ઇંગ્લેન્ડ 5 મેચની સિરીઝમાં 0-2 થી આગળ છે. જો ભારત ચોથી મેચ હારશે તો સિરીઝ ગુમાવશે, તેથી આ મેચ 'કરો યા મરો' સમાન બની ગઈ છે.
ચોથી T20માં સંજુ સેમસનની થશે વાપસી? જાણો કોણ થશે બહાર અને કોને મળશે ટીમમાં તક
India vs England 4th T20: શ્રેણી બચાવવા ટીમ ઇન્ડિયા માટે 'કરો યા મરો'નો જંગ, મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીનું પણ કપાઈ શકે છે પત્તું.

- ઇંગ્લેન્ડ સામે T20 શ્રેણીમાં ભારત 0-2 થી પાછળ છે.
- ચોથી T20
- વૈભવ સૂર્યવંશીની જગ્યાએ સંજુ સેમસન, બોલિંગમાં ફેરફાર સંભવ.
- વરુણ ચક્રવર્તીના સ્થાને સૂર્યાંશ/સુંદરને તક મળી શકે.
India vs England 4th T20: આયર્લેન્ડ સામેની હાર બાદ હવે ઇંગ્લેન્ડ સામેની 5 મેચની T20 સિરીઝમાં પણ ટીમ ઇન્ડિયા મુશ્કેલીમાં મુકાઈ છે. સિરીઝમાં 0-2 થી પાછળ ચાલી રહેલી ભારતીય ટીમ માટે આવતીકાલે, 9 જુલાઈના રોજ બ્રિસ્ટોલના કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે રમાનારી 4થી T20 મેચ 'કરો યા મરો' સમાન બની ગઈ છે. જો ટીમ ઇન્ડિયા આ મેચ હારશે તો સિરીઝ પણ હાથમાંથી જતી રહેશે. આ ખતરાને ટાળવા અને સિરીઝમાં જીવંત રહેવા માટે કેપ્ટન શ્રેયસ ઐયર પ્લેઇંગ 11 માં કેટલાક મોટા ફેરફારો કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પહેલી T20 મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી હતી. જે બાદ ઇંગ્લેન્ડે બીજી અને ત્રીજી મેચમાં સળંગ જીત મેળવીને સિરીઝમાં મોટી સરસાઈ મેળવી લીધી છે. શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ ભારતે હજુ સુધી એક પણ જીતનું ખાતું ખોલાવ્યું નથી. અગાઉ પહેલી મેચમાં ફ્લોપ રહ્યા બાદ વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસનની જગ્યાએ યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીને પ્લેઇંગ 11 માં તક આપવામાં આવી હતી. જોકે, વૈભવ પણ બંને મેચમાં સદંતર નિષ્ફળ રહ્યો છે. આ સ્થિતિમાં સંજુ સેમસનની પ્લેઇંગ 11 માં વાપસી લગભગ નક્કી માનવામાં આવી રહી છે, પરંતુ અંતિમ નિર્ણય ટોસ વખતે જ લેવાશે.
બીજી તરફ, બોલિંગ ડિપાર્ટમેન્ટમાં પણ મોટા ફેરફારની પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે. બેટિંગમાં ઊંડાણ લાવવાના હેતુથી મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીની જગ્યાએ ઓલરાઉન્ડર સૂર્યાંશ શેડગેને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. જો સૂર્યાંશ રમશે તો શિવમ દુબેએ બોલર તરીકે પોતાની 4 ઓવરનો ક્વોટા પૂરો કરવો પડશે. આ ઉપરાંત, વરુણ ચક્રવર્તીની જગ્યાએ સ્પિન ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને પણ મેદાનમાં ઉતારવાનો શ્રેષ્ઠ વિકલ્પ ટીમ મેનેજમેન્ટ પાસે છે. સુંદર એક શાનદાર સ્પિનર હોવાની સાથે સાથે નીચેના ક્રમમાં ઉપયોગી બેટિંગ પણ કરી શકે છે. જો છેલ્લી ઘડીએ કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત ન થાય, તો આ સિવાય અન્ય કોઈ ફેરફારની આશા ઓછી છે.
આ પણ વાંચોઃ ઇંગ્લેન્ડ સામે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી સતત 2 મેચમાં ફ્લોપ: શું પ્લેઇંગ 11 માંથી થશે આઉટ?
4થી T20 માટે ભારતની સંભવિત પ્લેઈંગ 11:
અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી/સંજુ સેમસન, ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, સૂર્યાંશ શેડગે/વોશિંગ્ટન સુંદર/વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ.
આ પણ વાંચોઃ એશિયા કપ 2027નું શેડ્યૂલ જાહેર: 18 જૂનથી થશે શરૂઆત, આ વખતે T20 ફોર્મેટમાં નહીં રમાય મેચ
Frequently Asked Questions
ભારત-ઇંગ્લેન્ડ T20 સિરીઝમાં ભારતની વર્તમાન સ્થિતિ શું છે અને ચોથી T20 શા માટે મહત્વની છે?
ચોથી T20 માટે ભારતીય ટીમમાં કયા સંભવિત ફેરફારો જોવા મળી શકે છે?
સંજુ સેમસન વૈભવ સૂર્યવંશીની જગ્યાએ પાછા આવી શકે છે. બોલિંગમાં, વરુણ ચક્રવર્તીની જગ્યાએ સૂર્યાંશ શેડગે અથવા વોશિંગ્ટન સુંદરને તક મળી શકે છે.
કેપ્ટન શ્રેયસ ઐયરની આગેવાની હેઠળ ભારતે અત્યાર સુધીમાં કેટલી મેચ જીતી છે?
શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ ભારતે હજુ સુધી એક પણ જીતનું ખાતું ખોલાવ્યું નથી. પહેલી મેચ વરસાદને કારણે રદ થઈ હતી અને બાકીની બે મેચમાં હાર મળી છે.



















