શોધખોળ કરો

ટીમ ઈન્ડિયાના આ સભ્ય પર તૂટ્યો દુઃખનો પહાડ, માતાનું નિધન થતાં ચેમ્પિયન્સ ટ્રોફી છોડીને ભારત પરત ફર્યા

સેમિફાઇનલ પહેલા ટીમ મેનેજર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો, ચેમ્પિયન્સ ટ્રોફી અભિયાન અધવચ્ચે છોડ્યું.

R Devraj mother passed away: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતીય ટીમની સેમિફાઇનલ મેચ પહેલાં એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાના મહત્વના સભ્ય અને મેનેજર આર દેવરાજ પર માતૃ શોકનો પહાડ તૂટી પડ્યો છે. તેમની માતાના નિધનના કારણે તેઓ ચેમ્પિયન્સ ટ્રોફી અધવચ્ચે છોડીને ભારત પરત ફર્યા છે.

રોહિત શર્માની કપ્તાની હેઠળ ટીમ ઈન્ડિયા 4 માર્ચે દુબઈમાં સેમિફાઇનલ મેચ રમવાની છે, પરંતુ તે પહેલાં ટીમના મેનેજર આર દેવરાજને તાત્કાલિક ભારત પરત ફરવું પડ્યું છે. રવિવારે સવારે દેવરાજની માતા કમલેશ્વરી ગરુનું નિધન થયું હતું. આ દુઃખદ સમાચાર મળતાં જ દેવરાજ તુરંત જ હૈદરાબાદ જવા રવાના થઈ ગયા હતા. દેવરાજ હાલમાં હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA)ના સચિવ તરીકે પણ ફરજ બજાવે છે.

ક્રિકબઝના અહેવાલ મુજબ, ભારતીય ટીમના અધિકારીઓએ આ સમાચારની પુષ્ટિ કરી છે. ટીમ ઈન્ડિયા રવિવારે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે ચેમ્પિયન્સ ટ્રોફીની છેલ્લી લીગ મેચ રમી રહી હતી ત્યારે જ આ દુઃખદ સમાચાર આવ્યા હતા. હજી સુધી એ સ્પષ્ટ નથી થયું કે દેવરાજ તેમની મેનેજર તરીકેની ફરજો ફરીથી સંભાળશે કે નહીં, પરંતુ એવી શક્યતા છે કે મંગળવારના સેમિફાઇનલ મેચના પરિણામ બાદ આ અંગે નિર્ણય લેવામાં આવશે.

હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશને દેવરાજની માતાના નિધન પર શોક વ્યક્ત કરતું નિવેદન બહાર પાડ્યું છે. એસોસિએશને તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે, "અમે અત્યંત દુઃખ સાથે જણાવીએ છીએ કે અમારા સેક્રેટરી દેવરાજ ગરુના માતા કમલેશ્વરી ગરુનું નિધન થયું છે. અમે તેમના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરીએ છીએ. દેવરાજ ગરુ અને તેમના પરિવાર પ્રત્યે અમારી હૃદયપૂર્વકની સંવેદનાઓ છે."

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતની અત્યાર સુધીની સફર

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન અત્યાર સુધી શાનદાર રહ્યું છે. રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ટીમ સેમિફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે. ભારતે તેની પ્રથમ મેચમાં બાંગ્લાદેશને 6 વિકેટથી પરાજય આપ્યો હતો, જ્યારે બીજી મેચમાં યજમાન પાકિસ્તાનને પણ 6 વિકેટથી હરાવ્યું હતું.

આ પણ વાંચો....

ઝડપના રાજા, એવરેજના બાદશાહ: ODI માં સૌથી ઝડપી 8, 9, 10, 11, 12, 13 અને 14 હજાર રન, જાણો કોહલીના 10 'વિરાટ' વનડે રેકોર્ડ્સ

જીત વિના જ સાઉથ આફ્રિકાની સેમિફાઇનલમાં એન્ટ્રી, ઈંગ્લેન્ડના શરમજનક ધબડકાને કારણે અફઘાનિસ્તાન બહાર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Embed widget