શોધખોળ કરો

India vs Australia 2nd Test: આવતીકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ, આવી હોઇ શકે છે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવન

જો શ્રેયસ ઐય્યર રમશે તો સૂર્યકુમાર યાદવે બહાર બેસવું પડશે. સૂર્યકુમારે નાગપુરમાં રમાયેલી મેચ દ્વારા જ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ 17 ફેબ્રુઆરી (શુક્રવાર)થી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. ભારતે નાગપુર ટેસ્ટ મેચમાં કાંગારૂ ટીમને એક ઇનિંગ્સ અને 132 રને કચડી નાંખી હતી. બીજી ટેસ્ટ મેચ ભારતીય સમય અનુસાર સવારે 9.30 વાગ્યે શરૂ થશે.

શ્રેયસ અય્યરને મળશે તક?

બીજી મેચ પહેલા તમામની નજર ભારતીય ટીમના પ્લેઈંગ-11 પર પણ રહેશે. શ્રેયસ ઐય્યર આ મેચ માટે ટીમમાં પરત ફરશે. તેથી જોવાનું રહેશે કે ટીમ મેનેજમેન્ટ તેને સીધો પ્લેઇંગ-11માં સામેલ કરે છે કે નહીં. જો શ્રેયસ ઐય્યર રમશે તો સૂર્યકુમાર યાદવે બહાર બેસવું પડશે. સૂર્યકુમારે નાગપુરમાં રમાયેલી મેચ દ્વારા જ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. જોકે, સૂર્યા કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો ન હતો.

પ્રથમ ટેસ્ટ મેચમાં કેએલ રાહુલ અને કેએસ ભરત પણ ફ્લોપ રહ્યા હતા. વિકેટકીપર કેએસ ભરત પણ માત્ર 8 રનનું યોગદાન આપી શક્યો હતો. આ બંને ખેલાડીઓ પર સારું પ્રદર્શન કરવાનું દબાણ રહેશે કારણ કે શુભમન ગિલ અને ઈશાન કિશન સારા ફોર્મમા છે. ખાસ કરીને શુભમન ગિલને પ્રથમ મેચમાં બાકાત રાખવા પર સવાલો ઉઠ્યા હતા. જો રાહુલ ફરી નિષ્ફળ રહેશે તો તેને ત્રીજી ટેસ્ટ મેચમાં ભાગ્યે જ તક મળશે.

ટીમ ઈન્ડિયા બીજી ટેસ્ટ મેચમાં બોલિંગ કોમ્બિનેશનને જાળવી રાખવા માંગશે કારણ કે અરુણ જેટલી સ્ટેડિયમમાં પણ ટર્નિંગ પિચ જોવા મળશે. એટલે કે અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિનની સ્પિન ત્રિપુટી ફરી ધમાલ મચાવશે. પરંતુ તેનો અર્થ એ પણ છે કે કુલદીપ યાદવે બેન્ચ પર બેસવું પડશે. મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમી ટીમના બે ફાસ્ટ બોલર હશે.

દિલ્હીમાં ભારતનો બેજોડ રેકોર્ડ

ભારત 1987થી દિલ્હીમાં એકપણ ટેસ્ટ મેચ હારી નથી. ભારતે દિલ્હીમાં રમાયેલી 34 ટેસ્ટ મેચોમાંથી 13માં જીત મેળવી છે અને માત્ર છમાં જ હારનો સામનો કરવો પડ્યો છે. ઓસ્ટ્રેલિયન ટીમ દિલ્હીમાં કુલ 7 ટેસ્ટ મેચ રમી છે અને 1959 થી તે જીતની રાહ જોઈ રહી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે છેલ્લી ટેસ્ટ મેચ વર્ષ 2013માં દિલ્હીમાં રમાઈ હતી. તે દરમિયાન એમએસ ધોનીની આગેવાની હેઠળની ટીમે 8 વિકેટે જીત મેળવી હતી. આર. અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ 14-14 વિકેટ લઈને ભારતની મોટી જીતનો પાયો નાખ્યો હતો.

બીજી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11

રોહિત શર્મા, કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએસ ભરત, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CSK માટે ખરાબ સમાચાર, IPL 2026 ની શરુઆત પહેલા જ ઘાયલ થયો MS ધોની, જાણો કેટલા દિવસ રહેશે મેદાનની બહાર?
CSK માટે ખરાબ સમાચાર, IPL 2026 ની શરુઆત પહેલા જ ઘાયલ થયો MS ધોની, જાણો કેટલા દિવસ રહેશે મેદાનની બહાર?
IPL 2026ની પહેલી મેચ પહેલા RCB ને લાગ્યો મોટો ઝટકો, સ્ટાર બોલર થયો બહાર; કોચે કરી પુષ્ટી
IPL 2026ની પહેલી મેચ પહેલા RCB ને લાગ્યો મોટો ઝટકો, સ્ટાર બોલર થયો બહાર; કોચે કરી પુષ્ટી
Guinness Book એ શેર કર્યા કિંગ કોહલીના 5 રેકોર્ડ, IPL 2026 પહેલા વિરોધી ટીમમાં ફફડાટ
Guinness Book એ શેર કર્યા કિંગ કોહલીના 5 રેકોર્ડ, IPL 2026 પહેલા વિરોધી ટીમમાં ફફડાટ
IPL 2026 પહેલા હાર્દિક પંડ્યાએ વાનખેડેના ગ્રાઉન્ડ સ્ટાફને કેમ આપ્યા લાખોના ચેક? રસપ્રદ છે કારણ
IPL 2026 પહેલા હાર્દિક પંડ્યાએ વાનખેડેના ગ્રાઉન્ડ સ્ટાફને કેમ આપ્યા લાખોના ચેક? રસપ્રદ છે કારણ

વિડિઓઝ

Harsh Sanghavi : લોકડાઉનની અફવાથી દૂર રહેવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની લોકોને અપીલ
Gujarat Weather : ગુજરાતમાં માવઠાની આગાહી, કઈ તારીખે ક્યાં પડશે માવઠું?
Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઈ મોટા સમાચાર
Gujarat Govt : ખેડૂતોના હીતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને મોટી રાહત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
Patan News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કરતા રાજકારણમાં ગરમાવો
Patan News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કરતા રાજકારણમાં ગરમાવો
Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Iran War: યુદ્ધની વચ્ચે ગુજરાતના માછીમારો ઈરાનમાં ફસાયા, સ્વદેશ પરત ફરવા માંગી મદદ
Iran War: યુદ્ધની વચ્ચે ગુજરાતના માછીમારો ઈરાનમાં ફસાયા, સ્વદેશ પરત ફરવા માંગી મદદ
કેમ રતન ટાટાનું સપનુ રહી ગયું અધૂરું? આખરે Tata Nano બંધ થવા પાછળનું કારણ શું હતું?
કેમ રતન ટાટાનું સપનુ રહી ગયું અધૂરું? આખરે Tata Nano બંધ થવા પાછળનું કારણ શું હતું?
Weather Update: ગુજરાતમાં 29 માર્ચથી હવામાન પલટાશે, ભારે પવન સાથે કમોસમી વરસાદનું એલર્ટ
Weather Update: ગુજરાતમાં 29 માર્ચથી હવામાન પલટાશે, ભારે પવન સાથે કમોસમી વરસાદનું એલર્ટ
CSK માટે ખરાબ સમાચાર, IPL 2026 ની શરુઆત પહેલા જ ઘાયલ થયો MS ધોની, જાણો કેટલા દિવસ રહેશે મેદાનની બહાર?
CSK માટે ખરાબ સમાચાર, IPL 2026 ની શરુઆત પહેલા જ ઘાયલ થયો MS ધોની, જાણો કેટલા દિવસ રહેશે મેદાનની બહાર?
Embed widget