શોધખોળ કરો

T20 World Cup માંથી હજુ બહાર નથી થયો જસપ્રીત બુમરાહ, BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આપ્યું મોટું નિવેદન

T20 World Cup: ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાનો નંબર વન ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ હજુ ટી20 વર્લ્ડ કપમાંથી બહાર નથી થયો.

T20 World Cup: ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાનો નંબર વન ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ હજુ ટી20 વર્લ્ડ કપમાંથી બહાર નથી થયો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે, વર્લ્ડ કપ શરૂ થવામાં હજુ સમય બાકી છે, તેથી બુમરાહના રમવાની આશા રાખી શકાય.

સૌરવ ગાંગુલીએ એક ન્યૂઝ વેબસાઈટ સાથે વાત કરતા કહ્યું કે જસપ્રીત બુમરાહ વર્લ્ડ કપમાંથી બહાર નથી થયો અને તેના વિશે કંઈપણ કહેવું વહેલું છે. BCCI પ્રમુખે કહ્યું, જસપ્રીત બુમરાહ ટી20 વર્લ્ડ કપમાંથી બહાર નથી થયો. વર્લ્ડ કપ શરૂ થવાને હજી થોડો સમય છે. આપણે રાહ જોવી જોઈએ અને ઉતાવળમાં કંઈપણ ન બોલવું જોઈએ.

આ પહેલા એવા અહેવાલ હતા કે જસપ્રીત બુમરાહ પીઠના દુખાવાની સમસ્યાને કારણે ટી20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. વાસ્તવમાં જસપ્રીત બુમરાહ કમરના દુખાવાની સમસ્યાને કારણે એશિયા કપનો ભાગ પણ બની શક્યો ન હતો. પરંતુ ઓસ્ટ્રેલિયા સામેની ટી20 સીરીઝ માટે જસપ્રીત બુમરાહને ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો.

 ટી-20 સીરિઝમાં ઇજાગ્રસ્ત બુમરાહના સ્થાને આ ફાસ્ટ બોલરનો સમાવેશ

 ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈજાના કારણે સાઉથ આફ્રિકા સામેની સીરિઝમાંથી બહાર થઇ ગયો છે. જસપ્રીત બુમરાહના સ્થાન પર મોહમ્મદ સિરાજને ટીમમાં સામેલ કરાયો છે. બીસીસીઆઇએ ટ્વિટ કરી આ જાણકારી આપી હતી. 

યુવા બોલર સિરાજે ભારત માટે ઘણા પ્રસંગોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેને ટી20 વર્લ્ડ કપ 2022 માટે પણ તક મળી શકે છે. BCCIએ ટ્વિટર દ્વારા સિરાજને ટીમમાં સામેલ કરવાની જાણકારી આપી હતી. બુમરાહ ઈજાના કારણે બહાર જઈ રહ્યો હતો. તે નેશનલ ક્રિકેટ એકેડમીમાં ફિટનેસ પર કામ કરી રહ્યો હતો. આ પછી તેને ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ટી-20 સીરીઝ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો હતો. બુમરાહ બીજી અને ત્રીજી ટી20 મેચ રમ્યો હતો. પરંતુ તે પછી તેને પીઠની ઈજાને કારણે તકલીફ થવા લાગી. તે દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટી20 મેચમાં રમી શક્યો નહોતો.

હવે બુમરાહ સીરિઝમાંથી આઉટ થતાં સિરાજને તક આપવામાં આવી છે. મોહમ્મદ સિરાજે ટી20 ફોર્મેટમાં સારું પ્રદર્શન કર્યું છે. તે ઈન્ડિયન પ્રીમિયર લીગ મારફતે ચમક્યો હતો. આ પછી તેણે વર્ષ 2017 માં ન્યુઝીલેન્ડ સામે રમીને ટી20 આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું. સિરાજે અત્યાર સુધીમાં 5 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ દરમિયાન તેણે 5 વિકેટ ઝડપી છે. સિરાજે છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય મેચ ફેબ્રુઆરી 2022માં શ્રીલંકા સામે રમી હતી. તેણે 10 મેચમાં 13 વિકેટ લીધી છે.

આ પણ વાંચોઃ

'ગર્લફ્રેન્ડ સાથે ડેટ પર જવુ છે, પૈસા મોકલો', સ્ટાર ક્રિકેટરે તરત કરી ફેનની મદદ

T20 World Cup: શું બીસીસીઆઈની ઉતાવળના કારણે ટી20 વર્લ્ડ કપમાંથી બહાર થયો જસપ્રીત બુમરાહ?

IND vs SA: Arshdeep Singhએ રચ્યો ઇતિહાસ, આવુ કરનારો બન્યો પહેલો ભારતીય બૉલર

Jasprit Bumrah Ruled Out: સ્ટાર બોલર જસપ્રિત બુમરાહ નહી રમી શકે T20 World Cup, આ કારણે ટીમમાંથી થયો બહાર

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget