![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
IND vs ENG 4th Test: ચોથી ટેસ્ટમાં આ 11 ખેલાડી સાથે મેદાનમાં ઉતરી શકે છે કોહલી, જાણો કોનું કોનું કપાશે પત્તું
India vs England 4th Test: બેટિંગમાં આઉટ ઓફ ફોર્મ રહેલા રિષભ પંતને આરામ આપીને તેના સ્થાને વધુ એક બેટ્સમેનને ટીમમાં સમાવવામાં આવી શકે છે. જો આમ થશે તો પૃથ્વી શૉ કે સૂર્યકુમાર યાદવને તક મળી શકે છે.
![IND vs ENG 4th Test: ચોથી ટેસ્ટમાં આ 11 ખેલાડી સાથે મેદાનમાં ઉતરી શકે છે કોહલી, જાણો કોનું કોનું કપાશે પત્તું India vs England 4th Test: probable playing xi for 4th test of team india IND vs ENG 4th Test: ચોથી ટેસ્ટમાં આ 11 ખેલાડી સાથે મેદાનમાં ઉતરી શકે છે કોહલી, જાણો કોનું કોનું કપાશે પત્તું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/04/d5846720e37eb01c1ae26d7328ca9996_original.jpeg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
India vs England 4th Test: ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સીરિઝનો ચોથો મુકાબલો 2 સપ્ટેમ્બરથી રમાશે. લીડ્સ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને મળેલી જીત બાદ ઈંગ્લેન્ડનો કેપ્ટન જો રૂટ ભારતને હળવાશથી નથી લઈ રહ્યો. ત્રીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ધબડકા બાદ ભારત બીજી ઈનિંગમાં અંગ્રેજ ટીમને ટક્કર આપશે તેમ લાગતું હતું પરંતુ ચોથા દિવસે પ્રથમ સત્રમાં જ ભારતે 8 વિકેટ ગુમાવી દેતા કારમી હાર થઈ હતી.
ચોથી ટેસ્ટમાંથી કોનું કપાઈ શકે છે પત્તું
ત્રીજી ટેસ્ટમાં હાર બાદ જ ભારતીય ટીમમાં બદલાવની ચર્ચા શરૂ થઈ હતી. ટીમ ઈન્ડિયામાંથી રવિન્દ્ર જાડેજા, વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણે, ફાસ્ટ બોલર ઈશાંત શર્માની ચોથી ટેસ્ટમાંથી બાદબાકી થઈ શકે છે. તેમના સ્થાને હનુમા વિહારી, રવિચંદ્રન અશ્વિન અને શાર્દુલ ઠાકુરને ટીમમાં સ્થાન મળી શકે છે. આ ઉપરાંત એક ચર્ચા એવી પણ છે કે બેટિંગમાં આઉટ ઓફ ફોર્મ રહેલા રિષભ પંતને આરામ આપીને તેના સ્થાને વધુ એક બેટ્સમેનને પ્લેઇંગ ઇલેવનમાં સમાવવામાં આવી શકે છે. જો આમ થશે તો પૃથ્વી શૉ કે સૂર્યકુમાર યાદવને તક મળી શકે છે.
કેટલા વાગે શરૂ થશે મેચ
ભારતીય સમય મુજબ બપોરે 3.30 કલાકે મેચ શરૂ થશે. બપોરે 3 કલાકે ટોસ ઉછાળવામાં આવશે.
કઈ ચેનલ પરથી થશે લાઇવ ટેલિકાસ્ટ
સોની નેટવર્કની ચેનલ પરથી મેચનું લાઇવ ટેલિકાસ્ટ થશે. જ્યારે જિયો ટીવી પરથી લાઇવ સ્ટ્રિમિંગ નીહાળી શકાશે.
કેવી હોઈ શકે છે પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા, લોકેશ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હનુમા વિહારી, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ
India Corona Update: દેશમાં એક દિવસ બાદ ફરીથી નોંધાયા 40 હજારથી વધુ કેસ, જાણો આજનો લેટેસ્ટ આંકડો
ગુજરાતમાં કોરોનાથી કેટલા લોકોના થયા છે મોત ? જાણો કોંગ્રેેસે શું કર્યો દાવો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)