શોધખોળ કરો

IND Vs AUS: મેલબોર્ન ટેસ્ટના બીજા દિવસે હાથ પર કાળી પટ્ટી બાંધી કેમ ઉતરી ટીમ ઇન્ડિયા? જાણો કારણ

Former Indian PM Manmohan Singh Passed Away: રોહિત શર્મા, વિરાટ કોહલી સહિત તમામ ખેલાડીઓ હાથ પર કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતર્યા હતા

Former Indian PM Manmohan Singh Passed Away:  ઓસ્ટ્રેલિયા સામેની મેલબોર્ન ટેસ્ટના બીજા દિવસે ભારતીય ક્રિકેટ ટીમ હાથ પર કાળી પટ્ટી બાંધીને ઉતરી હતી. ભારતીય ટીમે ભૂતપૂર્વ ભારતીય વડા પ્રધાન ડૉક્ટર મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપી હતી. મનમોહન સિંહે લાંબી માંદગી પછી દિલ્હીમાં 26 ડિસેમ્બરની રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધન પર શ્રદ્ધાંજલિ આપવા માટે ટીમ ઈન્ડિયા કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરી હતી.

વાસ્તવમાં ભારતના પૂર્વ પીએમ મનમોહન સિંહ લાંબા સમયથી બીમાર હતા. 26 ડિસેમ્બર 2024ના રોજ તેમની તબિયત અચાનક બગડી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમને હૃદય સંબંધિત સમસ્યા હતી, જેના પછી તેમને હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ થોડા સમય પછી તેમના મૃત્યુના સમાચાર સામે આવ્યા હતા. પૂર્વ ભારતીય પીએમના નિધન બાદ સમગ્ર દેશ શોકમાં ગરકાવ છે.

આવી સ્થિતિમાં ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહની યાદમાં આજે મેલબોર્નમાં રમાઈ રહેલી ભારત-ઓસ્ટ્રેલિયાની ચોથી ટેસ્ટના બીજા દિવસે ભારતીય ક્રિકેટ ટીમ કાળી પટ્ટી બાંધીને રમી રહી છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

તસવીરમાં જોઈ શકાય છે કે ભારતીય કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી સહિત તમામ ખેલાડીઓ હાથ પર કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતર્યા હતા.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોક્સિંગ ડે ટેસ્ટના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કાંગારૂ ટીમે જોરદાર શરૂઆત કરી હતી. પહેલા દિવસની રમતના અંત સુધીમાં કાંગારૂ ટીમે 311 રન બનાવી લીધા હતા. આ દરમિયાન ટીમે 6 વિકેટ ગુમાવી હતી. પ્રથમ દિવસની રમત સુધી 4 બેટ્સમેનોએ અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. હવે બીજા દિવસે સ્ટીવ સ્મિથે સદી  ફટકારી હતી.                                 

IND vs AUS 4th Test: બોક્સિંગ ડે ટેસ્ટનો પ્રથમ દિવસ પૂરો,ઓસ્ટ્રેલીયાના 6 વિકેટે 311 રન, બુમરાહની 3 વિકેટ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય: ટેક્સ સિસ્ટમ સરળ બનાવવા નવા આવકવેરા બિલને મંજૂરી
કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય: ટેક્સ સિસ્ટમ સરળ બનાવવા નવા આવકવેરા બિલને મંજૂરી
મહારાષ્ટ્રમાં રાજકીય તોફાનના એંધાણઃ શિંદે જૂથને પડકાર ફેંકતા ઉદ્ધવ ઠાકરે કહ્યું – ‘મરદના ફાડીયા હોય તો.....’
મહારાષ્ટ્રમાં રાજકીય તોફાનના એંધાણઃ શિંદે જૂથને પડકાર ફેંકતા ઉદ્ધવ ઠાકરે કહ્યું – ‘મરદના ફાડીયા હોય તો.....’
પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
ચક્રવાતી તોફાન ફરી ઉથલો મારશે? વાવાઝોડું અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ચક્રવાતી તોફાન ફરી ઉથલો મારશે? વાવાઝોડું અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jeet Adani weds Diva Shah: લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહHun To Bolish : હું તો બોલીશ :  'ઠગી' ડ્રો યથાવત ?Hun To Bolish : હું તો બોલીશ : એક જ સમાજના આંદોલનકારી આરોપમુક્ત કેમ?Patidar case: પાટીદાર કેસ બાદ OBC અને આદિવાસી કેસ પણ પરત ખેંચો: અલ્પેશ ઠાકોર અને ચૈતર વસાવાની માંગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય: ટેક્સ સિસ્ટમ સરળ બનાવવા નવા આવકવેરા બિલને મંજૂરી
કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય: ટેક્સ સિસ્ટમ સરળ બનાવવા નવા આવકવેરા બિલને મંજૂરી
મહારાષ્ટ્રમાં રાજકીય તોફાનના એંધાણઃ શિંદે જૂથને પડકાર ફેંકતા ઉદ્ધવ ઠાકરે કહ્યું – ‘મરદના ફાડીયા હોય તો.....’
મહારાષ્ટ્રમાં રાજકીય તોફાનના એંધાણઃ શિંદે જૂથને પડકાર ફેંકતા ઉદ્ધવ ઠાકરે કહ્યું – ‘મરદના ફાડીયા હોય તો.....’
પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
ચક્રવાતી તોફાન ફરી ઉથલો મારશે? વાવાઝોડું અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ચક્રવાતી તોફાન ફરી ઉથલો મારશે? વાવાઝોડું અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહ, ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયામાં શેર કરી તસવીરો  
લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહ, ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયામાં શેર કરી તસવીરો  
પુત્રના લગ્ન પ્રસંગે ગૌતમ અદાણીનો સેવા કાર્યનો સંકલ્પ, 10,000 કરોડની માતબર સખાવતની જાહેરાત કરી 
પુત્રના લગ્ન પ્રસંગે ગૌતમ અદાણીનો સેવા કાર્યનો સંકલ્પ, 10,000 કરોડની માતબર સખાવતની જાહેરાત કરી 
પાટીદાર આંદોલન કેસ પરત ખેંચવા મુદ્દે સરકારની પ્રથમ પ્રતિક્રિયા: નિર્દોષોના નામ હતા એટલે કેસ……
પાટીદાર આંદોલન કેસ પરત ખેંચવા મુદ્દે સરકારની પ્રથમ પ્રતિક્રિયા: નિર્દોષોના નામ હતા એટલે કેસ……
શું પાટીદારો આંદોલનના કેસ પાછા ખેચવાની વાત હવાબાજી છે? ભાજપના પ્રવક્તા યગ્નેશ દવેએ કર્યો મોટો ખુલાસો
શું પાટીદારો આંદોલનના કેસ પાછા ખેચવાની વાત હવાબાજી છે? ભાજપના પ્રવક્તા યગ્નેશ દવેએ કર્યો મોટો ખુલાસો
Embed widget