શોધખોળ કરો

IND vs ENG: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ફટકો, આ ખેલાડી યો યો ટેસ્ટ પાસ ન કરી શકતાં ટીમમાંથી થયો બહાર

India vs England T20 Series Update: T20 સીરિઝ પહેલા ભારત માટે માઠા સમાચાર આવી રહ્યા છે. મિસ્ટ્રી સ્પિનર સતત બીજી વખત ફિટનેસ ટેસ્ટ પાસ કરવામાં નિષ્ફળ રહ્યો છે.

અમદાવાદઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટી-20 સીરિઝ 12 માર્ચથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ટેસ્ટ શ્રેણીમાં મળેલા ભવ્ય વિજય બાદ ટીમ ઈન્ડિયા ટી-20 શ્રેણીમાં આત્મવિશ્વાસ સાથે ઉતરશે. પરંતુ ટી-20 અને તે બાદ શરૂ થનારી વન ડે સીરિઝ પહેલા ભારત માટે માઠા સમાચાર આવી રહ્યા છે. મિસ્ટ્રી સ્પિનર સતત બીજી વખત ફિટનેસ ટેસ્ટ પાસ કરવામાં નિષ્ફળ રહ્યો છે.

વરૂણ ચક્રવર્તી યો યો ટેટ પાસ કરી શક્યો નથી. જેના કારણે તે ટીમમાંથી બહાર થશે. આ પહેલા ચક્રવર્તીને ઓસ્ટ્રેલિયા સામે ટી-20 સીરિઝમાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.પરંતુ ઈજાના કારણે બહાર થઈ ગયો હતો. તેના સ્થાને ટીમમાં રાહુલ ચાહર કે રાહુલ તિવેટીયાને સામેલ કરવામાં આવી શકે છે.

આ પહેલા આજે સવારે આવેલા અહેવાલ મુજબ, ટી નટરાજન હાલ બેંગ્લુરુ સ્થિતિ નેશનલ ક્રિકેટ એકેડમીમાં ઈજામાંથી મુક્ત થઈ રહ્યો છે અને તે રિહેબિલેટેશનમાંથી પસાર થઈ રહ્યો છે. તેની ઈજાના પ્રકાર અને ઠીક થવામાં કેટલો સમય લાગશે તેનો અંદાજ લગાવી શકાયો નથી. એનસીએ દ્વારા આ અંગે ટીમ મેનેજમેન્ટને માહિતાગાર કરી દેવામાં આવ્યા છે. જોકે બીસીસીઆઈ તરફથી આ અગે હજુ કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી,

આઈપીએલ 2020માં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમતા નટરાજને પોતાની બોલિંગથી સૌને પ્રભાવિત કર્યા હતા અને તેને યોર્કર કિંગનું બિરૂદ આપવામાં આવ્યુ હતું. તમિલનાડુના આ ફાસ્ટ બોલરે પોતાની બોલિગથી તમામને ઘણા પ્રભાવિત કર્યા હતા. જે બાદ તેની નેટ બોલર તરીકે ઓસ્ટ્રેલિયા પ્રવસામાં પસંદગી થઈ હતી. જોકે વરુણ ચક્રવર્તી બહાર થયા બાદ નટરાજનને ટી-20 ટીમમાં સામેલ કરાયો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget