શોધખોળ કરો

IPL 2025 વચ્ચે આવ્યા મોટા સમાચાર, રોહિત શર્માના નામ પર રાખવામાં આવ્યું આ સ્ટેડિયમના સ્ટેન્ડનું નામ

વાનખેડે સ્ટેડિયમના સ્ટેન્ડના નામ રોહિત શર્મા, અજિત વાડેકર અને શરદ પવારના નામ પર રાખવામાં આવ્યા છે

વાનખેડે સ્ટેડિયમના સ્ટેન્ડના નામ રોહિત શર્મા, અજિત વાડેકર અને શરદ પવારના નામ પર રાખવામાં આવ્યા છે. મુંબઈ ક્રિકેટ એસોસિએશનની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) એ મંગળવારે વાનખેડે સ્ટેડિયમના ત્રણ સ્ટેન્ડનું નામ બદલી નાખ્યું હતું. મુંબઈ ક્રિકેટ એસોસિએશને સ્ટેન્ડનું નામ વર્તમાન ટેસ્ટ અને વનડે કેપ્ટન રોહિત શર્મા, ભૂતપૂર્વ કેપ્ટન અજિત વાડેકર અને ભૂતપૂર્વ બીસીસીઆઈ પ્રમુખ શરદ પવારના નામ પર રાખ્યું છે.

કયા સ્ટેન્ડના નામ બદલવામાં આવ્યા?

દિવેચા પેવેલિયનના લેવલ-3 ને હવે "રોહિત શર્મા સ્ટેન્ડ" કહેવામાં આવશે. ગ્રાન્ડ સ્ટેન્ડનું લેવલ-3 "શરદ પવાર સ્ટેન્ડ" તરીકે ઓળખાશે. ગ્રાન્ડ સ્ટેન્ડનું લેવલ-4 "અજિત વાડેકર સ્ટેન્ડ" તરીકે ઓળખાશે. નોંધનીય છે કે આ ત્રણેય દિગ્ગજોએ મુંબઈ ક્રિકેટને આગળ વધારવામાં મોટું યોગદાન આપ્યું છે. રોહિત શર્મા ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન કેપ્ટન છે અને મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વખત આઈપીએલ જીત અપાવનાર કેપ્ટન છે. રોહિતે પોતાની કારકિર્દીની શરૂઆત વાનખેડેથી કરી હતી.

અજિત વાડેકર એવા કેપ્ટન હતા જેમણે 1971માં વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડમાં ભારતને પહેલી વાર ટેસ્ટ શ્રેણી જીત અપાવી હતી અને 37 ટેસ્ટ મેચ રમી હતી. શરદ પવાર ભૂતપૂર્વ BCCI પ્રમુખ અને ICC ચેરમેન રહી ચૂક્યા છે. તેમના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટે નવી ઊંચાઈઓ સ્પર્શી હતી. MCA ના પ્રમુખ અજિંક્ય નાઈકે નિર્ણય બાદ કહ્યું હતું કે, "આ નિર્ણયો મુંબઈ ક્રિકેટના સ્તંભો પ્રત્યેના અમારા આદર અને ભવિષ્યમાં વધુ મજબૂતાઈ સાથે આગળ વધવાની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે."

વાનખેડેનું ઐતિહાસિક મહત્વ

વાનખેડે સ્ટેડિયમ ભારતીય ક્રિકેટના સૌથી પ્રતિષ્ઠિત મેદાનોમાંનું એક છે, જ્યાં 2011ના વર્લ્ડ કપ ફાઇનલ જેવી ઐતિહાસિક મેચ રમાઇ છે. હવે અહીં સ્ટેન્ડનું નામકરણ કરવાનો પ્રયાસ એ ક્રિકેટ જગતના આ મહાન હસ્તીઓના યોગદાનને હંમેશા યાદ રાખવાનો છે.                                                       

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BCCI નું કડક વલણઃ IPL 2026 માટે ખેલાડીઓ અને પરિવારો માટે બનાવ્યા નવા નિયમો
BCCI નું કડક વલણઃ IPL 2026 માટે ખેલાડીઓ અને પરિવારો માટે બનાવ્યા નવા નિયમો
T20I series: સાઉથ આફ્રિકા સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત, અનુષ્કા શર્માની સરપ્રાઈઝ એન્ટ્રી
T20I series: સાઉથ આફ્રિકા સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત, અનુષ્કા શર્માની સરપ્રાઈઝ એન્ટ્રી
IPL 2026 માં બદલશે દિલ્હી કેપિટલ્સની પ્લેઈંગ ઈલેવન, કેએલ રાહુલને મળી મોટી જવાબદારી, કોચે આપ્યું અપડેટ 
IPL 2026 માં બદલશે દિલ્હી કેપિટલ્સની પ્લેઈંગ ઈલેવન, કેએલ રાહુલને મળી મોટી જવાબદારી, કોચે આપ્યું અપડેટ 
ODI ક્રિકેટ ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનારા ટોપ-10 ભારતીય બેટ્સમેન; રોહિત-યુવરાજ ટોપ-5મા નહીં
ODI ક્રિકેટ ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનારા ટોપ-10 ભારતીય બેટ્સમેન; રોહિત-યુવરાજ ટોપ-5મા નહીં

વિડિઓઝ

CM Bhupendra Patel : પેટ્રોલ-ડીઝલની અછતની અફવાથી દૂર રહેવા મુખ્યમંત્રીની અપીલ
Surat Fire Incident: કાપોદ્રામાં મુસાફરો ભરેલી ST બસ સળગી, તમામ 51 મુસાફરોનો આબાદ બચાવ
Ambalal Patel Predication : આંધી-વંટોળ સાથે આવશે વરસાદ , અંબાલાલની ચોંકાવનારી આગાહી
Donald Trump Big Statement : ટ્રમ્પ સાથે વાતચીતનો ઇરાને કર્યો ઇનકાર
Petrol-Diesel Shortage Rumor : પેટ્રોલ-ડીઝલની અછત માત્ર અફવા , DYCMની સ્પષ્ટતા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે રાજનાથ સિંહની હાઈ લેવલ મીટિંગ, ત્રણેય સેનાઓના પ્રમુખ રહ્યા હાજર 
મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે રાજનાથ સિંહની હાઈ લેવલ મીટિંગ, ત્રણેય સેનાઓના પ્રમુખ રહ્યા હાજર 
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
પેટ્રોલ-ડીઝલની અછતની અફવાથી દૂર રહેવા CMની અપીલ, કહ્યું- 'કોઈને પણ લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી'
પેટ્રોલ-ડીઝલની અછતની અફવાથી દૂર રહેવા CMની અપીલ, કહ્યું- 'કોઈને પણ લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી'
Congress: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસનો મોટો દાવ, જાહેર કર્યો OBC માટે ક્યૂઆર કૉડ
Congress: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસનો મોટો દાવ, જાહેર કર્યો OBC માટે ક્યૂઆર કૉડ
Train ticket refund rules: રેલવે ટિકિટના રિફંડના નિયમોમાં મોટો ફેરફાર, હવે આઠ કલાક પહેલા રદ કરવા પર નહીં મળે રૂપિયા
Train ticket refund rules: રેલવે ટિકિટના રિફંડના નિયમોમાં મોટો ફેરફાર, હવે આઠ કલાક પહેલા રદ કરવા પર નહીં મળે રૂપિયા
હિન્દુ, શીખ અને બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈ ધર્મનો સ્વીકાર કરનારને અનુસૂચિત જાતિનો દરજ્જો નહીં મળે: સુપ્રીમ કોર્ટ   
હિન્દુ, શીખ અને બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈ ધર્મનો સ્વીકાર કરનારને અનુસૂચિત જાતિનો દરજ્જો નહીં મળે: સુપ્રીમ કોર્ટ   
8th Pay Commission: રેલવે કર્મચારીઓ માટે મોટા સમાચાર ! સરકાર આપવા જઈ રહી છે રામ નવમીની ભેટ
8th Pay Commission: રેલવે કર્મચારીઓ માટે મોટા સમાચાર ! સરકાર આપવા જઈ રહી છે રામ નવમીની ભેટ
Surat News: સુરતના કાપોદ્રામાં એસટી બસમાં લાગી આગ, તમામ 51 મુસાફરોનો આબાદ બચાવ 
Surat News: સુરતના કાપોદ્રામાં એસટી બસમાં લાગી આગ, તમામ 51 મુસાફરોનો આબાદ બચાવ 
Embed widget