![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
India World Cup Squad 2023: શું કેએલ રાહુલ સંપૂર્ણ રીતે ફિટ છે? ટીમમાં સ્થાન મળ્યા બાદ ફિટનેસ અપડેટ થયું જાહેર
ODI World Cup 2023: KL રાહુલનો વર્લ્ડ કપ 2023 માટે ટીમ ઈન્ડિયામાં સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ રાહુલની ફિટનેસને લઈને અપડેટ આપી છે.
![India World Cup Squad 2023: શું કેએલ રાહુલ સંપૂર્ણ રીતે ફિટ છે? ટીમમાં સ્થાન મળ્યા બાદ ફિટનેસ અપડેટ થયું જાહેર India World Cup Squad 2023: Is KL Rahul fully fit? Fitness update released after getting a place in the team India World Cup Squad 2023: શું કેએલ રાહુલ સંપૂર્ણ રીતે ફિટ છે? ટીમમાં સ્થાન મળ્યા બાદ ફિટનેસ અપડેટ થયું જાહેર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/05/9fb5ed7454056fd00c7213d5a706d72d169390393080975_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ODI World Cup 2023 KL Rahul: વર્લ્ડ કપ 2023 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. આમાં વિકેટ કીપર બેટ્સમેન કેએલ રાહુલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ઈજામાંથી સાજા થયા બાદ રાહુલ હજુ સુધી એક પણ મેચ રમ્યો નથી. જો કે તેમ છતાં તે ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો હતો. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ રાહુલની ફિટનેસને લઈને અપડેટ આપી છે. રોહિતે કહ્યું કે તે ફિટ છે. રાહુલે નેશનલ ક્રિકેટ એકેડમીમાં પુનરાગમન કરવા માટે ઘણી મહેનત કરી છે.
ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં રોહિતે કહ્યું કે કેએલ રાહુલ સંપૂર્ણ રીતે ફિટ છે અને તે રમશે. કેપ્ટન રોહિત અને પસંદગી સમિતિએ રાહુલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તે વિકેટકીપર બેટ્સમેન તરીકે ટીમનો ભાગ હશે. આ જ રોલ માટે ઈશાન કિશનને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઈશાને તાજેતરમાં પાકિસ્તાન સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું.
કેએલ રાહુલ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારથી તે મેદાનથી દૂર છે. સ્વસ્થ થયા બાદ રાહુલ બેંગ્લોર સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમી પહોંચ્યો હતો. અહીં તેણે પુનરાગમન માટે ઘણી મહેનત કરી. રાહુલને એશિયા કપ 2023 માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ તે પ્રથમ બે મેચ રમી શક્યો ન હતો. પરંતુ હવે એવી આશા રાખવામાં આવી રહી છે કે તે એશિયા કપમાં ભારત માટે આગામી મેચ રમશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 સપ્ટેમ્બરે મેચ રમાશે.
Here's the #TeamIndia squad for the ICC Men's Cricket World Cup 2023 🙌#CWC23 pic.twitter.com/EX7Njg2Tcv
— BCCI (@BCCI) September 5, 2023
જણાવી દઈએ કે કેએલ રાહુલે 54 વનડેમાં 1986 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 5 સદી અને 13 અડધી સદી ફટકારી છે. રાહુલે ટીમ ઈન્ડિયા માટે છેલ્લી વનડે માર્ચ 2023માં રમી હતી. ત્યારથી તે વનડે રમી શક્યો નથી.
વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. શ્રીલંકાના કેન્ડીમાં ભારતીય ટીમની હોટલમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. દરમિયાન મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે ટીમની જાહેરાત કરી હતી. કેએલ રાહુલની પસંદગી કરવામાં આવી છે. તેને એશિયા કપ માટે પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ પ્રથમ બે મેચમાં તે રમ્યો નહોતો. અત્યાર સુધી તે ઈજા બાદ એક પણ મેચ રમ્યો નથી. આવી સ્થિતિમાં તેણે મેચ માટે પોતાની ફિટનેસ સાબિત કરવી પડશે. એશિયા કપ માટે પસંદ કરાયેલા તિલક વર્મા અને પ્રસિદ્ધ કૃષ્ણાની પસંદગી કરવામાં આવી નથી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)