શોધખોળ કરો

એશિયા કપ 2025: ‘ભારત-પાકિસ્તાન મેચ રદ થવી જોઈએ, ભારતથી મહત્ત્વનું કંઈ જ નથી...’

2025ના એશિયા કપના શેડ્યૂલની જાહેરાત પછી દેશમાં ઉગ્ર વિરોધ: શમીના કોચ બદરુદ્દીન સિદ્દીકીએ પાકિસ્તાન સાથે તમામ ક્રિકેટ સંબંધો તોડવાની અપીલ કરી, દેશની સુરક્ષાને સર્વોપરી ગણાવી.

India vs Pakistan match controversy: 2025ના એશિયા કપ માટે ભારત-પાકિસ્તાન મેચનું શેડ્યૂલ જાહેર થતાની સાથે જ દેશભરમાં તેનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. આ મામલે ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના કોચ બદરુદ્દીન સિદ્દીકીએ ભારત સરકાર પાસે પાકિસ્તાન સાથેની તમામ ક્રિકેટ મેચો રદ કરવાની માંગ કરી છે. તેમણે IANS સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "દેશથી વધુ મહત્વનું કંઈ નથી" અને પાકિસ્તાન દ્વારા ભારતમાં વાતાવરણ બગાડવાના પ્રયાસો બંધ ન થાય ત્યાં સુધી તેમની સાથે મેચો ન રમવી જોઈએ. આ નિવેદન પહલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલા અને તેના પછી ભારતીય ખેલાડીઓ દ્વારા પાકિસ્તાન સામે રમવાનો ઇનકાર કરવાના સંદર્ભમાં આવ્યું છે.

શમીના કોચની ભાવુક અપીલ

મોહમ્મદ શમીના કોચ બદરુદ્દીન સિદ્દીકીએ સમાચાર એજન્સી IANS સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "રમતમાં રાજકારણ ન આવવું જોઈએ, પરંતુ પાકિસ્તાને જે કર્યું છે તે જોતાં, હું ઈચ્છું છું કે આ મેચ ન રમાય. દેશથી વધુ મહત્વનું કંઈ નથી. આપણે એવા દેશ સાથે સંબંધો ન રાખવા જોઈએ જે આપણને આટલી મુશ્કેલી આપી રહ્યો છે."

તેમણે ભારત સરકારને સ્પષ્ટપણે અપીલ કરતા કહ્યું, "હું ભારત સરકાર પાસેથી માંગ કરવા માંગુ છું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી બધી મેચ રદ કરવામાં આવે. પાકિસ્તાન સાથે ત્યારે જ મેચ રમવી જોઈએ જ્યારે પાકિસ્તાન ભારતમાં વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરવાનું બંધ કરે."

એશિયા કપમાં ભારત-પાકિસ્તાન ટક્કર

2025 ના એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓછામાં ઓછી બે વાર ટક્કર થવાની શક્યતા છે. પ્રથમ લીગ સ્ટેજમાં સપ્ટેમ્બર 14 ના રોજ એક મેચ રમાશે, ત્યારબાદ જો બંને ટીમો સુપર-4 માં પહોંચે તો સપ્ટેમ્બર 21 ના રોજ ફરી ટકરાશે. જો બંને ટીમો ફાઇનલમાં પ્રવેશ કરે છે, તો એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કુલ 3 મેચો રમાઈ શકે છે.

પાકિસ્તાન સામે મેચ ન રમવાની માંગનું કારણ

પાકિસ્તાન સામે ક્રિકેટ મેચો ન રમવાની માંગણીના મૂળમાં તાજેતરના સમયમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદની ઘટનાઓ રહેલી છે. આ વર્ષે એપ્રિલ 22 ના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ નાગરિકો માર્યા ગયા હતા, જેની જવાબદારી 'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ' એ લીધી હતી. આ ઘટના પછી ભારતે 'ઓપરેશન સિંદૂર' દ્વારા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો.

આ હુમલા બાદથી જ પાકિસ્તાન સાથે કોઈ પણ પ્રકારના સંબંધો ન રાખવાની, ખાસ કરીને ક્રિકેટ મેચો ન રમવાની માંગણી જોર પકડી રહી છે. તાજેતરમાં, ભારત અને પાકિસ્તાની ટીમો વચ્ચેની વર્લ્ડ ચેમ્પિયન્સ ઓફ લિજેન્ડ્સ 2025 ની મેચ પણ રદ કરવામાં આવી હતી, કારણ કે ઘણા પ્રખ્યાત ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાન સામે રમવાનો સ્પષ્ટ ઇનકાર કરીને પોતાના નામ પાછા ખેંચી લીધા હતા. આ ઘટનાઓ દર્શાવે છે કે દેશભરમાં પાકિસ્તાન પ્રત્યેનો રોષ ક્રિકેટના મેદાન પર પણ અસર કરી રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ

વિડિઓઝ

Surat News: સુરતના લાલગેટ વિસ્તારમાં બિલ્ડિંગ પરથી પડતુ મુકીને રત્નકલાકારે કરી આત્મહત્યા
Sattvik Food Festival: અમદાવાદમાં સાત્વિક ફૂડ ફેસ્ટિવલનું આયોજન
Patan news: પાટણમાં માતા-પિતા માટે આંખો ઉઘાડતો કિસ્સો બન્યો
Pakistani President Zardari: ઓપરેશન સિંદૂરને લઈને પાકિસ્તાનના રાષ્ટ્રપતિનું કબૂલનામું
Gujarat Weather Update: 1 જાન્યુઆરીથી રાજ્યમાં વધશે ઠંડીનું જોર: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
મહાકાલમાં VIP દર્શન બંધ, જાણો, દેશના 6 મોટા મંદિરોમાં નવા વર્ષમાં કેવી રીતે કરશો દર્શન
મહાકાલમાં VIP દર્શન બંધ, જાણો, દેશના 6 મોટા મંદિરોમાં નવા વર્ષમાં કેવી રીતે કરશો દર્શન
Embed widget