શોધખોળ કરો

India vs England: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND vs ENG ત્રીજી વનડેમાંથી બહાર થયો આ ખેલાડી

India vs England 3rd ODI: ભારત વિરૂદ્ધ ઇંગ્લેન્ડ ત્રીજી વનડે મેચ લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. આ પહેલા ટીમ ઈન્ડિયા માટે એક માઠા સમાચાર છે, ઈજાના કારણે તેમનો એક ખેલાડી આ મેચમાં રમી શકશે નહીં.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભારત-ઇંગ્લેન્ડ ત્રીજી વનડે નિર્ણાયક, સુંદરની ઇજાથી ટીમ ચિંતિત.
  • વોશિંગ્ટન સુંદર ઇજાને કારણે ત્રીજી વનડે ગુમાવી શકે છે.
  • હાર્દિક, નીતિશ રેડ્ડી પણ ઇજાગ્રસ્ત, ટીમની ચિંતા વધી.
  • ત્રીજી વનડે 19 જુલાઈએ બપોરે 3:30 વાગ્યે, સોની પર.

India vs England 3rd ODI:  લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાનારી ત્રીજી વનડે ભારત વિરૂદ્ધ ઇંગ્લેન્ડ સિરીઝનો નિર્ણાયક મુકાબલો છે. સિરીઝ અત્યારે 1-1 થી બરાબર છે. શુભમન ગિલ એન્ડ ટીમે પહેલી મેચમાં જીત મેળવી હતી, જ્યારે બીજી મેચમાં યજમાન ટીમે બાજી મારી હતી. હવે ત્રીજી મેચ સિરીઝ ડિસાઇડર છે, જેના પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. પહેલી મેચમાં અડધી સદી ફટકારનારા વોશિંગ્ટન સુંદરની ઈજાએ ટેન્શન વધારી દીધું છે.

 

વોશિંગ્ટન સુંદર બીજી વનડેમાં પણ ઈજાથી ઝઝૂમતો જોવા મળ્યો હતો, તેમણે બોલિંગ પણ કરી ન હતી. ટીમને પણ આનું નુકસાન ભોગવવું પડ્યું હતું. ભારતની ટીમમાં પહેલાથી જ ઘણા ઓલરાઉન્ડર્સ ઈજાગ્રસ્ત છે, હવે વોશિંગ્ટનની ઈજાએ ચિંતામાં વધારો કર્યો છે. રિપોર્ટ અનુસાર, વોશિંગ્ટન ત્રીજી અને નિર્ણાયક વનડેમાંથી બહાર થઈ શકે છે.

આ પણ વાંચો...રોહિત શર્માની કરિયર ખતમ કરવાની તૈયારી? 2027 વર્લ્ડ કપમાંથી બહાર કરવા પાછળના આ છે 3 મોટા કારણો

હાર્દિક પંડ્યા અને નિતીશ કુમાર રેડ્ડીના રૂપમાં ભારતના 2 મુખ્ય ઓલરાઉન્ડર ઈજાગ્રસ્ત છે. હાર્દિક IPL 2026 માં ઈજાગ્રસ્ત થયો હતો, જ્યારે નિતીશ અફઘાનિસ્તાન સામેની સિરીઝ દરમિયાન ટ્રેનિંગમાં ઈજાગ્રસ્ત થયો હતો. ઈજાના કારણે તેઓ ઇંગ્લેન્ડ પ્રવાસમાંથી બહાર થઈ ગયો હતો.

ભારતીય સ્ક્વોડ 

શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર, પ્રસિદ્ધ કૃષ્ણા, વોશિંગ્ટન સુંદર, શિવમ દુબે, પ્રિન્સ યાદવ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, ગુરનૂર બ્રાર.            

ઇંગ્લેન્ડની સ્ક્વોડ 

હેરી બ્રુક (કેપ્ટન), લિયામ ડોસન, આદિલ રશીદ, જોસ બટલર (વિકેટકીપર), ટોમ બેન્ટન (વિકેટકીપર), જો રૂટ, બેન ડકેટ, જોફ્રા આર્ચરે, સાકિબ મહમૂદ, બ્રાયડન કાર્સ, સેમ કરન, જોશ ટંગ, વિલ જેક્સ, ગસ એટકિન્સન, જેમ્સ કોલ્સ, જેકબ બેથેલ, રેહાન અહેમદ.          

ક્યાં LIVE જોવી ભારત વિરૂદ્ધ ઇંગ્લેન્ડ ત્રીજી વનડે:                    

ભારત વિરૂદ્ધ ઇંગ્લેન્ડ ત્રીજી વનડે રવિવાર, 19 જુલાઈએ ભારતીય સમય અનુસાર બપોરે 3:30 વાગ્યે શરૂ થશે, 3:00 વાગ્યે ટોસ થશે. મેચનું લાઈવ પ્રસારણ સોની સ્પોર્ટ્સ નેટવર્ક ચેનલ પર થશે. લાઈવ સ્ટ્રીમિંગ જિયોહોટસ્ટાર (JioHotstar) એપ અને વેબસાઈટ પર થશે.         

Frequently Asked Questions

ભારત વિરૂદ્ધ ઇંગ્લેન્ડની ત્રીજી વનડે શા માટે મહત્વની છે?

આ મેચ સિરીઝનો નિર્ણાયક મુકાબલો છે, કારણ કે સિરીઝ હાલ 1-1 થી બરાબર છે. આ મેચથી સિરીઝનો વિજેતા નક્કી થશે.

ભારતીય ટીમને ત્રીજી વનડે પહેલા કયો મોટો ઝટકો લાગ્યો છે?

પહેલી મેચમાં અડધી સદી ફટકારનારા વોશિંગ્ટન સુંદર ઈજાગ્રસ્ત છે અને ત્રીજી વનડેમાંથી બહાર થઈ શકે છે. તેની ઈજાએ ટીમના ટેન્શનમાં વધારો કર્યો છે.

ભારતીય ટીમના અન્ય કયા ઓલરાઉન્ડરો ઈજાગ્રસ્ત છે?

હાર્દિક પંડ્યા IPL 2026 માં ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે નિતીશ કુમાર રેડ્ડી અફઘાનિસ્તાન સામેની સિરીઝ દરમિયાન ઈજાગ્રસ્ત થયા છે.

ત્રીજી વનડે ક્યારે અને ક્યાં લાઈવ જોઈ શકાશે?

આ મેચ રવિવાર, 19 જુલાઈએ બપોરે 3:30 વાગ્યે શરૂ થશે. તેનું લાઈવ પ્રસારણ સોની સ્પોર્ટ્સ નેટવર્ક અને જિયોહોટસ્ટાર પર થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! WI સામેની ODI શ્રેણીમાંથી બુમરાહ-ઐયર સહિત 8 સ્ટાર્સ આઉટ
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! WI સામેની ODI શ્રેણીમાંથી બુમરાહ-ઐયર સહિત 8 સ્ટાર્સ આઉટ
વૈભવ સૂર્યવંશીએ અડધી સદી ફટકારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ 
વૈભવ સૂર્યવંશીએ અડધી સદી ફટકારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ 
વૈભવ સૂર્યવંશીની તોફાની અડધી સદીની મદદથી ભારતની જીત, પ્રથમ T20I માં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું
વૈભવ સૂર્યવંશીની તોફાની અડધી સદીની મદદથી ભારતની જીત, પ્રથમ T20I માં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
Advertisement

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર! પગાર-પેન્શન પર નવી બેઠકોનું શેડ્યૂલ જાહેર
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર! પગાર-પેન્શન પર નવી બેઠકોનું શેડ્યૂલ જાહેર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
Embed widget