શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
CSK vs KKR: કોલકાતા વિરૂદ્ધ જીત અપાવનાર જાડેજાએ કર્યો ખુલાસો, કહ્યું- અંતિમ બોલ પર.....
ચેન્નઇને એક સમયે છેલ્લા 12 બોલરમાં જીત માટે 29 રનની જરૂરત હતી.
![CSK vs KKR: કોલકાતા વિરૂદ્ધ જીત અપાવનાર જાડેજાએ કર્યો ખુલાસો, કહ્યું- અંતિમ બોલ પર..... ipl 2020 after winning against kolkata ravindra jadeja told what was his plan on the last ball CSK vs KKR: કોલકાતા વિરૂદ્ધ જીત અપાવનાર જાડેજાએ કર્યો ખુલાસો, કહ્યું- અંતિમ બોલ પર.....](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/30171551/jadeja.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
CSK vs KKR: આઈપીએલ 2020ના 49મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે કોલકાતા નાઇટ રાઈડર્સને છ વિકેટ હાર આપી હતી. ચેન્નઈ માટે છેલ્લે રવિન્દ્ર જાડેજાએ 11 બોલરમાં અણનમ 31 રનની શાનદાર ઇનિંગ રમી. મેચ જીત્યા બાદ જાડેજાએ કહ્યું કે, તે નેટ્સ પર જે કરી રહ્યા હતા તે જ મેદાન પર પણ કર્યું.
મેચ બાદ જાડેજાએ કહ્યું, “હું નેટ્સમાં બોલને સારી રીતે હીટ કરી રહ્યો હતો અને ફરી એક વખત મેદાન પર જ એ કરવા માગતો હતો. છેલ્લા 12 બોલ પર તમારે વધારે વિચારવાનું ન હોય. બસ બોલ જુઓ અને મારો. મને મારી તાકાત પર પૂરો વિશ્વાસ હતો. હું જાણતો હતો કે જો તે બોલ મારા એરીયામાં ફેંકશે તો હું તેને છગ્ગો મારી શકીશ. તમે જ્યારે સારું રમો છો અને તમારી ટીમને જીત અપાવો છો તો તમો ખુશ થાવ છો.”
નોંધનીય છે કે, ચેન્નઇને એક સમયે છેલ્લા 12 બોલરમાં જીત માટે 29 રનની જરૂરત હતી. એવામાં જાડેજાએ લોની ફર્ગ્યૂસનની ઓવરમાં 19 રન બનાવીને દબાણ કોલકાતા ઉપર વાળી દીધો. જાડેજાએ પોતાની ઇનિંગમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા.
જાડેજા ઉપરાંત રુતુરાજ ગાયકવાડની પણ ચેન્નઈની જીતમાં મહત્ત્વનો ફાળો રહ્યો. ગાયકવાડે 53 બોલરમાં 72 રનની શાનદાર ઇનિંગ રમી. આ દરમિયાન તેણે છ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)