શોધખોળ કરો

IND Vs ENG: રોહિત શર્મા ઈતિહાસ રચવાથી 22 રન દૂર, ઓવલમાં આ ખાસ સિદ્ધિ મેળવવાની તક

રોહિત શર્માએ અત્યાર સુધીમાં 227 વનડેમાં 49 ની સરેરાશથી 9205 રન બનાવ્યા છે.

IND Vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ આજથી ધ ઓવલ ખાતે શરૂ થવા જઈ રહી છે. ભારતના સ્ટાર ઓપનર રોહિત શર્મા પાસે આ ટેસ્ટમાં ઈતિહાસ રચવાની તક છે. રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 15000 રન પૂરા કરવાથી માત્ર 22 રન દૂર છે. રોહિત શર્માના શાનદાર ફોર્મને જોતા એવું કહી શકાય કે તે ઓવલ ટેસ્ટમાં 22 રન બનાવીને ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 15,000 રન બનાવનાર 8મો બેટ્સમેન બનશે.

રોહિત શર્માએ વર્ષ 2007માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. જોકે, રોહિત શર્માને તેની કારકિર્દીના શરૂઆતના વર્ષોમાં કોઈ સફળતા મળી ન હતી. પરંતુ 2013માં ઓપનર બન્યા બાદ રોહિત શર્માએ ક્યારેય પાછું વળીને જોયું નથી. રોહિત શર્માની ગણતરી વર્તમાન સમયના પાંચ શ્રેષ્ઠ બેટ્સમેનોમાં થાય છે.

રોહિત શર્મા હાલમાં વનડે ક્રિકેટમાં વિરાટ કોહલી બાદ શ્રેષ્ઠ બેટ્સમેન છે. રોહિત શર્માએ અત્યાર સુધીમાં 227 વનડેમાં 49 ની સરેરાશથી 9205 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં રોહિત શર્માએ 42 મેચમાં 46ની સરેરાશથી 2909 રન બનાવ્યા છે. રોહિત શર્માએ 111 ટી 20 મેચમાં 2864 રન બનાવ્યા છે.

ટેસ્ટમાં પણ ઉત્તમ પ્રદર્શન

રોહિત શર્માને 2019 માં ટેસ્ટ મેચમાં ઓપનિંગની જવાબદારી આપવામાં આવી હતી. રોહિત શર્માએ ટીમ મેનેજમેન્ટના નિર્ણયને સાચો સાબિત કર્યો. રોહિત શર્મા હાલમાં ટેસ્ટ ક્રિકેટમાં વિશ્વનો નંબર વન ઓપનર છે. તાજેતરમાં, રોહિત શર્મા ટેસ્ટ રેન્કિંગમાં ટોચના પાંચ બેટ્સમેનોમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે.

રોહિત શર્મા હાલમાં ટેસ્ટ રેન્કિંગમાં વિરાટ કોહલીથી ઉપર છે. ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર રોહિત શર્મા બીજા ક્રમે છે.

IND vs ENG 4th Test: હેડિંગ્લેમાં મળેલી આંચકાજનક હાર બાદ ભારત આજથી શરૂ થઈ રહેલી ઈંગ્લેન્ડ સામેની ચોથી ઓવલ ટેસ્ટમાં વળતો પ્રહાર કરતાં વિજય મેળવવાના મક્કમ ઈરાદા સાથે ઉતરશે. કેપ્ટન કોહલીની આગેવાની હેઠળના ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ સફળતા મેળવવા માટે વધુ જવાબદારી સાથે પ્રભાવશાળી દેખાવ કરવો પડશે. ભારતીય ટીમમાં બે પરિવર્તન કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget