શોધખોળ કરો

IND vs BAN: યુવા ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને હરાવ્યું,રિંકુ-નીતીશના તોફાન પછી બોલરોએ વર્તાવ્યો કહેર

IND vs BAN 2nd T20 Highlights: ભારતે બીજી T20 મેચ 86 રનથી જીતી લીધી છે. ભારતે ત્રણ મેચની આ શ્રેણી 2-0થી જીતી લીધી છે.

India beats Bangladesh second T20 by 86 runs: ભારતે બીજી T20 મેચમાં બાંગ્લાદેશને 86 રનથી હરાવ્યું છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની T20 શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. આ મેચમાં ભારત તરફથી નીતિશ કુમાર રેડ્ડી (Nitish Kumar Reddy) અને રિંકુ સિંહ ચમક્યા હતા. નીતીશે 74 રનની અડધી સદી અને રિંકુ(Rinku Singh)એ 53 રનની અડધી સદીની ઇનિંગ રમી હતી. ત્યારપછી ભારતે બોલિંગમાં પણ પોતાની તાકાત દેખાડી અને મહેમાન ટીમને માત્ર 135 રન પર જ રોકી દીધી. ઘરઆંગણે ભારતની આ સતત 7મી T20 શ્રેણી જીત છે.

મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. શરૂઆતમાં, કેપ્ટન નઝમુલ શાંતોનો નિર્ણય ઘણો સારો સાબિત થયો કારણ કે ભારતે 41ના સ્કોર પર 3 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ અહીંથી નીતિશ કુમાર રેડ્ડી અને રિંકુ સિંહે માત્ર 48 બોલમાં 108 રન બનાવ્યા હતા. તેમની 108 રનની ભાગીદારીના કારણે ભારતીય ટીમ મેચમાં ડ્રાઇવિંગ સીટ પર હતી. હાર્દિક પંડ્યાએ 32 રન બનાવ્યા અને અંતે રિયાન પરાગની 6 બોલમાં 15 રનની કેમિયો ઈનિંગ પણ ભારતને 221ના સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી.

ભારતીય બોલરોએ કહેર વર્તાવ્યો
બાંગ્લાદેશની ટીમ જ્યારે 222 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરી ત્યારે ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. 46નો સ્કોર થયો ત્યાં સુધીમાં મુલાકાતી ટીમના ચાર બેટ્સમેન પેવેલિયન પરત ફર્યા હતા. મહમુદુલ્લાહ અને મેહદી હસન મિરાજે ચોક્કસપણે 38 રન ઉમેર્યા હતા. મહમુદુલ્લાહે 39 બોલમાં 41 રન બનાવ્યા અને ટીમ તરફથી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ રહ્યો, જ્યારે મેહદી હસન મિરાઝે 16 રન બનાવ્યા. 5મી વિકેટ પડ્યા બાદ બાંગ્લાદેશે સતત અંતરાલમાં વિકેટો ગુમાવી હતી. બાંગ્લાદેશની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં માત્ર 135 રન જ બનાવી શકી અને 86 રનથી મેચ હારી ગઈ.

ટીમ ઈન્ડિયા તરફથી બોલિંગમાં નીતિશ રેડ્ડી અને વરુણ ચક્રવર્તીએ બે-બે વિકેટ લીધી હતી. અર્શદીપ સિંહ, વોશિંગ્ટન સુંદર, અભિષેક શર્મા, મયંક યાદવ અને રિયાન પરાગ, આ બધાએ એક-એક વિકેટ લઈને બાંગ્લાદેશની બેટિંગ લાઇન-અપની કમર તોડી નાખી હતી.

આ પણ વાંચો...

Ranji Trophy: હવે આ દિગ્ગજ માટે ટીમ ઈન્ડિયામાં પરત આવવું અશક્ય છે! રણજી ટ્રોફી માટે તેની અવગણના કરવામાં આવી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ratan Tata Death: દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા
Ratan Tata Death: દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા
Haryana Election: કોંગ્રેસનો મોટો આરોપ-EVM માં થયો ખેલ, આવતા 48 કલાકમાં....
Haryana Election: કોંગ્રેસનો મોટો આરોપ-EVM માં થયો ખેલ, આવતા 48 કલાકમાં....
Ratan Tata Heath Update: દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાની હાલત નાજુક, ICUમાં ચાલી રહી છે સારવાર
Ratan Tata Heath Update: દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાની હાલત નાજુક, ICUમાં ચાલી રહી છે સારવાર
PMGKAY: ડિસેમ્બર 2028 સુધી ગરીબોને મળતું રહેશે મફત અનાજ, કેબિનેટનો મહત્વનો નિર્ણય
PMGKAY: ડિસેમ્બર 2028 સુધી ગરીબોને મળતું રહેશે મફત અનાજ, કેબિનેટનો મહત્વનો નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | અંધશ્રદ્ધાની ગોળીHun To Bolish | હું તો બોલીશ | ગુજરાતમાં યુ.પી.વાળી!Ambalal Patel Forecast | ગુજરાત પર વાવાઝોડાનું જોખમ:અંબાલાલ પટેલની  મોટી આગાહીMehsana News | સ્કૂલમાં કરંટ લાગતા વિદ્યાર્થીનું મોત, પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઈંકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ratan Tata Death: દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા
Ratan Tata Death: દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા
Haryana Election: કોંગ્રેસનો મોટો આરોપ-EVM માં થયો ખેલ, આવતા 48 કલાકમાં....
Haryana Election: કોંગ્રેસનો મોટો આરોપ-EVM માં થયો ખેલ, આવતા 48 કલાકમાં....
Ratan Tata Heath Update: દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાની હાલત નાજુક, ICUમાં ચાલી રહી છે સારવાર
Ratan Tata Heath Update: દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાની હાલત નાજુક, ICUમાં ચાલી રહી છે સારવાર
PMGKAY: ડિસેમ્બર 2028 સુધી ગરીબોને મળતું રહેશે મફત અનાજ, કેબિનેટનો મહત્વનો નિર્ણય
PMGKAY: ડિસેમ્બર 2028 સુધી ગરીબોને મળતું રહેશે મફત અનાજ, કેબિનેટનો મહત્વનો નિર્ણય
IND vs BAN: યુવા ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને હરાવ્યું,રિંકુ-નીતીશના તોફાન પછી બોલરોએ વર્તાવ્યો કહેર
IND vs BAN: યુવા ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને હરાવ્યું,રિંકુ-નીતીશના તોફાન પછી બોલરોએ વર્તાવ્યો કહેર
Tabibi Shikshak: તબીબી શિક્ષકો માટે સરકારનો હિતકારી નિર્ણય, માસિક પગારમાં કર્યો આટલો વધારો
Tabibi Shikshak: તબીબી શિક્ષકો માટે સરકારનો હિતકારી નિર્ણય, માસિક પગારમાં કર્યો આટલો વધારો
Delhi CM Residence: દિલ્હીના CM આવાસને કરવામાં આવ્યું સીલ, PWDએ લગાવ્યું તાળું, જાણો શું છે મામલો
Delhi CM Residence: દિલ્હીના CM આવાસને કરવામાં આવ્યું સીલ, PWDએ લગાવ્યું તાળું, જાણો શું છે મામલો
Diwali 2024: જો દિવાળી પર આ જીવ તમારા ઘરમાં જોવા મળી જાય તો સમજો તમારી કિસ્મત ચમકી ગઈ
Diwali 2024: જો દિવાળી પર આ જીવ તમારા ઘરમાં જોવા મળી જાય તો સમજો તમારી કિસ્મત ચમકી ગઈ
Embed widget