કયા કયા રેકોર્ડ બન્યા

ટીમ ઈન્ડિયાએ આ મેચ 163 બોલ બાકી રહેતા પાંચ વિકેટે જીતી લીધી હતી. વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડેમાં ટીમ ઈન્ડિયાની આ સતત 9મી જીત છે.

India vs West Indies 1st ODI Records Broken: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની પ્રથમ મેચ બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ ખાતે રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 163 બોલ બાકી રહેતા પાંચ વિકેટે જીતી લીધી હતી. વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડેમાં ટીમ ઈન્ડિયાની આ સતત 9મી જીત છે. જાણો આ મેચમાં કયા અન્ય રેકોર્ડ બન્યા અને તૂટ્યા.

વનડેમાં ભારત સામે વેસ્ટ ઈન્ડિઝનો બીજો સૌથી ઓછો સ્કોર

ભારત સામેની પ્રથમ વનડેમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ માત્ર 23 ઓવરમાં 114 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ODI ક્રિકેટમાં ભારત સામે વેસ્ટ ઈન્ડિઝનો આ બીજો સૌથી ઓછો સ્કોર છે. અગાઉ 2018માં તિરુવનંતપુરમમાં રમાયેલી ODIમાં વેસ્ટ ઈન્ડિઝને ટીમ ઈન્ડિયાએ માત્ર 104 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું.

26 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

ભારત વિરૂદ્ધ પ્રથમ વનડેમાં બનાવેલ 114 રનનો સ્કોર વેસ્ટ ઈન્ડિઝનો ટીમ ઈન્ડિયા સામે પોતાના ઘરે સૌથી ઓછો સ્કોર છે. અગાઉ 1997માં પોર્ટ ઓફ સ્પેનમાં ભારત સામે વેસ્ટ ઈન્ડિઝની ટીમ 121 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ભારતીય બોલરોએ 26 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે.

5 વિકેટ પડ્યા બાદ બીજી સૌથી મોટી જીત

ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝના 115 રનના લક્ષ્યને 23મી ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ODI ક્રિકેટના ઈતિહાસમાં પાંચ વિકેટ પડ્યા બાદ બોલ બાકી રહેવાની દ્રષ્ટિએ આ બીજી સૌથી મોટી જીત છે. ભારતે 163 બોલ પહેલા મેચ જીતી લીધી હતી. અગાઉ 2013માં શ્રીલંકાએ ઓસ્ટ્રેલિયા સામે 180 બોલ બાકી રહેતા મેચ જીતી હતી.

ભારત સામેની વનડેમાં વેસ્ટ ઈન્ડિઝનો સૌથી ઓછો સ્કોર

  • તિરુવનંતપુરમ 2018માં 104 રન
  • 2023માં 114 રન, બ્રિજટાઉન
  • 1997માં પોર્ટ ઓફ સ્પેનમાં 121 રન
  • 1993માં કોલકાતામાં 123 રન
  • પર્થમાં 1991માં 126 રન

સ્પિનરોએ ટીમ ઈન્ડિયાને જીત અપાવી

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ 23 ઓવરમાં માત્ર 114 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત માટે સ્પિનરોએ કુલ સાત વિકેટ ઝડપી હતી. જેમાં કુલદીપ યાદવે ચાર અને રવિન્દ્ર જાડેજાએ ત્રણ વિકેટ ઝડપી હતી. જવાબમાં ભારતીય ટીમે ઈશાન કિશનની અડધી સદીની મદદથી 22.5 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
Embed widget