શોધખોળ કરો

Bihar Politics: ‘આ ગઠબંધન છે, કંઈ ન કહી શકાય...’ - નીતિશ કુમારને ગૃહ મંત્રાલય ન મળતા સાથી પક્ષે જ ઉઠાવ્યા સવાલ!

nitish kumar home ministry: ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીને મળી મોટી જવાબદારી, માંઝીએ કહ્યું- 'નીતિશજીએ કામના ભારણ અને યુવા નેતૃત્વને પ્રોત્સાહન આપવા આ નિર્ણય લીધો'.

jitan ram manjhi: બિહારમાં નવી સરકારની રચના બાદ ખાતાઓની ફાળવણીમાં એક મોટો અને ચોંકાવનારો ફેરફાર જોવા મળ્યો છે. વર્ષોથી મુખ્યમંત્રી નીતિશ કુમાર પાસે રહેતું ગૃહ મંત્રાલય (Home Ministry) આ વખતે નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને સોંપવામાં આવ્યું છે. આ મુદ્દે રાજકીય વર્તુળોમાં તર્ક-વિતર્ક શરૂ થતાં કેન્દ્રીય મંત્રી અને HAM સુપ્રીમો જીતન રામ માંઝીએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે આ નિર્ણયને રાજ્યના હિતમાં ગણાવતા સ્પષ્ટ કર્યું હતું કે ગઠબંધન સરકારમાં આવા ફેરફારો સામાન્ય છે અને કાયદો અને વ્યવસ્થા સુધારવા માટે યુવા નેતૃત્વને તક મળવી જરૂરી હતી.

'ગૃહ મંત્રાલય CM પાસે જ હોવું જોઈએ, તેવો કોઈ કાયદો નથી'

નીતિશ કુમારને ગૃહ મંત્રાલય ન મળવા અંગે પ્રતિક્રિયા આપતા જીતન રામ માંઝીએ કહ્યું કે આ એક ગઠબંધન સરકાર છે અને અહીં પરસ્પર સમજૂતીથી નિર્ણયો લેવાય છે. તેમણે સ્વીકાર્યું કે પરંપરાગત રીતે બિહારમાં મુખ્યમંત્રી પાસે જ ગૃહ ખાતું રહેતું હતું, પરંતુ તેમણે ભારપૂર્વક કહ્યું કે, "આવો કોઈ બંધારણીય કાયદો નથી કે ગૃહમંત્રી માત્ર મુખ્યમંત્રી જ હોઈ શકે. દેશના અન્ય ઘણા રાજ્યોમાં પણ અલગ મંત્રીઓ ગૃહ વિભાગ સંભાળે છે. તેથી આ બાબતને બિનજરૂરી રીતે ચગાવવી યોગ્ય નથી."

નીતિશ કુમારે કેમ લીધો આ નિર્ણય?

જીતન રામ માંઝીએ નીતિશ કુમારના બચાવમાં દલીલ કરતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ કદાચ તેમના કામના ભારણને હળવું કરવા અથવા પોતાની સુવિધા માટે આ વિભાગ છોડ્યો હોઈ શકે છે. તેમણે કહ્યું, "નીતિશ કુમારે રાજ્યના ભલા માટે એક યુવા નેતા (સમ્રાટ ચૌધરી) પર વિશ્વાસ મૂક્યો છે. ઘણીવાર કાયદો અને વ્યવસ્થા (Law and Order) પર સવાલો ઉઠતા હોય છે. આવા સમયે માત્ર રિપોર્ટ્સ પર નિર્ભર રહેવાને બદલે, એક યુવા અને સક્રિય મંત્રી રૂબરૂ પરિસ્થિતિનો તાગ મેળવી શકશે અને ત્વરિત પગલાં લઈ શકશે."

ભાજપની જીત અને ખાતાની વહેંચણી

આ ફેરફારને રાજકીય દ્રષ્ટિકોણથી ન જોવાની સલાહ આપતા માંઝીએ ઉમેર્યું કે, અમારો ઉદ્દેશ્ય બિહારમાં વિકાસને વેગ આપવાનો છે અને તેના માટે કાયદો વ્યવસ્થા સુધરવી અનિવાર્ય છે. ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) એ મોટી સંખ્યામાં બેઠકો જીતી છે, તેથી સ્વાભાવિક છે કે તેમને એક મહત્વપૂર્ણ અને વજનદાર ખાતું મળવું જોઈએ. સમ્રાટ ચૌધરીને ગૃહ વિભાગ સોંપવો એ ગઠબંધનની મજબૂતી અને પરસ્પર વિશ્વાસનું પ્રતીક છે.

કોંગ્રેસની 'વોટ ચોરી' રેલી પર પ્રહાર

દિલ્હીમાં 14 December ના રોજ કોંગ્રેસ દ્વારા યોજાનારી "મત ચોરી" વિરુદ્ધની રેલી અંગે પૂછવામાં આવતા માંઝીએ વિપક્ષને આડે હાથ લીધો હતો. તેમણે કહ્યું કે, "કોંગ્રેસ પાસે હવે એક જ રાગ છે. તેઓએ બિહારમાં પણ વોટ ચોરી અને EVM ના નામે હોબાળો કર્યો હતો, પરંતુ જનતાએ તેમને જાકારો આપ્યો છે. જો બિહારની જનતાને તેમની વાતમાં તથ્ય લાગ્યું હોત, તો NDA ને આટલો મોટો જનાદેશ ન મળ્યો હોત. કોંગ્રેસે રેલીઓ કરવાને બદલે જનાદેશનું સન્માન કરતા શીખવું જોઈએ."

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં ઉદ્ધવ ઠાકરે જૂથ સામેલ થશે કે નહીં? જાણો શું છે મોટું અપડેટ?
ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં ઉદ્ધવ ઠાકરે જૂથ સામેલ થશે કે નહીં? જાણો શું છે મોટું અપડેટ?
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
દિલ્હી બેઠક પહેલા સંજય સિંહનો મોટો ધડાકો, ‘આપ હવે ઇન્ડિયા (INDIA) ગઠબંધનનો ભાગ નથી’
દિલ્હી બેઠક પહેલા સંજય સિંહનો મોટો ધડાકો, ‘આપ હવે ઇન્ડિયા (INDIA) ગઠબંધનનો ભાગ નથી’
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 11 રાજ્યોમાં તોફાની વરસાદ અને વીજળીનું એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 11 રાજ્યોમાં તોફાની વરસાદ અને વીજળીનું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શ્રમિકોના જીવનું મૂલ્ય શું ?
Hun To Bolish : હું તો બોલીશ : બ્રેક ખર્ચ પર કે વહીવટ પર ?
Ahmedabad News: ચોમાસા પહેલા AMCએ જવાબદારીથી ખંખેર્યા હાથ, મનપા કમિશનરે શહેરીજનોને આપી ચેતવણી
Late Yogesh Patel's Prayer Meet: વડોદરાના સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભા, CMએ પુષ્પાંજલિ અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
Embed widget