શોધખોળ કરો
Advertisement
ન્યૂઝીલેન્ડ કોરોના મુક્ત થતા ઓલરાઉન્ડર જેમ્સ નિશામે કર્યુ આ ખાસ ટ્વીટ, જુઓ શું લખ્યું......
ઝીલેન્ડના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યુ કે હાલમાં દેશમાં આ મહામારીનો એક પણ એક્ટિવ કેસ નથી. સ્વાસ્થ્ય વિભાગે મહાનિર્દેશક ડૉ. અશલે બલૂમફિલ્ડે પોતાના નિવેદનમાં કહ્યું કે છેલ્લા 17 દિવસથી આજ સુધી દેશમાં કોરોનાનો એકપણ કેસ સામે આવ્યો નથી
નવી દિલ્હીઃ સોમવારે ન્યૂઝીલેન્ડ કોરોના વાયરસથી પુરેપુરુ મુક્ત થઇ ગયુ છે. સ્વાસ્થ્ય વિભાગના મહાનિર્દેશકે જણાવ્યુ કે સોમવારે ન્યૂઝીલેન્ડમાં કોરોનાનો છેલ્લો દર્દી ઠીક થઇ ગયો છે, અને હવે અહીં કૉવિડ-19નો એક પણ એક્ટિવ કેસ નથી. આ બાદ ઓલરાઉન્ડર જેમ્સ નિશામે ટ્વીટ કરી લોકોને અભિનંદન પાઠવ્યા છે.
ન્યૂઝીલેન્ડના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યુ કે હાલમાં દેશમાં આ મહામારીનો એક પણ એક્ટિવ કેસ નથી. સ્વાસ્થ્ય વિભાગે મહાનિર્દેશક ડૉ. અશલે બલૂમફિલ્ડે પોતાના નિવેદનમાં કહ્યું કે છેલ્લા 17 દિવસથી આજ સુધી દેશમાં કોરોનાનો એકપણ કેસ સામે આવ્યો નથી. આ નિશ્ચિતપણે અમારા માટે સારી વાત છે. જોકે, આ કોરોના મહામારી સામે નિરંતર સતર્ક રહેવાની આવશ્યકતા છે, અને આગળ પણ વધુ સતર્ક રહેવાની જરૂર છે.
જેમ્સ નિશામે આપ્યા અભિનંદન.....
આ માહિતી બાદ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી જેમ્સ નિશામ ટ્વીટ કરતા લખ્યું- કોરોના વાયરસ ફ્રી ન્યૂઝીલેન્ડ... તમામને ધન્યવાદ... એકવાર ફરીથી મહાન કીવી વિશેષતાઓના કારણે- યોજના. દ્રઢ સંકલ્પ અને ટીમ વર્ક કામ કરે છે.
નોંધનીય છે કે ન્યૂઝીલેન્ડમાં કોરોના વાયરસે માત્ર 1500 લોકોને જ પોતાની ઝપેટમાં લીધા હતા. આમાંથી 22 લોકોના મોત થઇ ગયા હતા અને બાકીના ઠીક થઇને ઘરે પહોંચ્યા હતા. 28 ફેબ્રુઆરીએ અહીં કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો હતો.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion