![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
IND vs ENG Semifinal: ભારત-ઈંગ્લેન્ડની મેચ માટે રિઝર્વ ડે ન રાખવામાં આવ્યો, જાણો તેનું કારણ
T20 World Cup 2024: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સેમીફાઈનલ મેચ માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. જો આ મેચ વરસાદને કારણે રોકાશે તો ચોક્કસ પણે વધારાનો સમય મળશે.
![IND vs ENG Semifinal: ભારત-ઈંગ્લેન્ડની મેચ માટે રિઝર્વ ડે ન રાખવામાં આવ્યો, જાણો તેનું કારણ india vs england semi final reserve day rules guyana t20 world cup 2024 rohit sharma read article in Gujarati IND vs ENG Semifinal: ભારત-ઈંગ્લેન્ડની મેચ માટે રિઝર્વ ડે ન રાખવામાં આવ્યો, જાણો તેનું કારણ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/26/fd23d57b7b1027950070ae6327ff181f17193929752141050_original.avif?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
T20 World Cup 2024 IND vs ENG: ટી-20 વર્લ્ડ કપ 2024ની બીજી સેમિફાઇનલ મેચમાં ભારત અને ઇંગ્લેન્ડની ટીમો એકબીજા સામે મેદાનમાં ઉતરશે. જ્યારે પ્રથમ સેમિફાઇનલ મેચ દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે. આ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. પરંતુ બીજી સેમિફાઇનલ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. જો આ મેચ વરસાદને કારણે રદ થશે તો ચાહકોને તેના પરિણામની રાહ જોવી પડી શકે છે.
T20 વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલ મેચ દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે. આ મેચ ત્રિનિદાદમાં રમાવવાની છે. જો આ મેચ દરમિયાન વરસાદ પડશે તો તેના માટે વધારાનો સમય મળશે. જો અતિશય વરસાદને કારણે મેચ ન રમી શકાય તો પણ રિઝર્વ ડે પર રમી શકાય છે. પરંતુ બીજી સેમિફાઇનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. કારણકે બીજી સેમિફાઇનલ અને ફાઇનલ વચ્ચે માત્ર એક દિવસનું જ અંતર છે માટે.
ભારત-ઈંગ્લેન્ડ મેચ માટે રિઝર્વ ડે કેમ ન રાખવામાં આવ્યો?
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ગુરુવારે ગુયાનામાં બીજી સેમીફાઈનલ મેચ રમાવાની છે. આ પછી શનિવારે ફાઇનલ મેચ રમાવાની છે. બીજી સેમિફાઇનલ અને ફાઇનલ વચ્ચે માત્ર એક દિવસનો સમય છે. આ કારણોસર બીજી સેમિફાઇનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. જો આ મેચ વરસાદના કારણે રદ્દ થશે તો ટીમ ઈન્ડિયા ફાઈનલમાં જશે. પોઈન્ટ ટેબલમાં ભારતીય ટીમ ટોપ પર છે.
ગયાનામાં વરસાદની શક્યતા કેટલી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ દરમિયાન વરસાદની સંભાવના છે. જો વધારે વરસાદ થશે તો મેચ રદ્દ થશે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા રમ્યા વિના જ ફાઈનલમાં પહોંચી શકે છે. આ T20 વર્લ્ડ કપમાં ભારતનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. ટીમ ઈન્ડિયા એક પણ મેચ હારી નથી. આથી જો ઈંગ્લેન્ડ મેચ રમે તો પણ તેમના માટે જીત આસાન નહીં હોય. કારણ કે આ વખતે ટીમ ઈન્ડિયાનું ખૂબ સારું પર્ફોમન્સ જોવા મડયું છે. જેથી જો મેચ રમાય તો પણ ઈંગ્લેન્ડ માટે જીતનો રસ્તો સરળ નહીં હોય. જો મેચ રદ્દ થાય તો ભારત માટે સારી વાત સાબિત થશે, કારણકે પોઈન્ટ ટેબલમાં સૌથી ઉપર હોવાના કારણે ભારત સીધું ફાઇનલમાં પહોંચી જશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)