શોધખોળ કરો

બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ

Devayat Khavad news: છેલ્લા ઘણા મહિનાઓથી ગુજરાતના સોશિયલ મીડિયા અને સાહિત્ય જગતમાં દેવાયત ખવડ અને સનાથલના ક્ષત્રિય પરિવાર વચ્ચેનો વિવાદ ચર્ચાના ચગડોળે ચડ્યો હતો.

Devayat Khavad news: ગુજરાતના લોકપ્રિય લોકસાહિત્યકાર દેવાયત ખવડ (Devayat Khavad) લાંબા સમયથી ચાલી રહેલા વિવાદને કારણે ચર્ચામાં હતા. જોકે, હવે આ પ્રકરણનો સુખદ અંત આવ્યો છે. સનાથલના ચૌહાણ પરિવાર અને દેવાયત ખવડ વચ્ચે ઔપચારિક રીતે સમાધાન (Compromise) થઈ ગયું છે. ભગવતસિંહ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની હાજરીમાં બંને પક્ષોએ એકબીજાનું મોઢું મીઠું કરાવીને જૂની અદાવત ભૂલાવી દીધી છે. જાણો, શું હતો સમગ્ર મામલો.

વિવાદનો અંત: મીઠાઈ સાથે જૂની કડવાશ ભૂલાવી

છેલ્લા ઘણા મહિનાઓથી ગુજરાતના સોશિયલ મીડિયા અને સાહિત્ય જગતમાં દેવાયત ખવડ અને સનાથલના ક્ષત્રિય પરિવાર વચ્ચેનો વિવાદ ચર્ચાના ચગડોળે ચડ્યો હતો. આખરે, બંને પક્ષો વચ્ચે સમાધાન થતાં રાહતના સમાચાર મળ્યા છે. તાજેતરમાં દેવાયત ખવડ અને ચૌહાણ પરિવારના સભ્યો એકસાથે જોવા મળ્યા હતા. ભગવતસિંહ ચૌહાણ અને ધ્રુવરાજસિંહ (Dhruvrajsinh Chauhan) ની ઉપસ્થિતિમાં, ખવડે સામે ચાલીને સંબંધો સુધાર્યા હતા. બંને પક્ષે એકબીજાને મીઠાઈ ખવડાવીને દુશ્મનાવટ પૂરી કરી હતી અને વિવાદનો શાંતિપૂર્ણ રીતે અંત આવ્યો હતો.

સનાથલ ડાયરાથી શરૂ થઈ હતી બબાલ

આ સમગ્ર વિવાદના મૂળમાં એક ડાયરાનો કાર્યક્રમ (Dayro Program) હતો. મળતી માહિતી મુજબ, અમદાવાદના સનાથલ ખાતે 20 February ના રોજ એક ડાયરો યોજાયો હતો, જેમાં દેવાયત ખવડ ગેરહાજર રહ્યા હતા. આ બાબતે ચૌહાણ પરિવાર અને ખવડ વચ્ચે મનદુઃખ થયું હતું અને બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો. જે બાદ કથિત રીતે ખવડની ગાડી પર હુમલો થયો હતો અને સામસામે પોલીસ ફરિયાદો પણ નોંધાઈ હતી.

ગીર સોમનાથમાં હુમલો અને કોર્ટ કચેરી

વિવાદ ત્યારે વકર્યો જ્યારે ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના તાલાલા તાલુકાના ચિત્રાવડ ગામે એક હિંસક ઘટના બની. ધ્રુવરાજસિંહ ચૌહાણ અને તેમના મિત્રો ત્યાં રોકાયા હતા ત્યારે સોશિયલ મીડિયા સ્ટેટસ પરથી રેકી કરીને તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. આરોપ હતો કે દેવાયત ખવડની ફોર્ચ્યુનર કારે ધ્રુવરાજસિંહની કિયા કારને ટક્કર મારી હતી અને ત્યારબાદ મારપીટ કરવામાં આવી હતી.

આ ઘટના બાદ દેવાયત ખવડ સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો હતો અને તેઓ જેલવાસ પણ ભોગવી આવ્યા હતા. સામા પક્ષે ભગવતસિંહે ખવડ સામે ₹8 Lakh ની છેતરપિંડી (Fraud) ની ફરિયાદ પણ નોંધાવી હતી.

5 મહિના બાદ સુખદ અંત

લગભગ 5 મહિના સુધી ચાલેલા સંઘર્ષ, કોર્ટ કેસ અને જેલવાસ બાદ હવે બંને પક્ષોએ સમજદારી દાખવી છે. "ઘીના ઠામમાં ઘી" પડી ગયું છે તેમ કહી શકાય. આ સમાધાનના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં બંને પક્ષો હળવાશભર્યા મૂડમાં જોવા મળી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
પાટણ નપાનું ભોપાળું: ખાનગી માલિકીના જમીન પર બનાવી દીધો રોડ, માલિકે ફેન્સિંગ લગાવી કર્યો બંધ
પાટણ નપાનું ભોપાળું: ખાનગી માલિકીના જમીન પર બનાવી દીધો રોડ, માલિકે ફેન્સિંગ લગાવી કર્યો બંધ
સતત 8 ટર્મમાં અજેય રહેલા ધારાસભ્ય યોગેશ પટેલના આજે અંતિમ સંસ્કાર, પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન
સતત 8 ટર્મમાં અજેય રહેલા ધારાસભ્ય યોગેશ પટેલના આજે અંતિમ સંસ્કાર, પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત ત્રણ સિસ્ટમ એક્ટિવ, આજે 16 જિલ્લામાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત ત્રણ સિસ્ટમ એક્ટિવ, આજે 16 જિલ્લામાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
Embed widget