શોધખોળ કરો

IND vs SL: શ્રીલંકા પ્રવાસને લઈને સામે આવ્યા 4 મોટા અપડેટ, વિરાટ-રોહિતની વાપસીને લઈને સામે આવી મોટી જાણકારી

Team India for Sri Lanka Tour: ભારતનો શ્રીલંકા પ્રવાસ 27 જુલાઈથી શરૂ થશે અને 7 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. આ સીરીઝને લઈને અત્યાર સુધીમાં ચાર મોટા અપડેટ્સ સામે આવ્યા છે.

Team India for Sri Lanka Tour: ભારતનો શ્રીલંકા પ્રવાસ 27 જુલાઈથી શરૂ થઈ રહ્યો છે. અહીં ટીમ ઈન્ડિયાએ  3 T20 અને 3 ODI મેચ રમવાની છે. એક તરફ એવું માનવામાં આવે છે કે સિનિયર ખેલાડીઓ આ પ્રવાસમાં નહીં રમે, તો બીજી તરફ ટી20 ટીમમાં કેપ્ટનને લઈને વિવાદ ચાલી રહ્યો છે. મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરનો પણ આ પ્રથમ ટાસ્ક હશે, તેથી શ્રીલંકા સામેની શ્રેણી ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. હવે ક્રિકબઝના એક રિપોર્ટમાં ટીમ ઈન્ડિયાની ટીમને લઈને 4 મોટા અપડેટ્સ સામે આવ્યા છે.

રોહિત શર્મા વનડે શ્રેણીમાં રમી શકે છે
T20માંથી નિવૃત્તિ લઈ ચુકેલા રોહિત શર્મા હાલ યુએસએમાં રજાઓ માણી રહ્યા છે. જો અહેવાલોનું માનીએ તો, રોહિત તેની રજાઓની સીઝન ટૂંક સમયમાં સમાપ્ત કરી શકે છે અને શ્રીલંકા સામે વનડે શ્રેણી રમી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટીમની પસંદગી પહેલા જ રોહિત પસંદગી સમિતિને તેની ઉપલબ્ધતા વિશે જણાવી શકે છે. જો રોહિત વાપસી કરશે તો વનડે સીરીઝમાં ટીમ ઈન્ડિયાની કપ્તાની તેના હાથમાં રહેશે.

શ્રેયસ અય્યર અને કેએલ રાહુલની વાપસી
શ્રેયસ અય્યર એ બેટ્સમેન છે જેને આ વર્ષે BCCI કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી ડોમેસ્ટિક ક્રિકેટ ન રમવાના કારણે બહાર કરવામાં આવ્યો હતો. ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં પણ તેનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ન હતું. પરંતુ IPL 2024માં તેણે પોતાની કેપ્ટનશિપમાં KKRને ચેમ્પિયન બનાવ્યું છે. ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીર સાથે તેના સારા સંબંધો હોવાથી તેની ભારતીય ટીમમાં વાપસી નિશ્ચિત માનવામાં આવે છે. તો બીજી તરફ, કેએલ રાહુલે જાન્યુઆરી 2024માં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ બાદ ભારત તરફથી કોઈ મેચ રમી નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રાહુલની વનડે સિરીઝમાં વાપસી પણ લગભગ નિશ્ચિત છે.

વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહ માટે બ્રેક?
નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીરે થોડા દિવસો પહેલા કહ્યું હતું કે તે ત્રણેય ફોર્મેટમાં તમામ સિનિયર ખેલાડીઓની ઉપલબ્ધતા ઈચ્છે છે. પરંતુ હવે સમાચાર સામે આવ્યા છે કે વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહ શ્રીલંકા સામેની શ્રેણીમાંથી બહાર રહી શકે છે. જો કે એવી અટકળો ચાલી રહી છે કે ગંભીર વિરાટ અને બુમરાહને બ્રેક આપવામાં આવ્યાથી ખુશ નથી, તેમ છતાં સીરિઝમાં તેમના રમવાની આશા ઓછી જણાઈ રહી છે.

જો રોહિત નહીં આવે તો કેએલ રાહુલ કેપ્ટનશીપ કરશે
જો કે એવી અફવાઓ છે કે રોહિત શર્મા BCCIને ODI સિરીઝ માટે તેની ઉપલબ્ધતા વિશે જણાવવા જઈ રહ્યો છે, પરંતુ હજુ પણ એવી થોડી શક્યતા છે કે તે પોતાનો બ્રેક ચાલુ રાખી શકે છે. ક્રિકબઝના અહેવાલ મુજબ રોહિતની ગેરહાજરીમાં કેએલ રાહુલ શ્રીલંકા સામેની વનડે ટીમની કમાન સંભાળી શકે છે.

 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 

Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

ગુજરાતમાં અતિ ભારે વરસાદ તૂટી પડશે: 6 જિલ્લામાં રેડ, 15માં ઓરેન્જ એલર્ટ જાહેર, જાણો ક્યા જિલ્લા થશે પાણી પાણી
ગુજરાતમાં અતિ ભારે વરસાદ તૂટી પડશે: 6 જિલ્લામાં રેડ, 15માં ઓરેન્જ એલર્ટ જાહેર, જાણો ક્યા જિલ્લા થશે પાણી પાણી
શું ઉદ્ધવ ઠાકેર મહાગઠબંધનમાંથી છૂટા પડી જશે? MVAની એકતા પર કહ્યું – ‘... તો સાથે રહેવાનો કોઈ મતલબ નથી’
શું ઉદ્ધવ ઠાકેર મહાગઠબંધનમાંથી છૂટા પડી જશે? MVAની એકતા પર કહ્યું – ‘... તો સાથે રહેવાનો કોઈ મતલબ નથી’
નીતિશ, તેજસ્વી, ચિરાગ કે સમ્રાટ ચૌધરી... બિહારમાં મુખ્યમંત્રી કોણ? સી-વોટર સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
નીતિશ, તેજસ્વી, ચિરાગ કે સમ્રાટ ચૌધરી... બિહારમાં મુખ્યમંત્રી કોણ? સી-વોટર સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
IND vs ENG: માન્ચેસ્ટર ટેસ્ટમાં આ ખેલાડી ભારત માટે મોટો ખતરો, ઓલ્ડ ટ્રેફોર્ડમાં 8 મેચમાં 2 સદી, 3 અડધી સદી
IND vs ENG: માન્ચેસ્ટર ટેસ્ટમાં આ ખેલાડી ભારત માટે મોટો ખતરો, ઓલ્ડ ટ્રેફોર્ડમાં 8 મેચમાં 2 સદી, 3 અડધી સદી
Advertisement

વિડિઓઝ

Bhavnagar BJP Politics: ભાજપનો આંતરિક વિવાદ ચરમસીમા પર, આ નેતાને ફટકારી શિસ્તભંગની નોટિસ
Jawahar Chavda: જવાહર ચાવડાનો સાંકેતિક ઈશારો, વિસાવદરમાં ભાજપની હાર બાદ મોટું નિવેદન
USA News:  ભારતીય વિદ્યાર્થીઓમાં અમેરિકા જવાનો ઘટ્યો ક્રેઝ, ડોનાલ્ડ ટ્રમ્પની નીતિની થઈ અસર
Banaskantha Rain: દાંતામાં બે કલાકમાં ખાબક્યો 4 ઈંચ વરસાદ, હોસ્પિટલ જળબંબાકાર
Hun To Bolish: હું તો બોલીશ : કોણે આપ્યો ભ્રષ્ટાચારનો અધિકાર ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં અતિ ભારે વરસાદ તૂટી પડશે: 6 જિલ્લામાં રેડ, 15માં ઓરેન્જ એલર્ટ જાહેર, જાણો ક્યા જિલ્લા થશે પાણી પાણી
ગુજરાતમાં અતિ ભારે વરસાદ તૂટી પડશે: 6 જિલ્લામાં રેડ, 15માં ઓરેન્જ એલર્ટ જાહેર, જાણો ક્યા જિલ્લા થશે પાણી પાણી
શું ઉદ્ધવ ઠાકેર મહાગઠબંધનમાંથી છૂટા પડી જશે? MVAની એકતા પર કહ્યું – ‘... તો સાથે રહેવાનો કોઈ મતલબ નથી’
શું ઉદ્ધવ ઠાકેર મહાગઠબંધનમાંથી છૂટા પડી જશે? MVAની એકતા પર કહ્યું – ‘... તો સાથે રહેવાનો કોઈ મતલબ નથી’
નીતિશ, તેજસ્વી, ચિરાગ કે સમ્રાટ ચૌધરી... બિહારમાં મુખ્યમંત્રી કોણ? સી-વોટર સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
નીતિશ, તેજસ્વી, ચિરાગ કે સમ્રાટ ચૌધરી... બિહારમાં મુખ્યમંત્રી કોણ? સી-વોટર સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
IND vs ENG: માન્ચેસ્ટર ટેસ્ટમાં આ ખેલાડી ભારત માટે મોટો ખતરો, ઓલ્ડ ટ્રેફોર્ડમાં 8 મેચમાં 2 સદી, 3 અડધી સદી
IND vs ENG: માન્ચેસ્ટર ટેસ્ટમાં આ ખેલાડી ભારત માટે મોટો ખતરો, ઓલ્ડ ટ્રેફોર્ડમાં 8 મેચમાં 2 સદી, 3 અડધી સદી
AAP ના ધારાસભ્ય અનમોલ ગગન માને આપ્યું રાજીનામું, અચાનક રાજકારણ છોડવાની જાહેરાત 
AAP ના ધારાસભ્ય અનમોલ ગગન માને આપ્યું રાજીનામું, અચાનક રાજકારણ છોડવાની જાહેરાત 
Banaskantha Rain: ભારે વરસાદને લઈ પાલનપુર-અમદાવાદ હાઇવે ઉપર ઢીંચણસમાં પાણી ભરાયા
Banaskantha Rain: ભારે વરસાદને લઈ પાલનપુર-અમદાવાદ હાઇવે ઉપર ઢીંચણસમાં પાણી ભરાયા
Rain Alert: આગામી પાંચ દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Rain Alert: આગામી પાંચ દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી ત્રણ કલાક ગાજવીજ સાથે આ જિલ્લાઓમાં ખાબકશે વરસાદ
Gujarat Rain: આગામી ત્રણ કલાક ગાજવીજ સાથે આ જિલ્લાઓમાં ખાબકશે વરસાદ
Embed widget