શોધખોળ કરો

IND vs SL: શ્રીલંકા પ્રવાસને લઈને સામે આવ્યા 4 મોટા અપડેટ, વિરાટ-રોહિતની વાપસીને લઈને સામે આવી મોટી જાણકારી

Team India for Sri Lanka Tour: ભારતનો શ્રીલંકા પ્રવાસ 27 જુલાઈથી શરૂ થશે અને 7 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. આ સીરીઝને લઈને અત્યાર સુધીમાં ચાર મોટા અપડેટ્સ સામે આવ્યા છે.

Team India for Sri Lanka Tour: ભારતનો શ્રીલંકા પ્રવાસ 27 જુલાઈથી શરૂ થઈ રહ્યો છે. અહીં ટીમ ઈન્ડિયાએ  3 T20 અને 3 ODI મેચ રમવાની છે. એક તરફ એવું માનવામાં આવે છે કે સિનિયર ખેલાડીઓ આ પ્રવાસમાં નહીં રમે, તો બીજી તરફ ટી20 ટીમમાં કેપ્ટનને લઈને વિવાદ ચાલી રહ્યો છે. મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરનો પણ આ પ્રથમ ટાસ્ક હશે, તેથી શ્રીલંકા સામેની શ્રેણી ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. હવે ક્રિકબઝના એક રિપોર્ટમાં ટીમ ઈન્ડિયાની ટીમને લઈને 4 મોટા અપડેટ્સ સામે આવ્યા છે.

રોહિત શર્મા વનડે શ્રેણીમાં રમી શકે છે
T20માંથી નિવૃત્તિ લઈ ચુકેલા રોહિત શર્મા હાલ યુએસએમાં રજાઓ માણી રહ્યા છે. જો અહેવાલોનું માનીએ તો, રોહિત તેની રજાઓની સીઝન ટૂંક સમયમાં સમાપ્ત કરી શકે છે અને શ્રીલંકા સામે વનડે શ્રેણી રમી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટીમની પસંદગી પહેલા જ રોહિત પસંદગી સમિતિને તેની ઉપલબ્ધતા વિશે જણાવી શકે છે. જો રોહિત વાપસી કરશે તો વનડે સીરીઝમાં ટીમ ઈન્ડિયાની કપ્તાની તેના હાથમાં રહેશે.

શ્રેયસ અય્યર અને કેએલ રાહુલની વાપસી
શ્રેયસ અય્યર એ બેટ્સમેન છે જેને આ વર્ષે BCCI કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી ડોમેસ્ટિક ક્રિકેટ ન રમવાના કારણે બહાર કરવામાં આવ્યો હતો. ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં પણ તેનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ન હતું. પરંતુ IPL 2024માં તેણે પોતાની કેપ્ટનશિપમાં KKRને ચેમ્પિયન બનાવ્યું છે. ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીર સાથે તેના સારા સંબંધો હોવાથી તેની ભારતીય ટીમમાં વાપસી નિશ્ચિત માનવામાં આવે છે. તો બીજી તરફ, કેએલ રાહુલે જાન્યુઆરી 2024માં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ બાદ ભારત તરફથી કોઈ મેચ રમી નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રાહુલની વનડે સિરીઝમાં વાપસી પણ લગભગ નિશ્ચિત છે.

વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહ માટે બ્રેક?
નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીરે થોડા દિવસો પહેલા કહ્યું હતું કે તે ત્રણેય ફોર્મેટમાં તમામ સિનિયર ખેલાડીઓની ઉપલબ્ધતા ઈચ્છે છે. પરંતુ હવે સમાચાર સામે આવ્યા છે કે વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહ શ્રીલંકા સામેની શ્રેણીમાંથી બહાર રહી શકે છે. જો કે એવી અટકળો ચાલી રહી છે કે ગંભીર વિરાટ અને બુમરાહને બ્રેક આપવામાં આવ્યાથી ખુશ નથી, તેમ છતાં સીરિઝમાં તેમના રમવાની આશા ઓછી જણાઈ રહી છે.

જો રોહિત નહીં આવે તો કેએલ રાહુલ કેપ્ટનશીપ કરશે
જો કે એવી અફવાઓ છે કે રોહિત શર્મા BCCIને ODI સિરીઝ માટે તેની ઉપલબ્ધતા વિશે જણાવવા જઈ રહ્યો છે, પરંતુ હજુ પણ એવી થોડી શક્યતા છે કે તે પોતાનો બ્રેક ચાલુ રાખી શકે છે. ક્રિકબઝના અહેવાલ મુજબ રોહિતની ગેરહાજરીમાં કેએલ રાહુલ શ્રીલંકા સામેની વનડે ટીમની કમાન સંભાળી શકે છે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: નવરાત્રી પર વરસાદ બનશે વિલન, આ વિસ્તારમાં ભારે વરસાદ તૂટી પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: નવરાત્રી પર વરસાદ બનશે વિલન, આ વિસ્તારમાં ભારે વરસાદ તૂટી પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
પૈસા તૈયાર રાખો! આ સરકારી કંપની 10,000,000,000 નો IPO લાવી રહી છે
પૈસા તૈયાર રાખો! આ સરકારી કંપની 10,000,000,000 નો IPO લાવી રહી છે
આર્ટિકલ 370 પર પાકિસ્તાનના રક્ષા મંત્રીના નિવેદન પર ભડક્યા ફારૂક અબ્દુલ્લા, કહ્યું - હું પાકિસ્તાની...
આર્ટિકલ 370 પર પાકિસ્તાનના રક્ષા મંત્રીના નિવેદન પર ભડક્યા ફારૂક અબ્દુલ્લા, કહ્યું - હું પાકિસ્તાની...
Delhi New Cabinet: દિલ્હી સરકારનું ચિત્ર સ્પષ્ટ! આ 5 નેતાઓ આતિશી સાથે લેશે મંત્રી પદના શપથ, એક નવો ચહેરો પણ સામેલ
Delhi New Cabinet: દિલ્હી સરકારનું ચિત્ર સ્પષ્ટ! આ 5 નેતાઓ આતિશી સાથે લેશે મંત્રી પદના શપથ, એક નવો ચહેરો પણ સામેલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mehsana | બહુચરાજીમાં જીવના જોખમે વિદ્યાર્થીઓની મુસાફરી, જુઓ વીડિયોમાંLebanon walkie-talkie blasts | ફરી વોકી ટોકી બ્લાસ્ટથી હચમચી ગ્યું લેબનાન, 20થી વધુના મોતMorbi | મચ્છુ-3 ડેમમાં મનાઈ છતા 2 આયોજકોએ કરાવ્યું વિસર્જન અને પછી... જુઓ શું થઈ કાર્યવાહી?Share Market | સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ડ ઉંચાઇ પર, રોકાણકારો થઈ ગ્યા માલામાલ, જાણો મોટું કારણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: નવરાત્રી પર વરસાદ બનશે વિલન, આ વિસ્તારમાં ભારે વરસાદ તૂટી પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: નવરાત્રી પર વરસાદ બનશે વિલન, આ વિસ્તારમાં ભારે વરસાદ તૂટી પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
પૈસા તૈયાર રાખો! આ સરકારી કંપની 10,000,000,000 નો IPO લાવી રહી છે
પૈસા તૈયાર રાખો! આ સરકારી કંપની 10,000,000,000 નો IPO લાવી રહી છે
આર્ટિકલ 370 પર પાકિસ્તાનના રક્ષા મંત્રીના નિવેદન પર ભડક્યા ફારૂક અબ્દુલ્લા, કહ્યું - હું પાકિસ્તાની...
આર્ટિકલ 370 પર પાકિસ્તાનના રક્ષા મંત્રીના નિવેદન પર ભડક્યા ફારૂક અબ્દુલ્લા, કહ્યું - હું પાકિસ્તાની...
Delhi New Cabinet: દિલ્હી સરકારનું ચિત્ર સ્પષ્ટ! આ 5 નેતાઓ આતિશી સાથે લેશે મંત્રી પદના શપથ, એક નવો ચહેરો પણ સામેલ
Delhi New Cabinet: દિલ્હી સરકારનું ચિત્ર સ્પષ્ટ! આ 5 નેતાઓ આતિશી સાથે લેશે મંત્રી પદના શપથ, એક નવો ચહેરો પણ સામેલ
AGR Dues Case: એવું તે શું થયું કે 20 ટકા તૂટ્યો વોડાફોન આઈડીયાનો શેર, રોકાણકારોના લાખો રુપિયા ધોવાયા
AGR Dues Case: એવું તે શું થયું કે 20 ટકા તૂટ્યો વોડાફોન આઈડીયાનો શેર, રોકાણકારોના લાખો રુપિયા ધોવાયા
કાશ્મીર ચૂંટણી વચ્ચે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીનું ભડકાઉ નિવેદન, કહ્યુ '370 પર અબ્દુલ્લા-કોંગ્રેસ ગઠબંધન PAK સાથે  '
કાશ્મીર ચૂંટણી વચ્ચે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીનું ભડકાઉ નિવેદન, કહ્યુ '370 પર અબ્દુલ્લા-કોંગ્રેસ ગઠબંધન PAK સાથે '
ISRO Jobs 2024: ઇસરોમાં બહાર પડી ભરતીમાં આજથી કરી શકશો અરજી, 10 પાસ પણ ભરી શકશે ફોર્મ
ISRO Jobs 2024: ઇસરોમાં બહાર પડી ભરતીમાં આજથી કરી શકશો અરજી, 10 પાસ પણ ભરી શકશે ફોર્મ
Nawada News: બિહારના નવાદાની ઘટના પર મલ્લિકાર્જુન ખડગેએ NDA પર કર્યા પ્રહાર, પ્રિયંકા ગાંધીએ શું કરી માંગ?
Nawada News: બિહારના નવાદાની ઘટના પર મલ્લિકાર્જુન ખડગેએ NDA પર કર્યા પ્રહાર, પ્રિયંકા ગાંધીએ શું કરી માંગ?
Embed widget