શોધખોળ કરો

India Captain: શુભમન ગિલની કેપ્ટનશિપ પર સવાલ, પહેલા અમિત મિશ્રાએ ઉઠાવ્યો વિવાદ; હવે શમીએ મહત્વનું નિવેદન આપ્યું છે

Mohammed Shami on Shubhman Gill Captaincy: શુભમન ગિલને કેપ્ટન અને હવે વાઈસ કેપ્ટન બનાવવા પર મોહમ્મદ શમીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે.

Mohammed Shami on Shubhman Gill Captaincy: શુભમન ગિલની કેપ્ટનશીપને લઈને ક્રિકેટ જગત બે જૂથમાં વહેંચાયેલું છે. થોડા દિવસો પહેલા અમિત મિશ્રાનું શુભમનને કેપ્ટનશિપ આપવા અંગેનું નિવેદન ચર્ચાનો વિષય બન્યું હતું. મિશ્રાએ એક કેપ્ટન તરીકે ગિલની ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા હતા. આ દરમિયાન, શુભમન ગિલને શ્રીલંકા પ્રવાસ માટે ભારતના વાઇસ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હવે ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ પણ ગિલની કેપ્ટનશિપ પર મોટું નિવેદન આપ્યું છે.

ઉપરથી શીખીને કોઈ આવતું નથી
તમને જણાવી દઈએ કે IPL 2024માં મોહમ્મદ શમી પણ શુભમન ગિલની કેપ્ટન્સીમાં ગુજરાત ટાઇટન્સ તરફથી રમ્યો હતો. શમીએ શુભમન ગિલની કેપ્ટનશીપ પર કહ્યું કે, "તેણે IPLમાં પણ કેપ્ટનશિપ કરી છે અને ઉપરથી કોઈ આ બધું શીખતું નથી. ગિલે આઈપીએલની સિઝનમાં સારી કેપ્ટનશિપ કરી હતી, પરંતુ જો ટીમના ખેલાડીઓ સારૂ પ્રદર્શન કરી શકતા નથી તો કેપ્ટનને દોષ આપી શકાય નહીં. તેને આઈપીએલ માં સારી કેપ્ટનશીપ કરી છે. 

શમીએ એમ પણ કહ્યું કે ટીમમાં ઘણા પ્રતિભાશાળી ખેલાડીઓ છે, પરંતુ સૌથી મહત્વની ભૂમિકા વિકેટકીપરની છે. શમીનું કહેવું છે કે વિકેટકીપર કેપ્ટને સૌથી વધુ સફળતા એટલા માટે હાંસલ કરી છે કારણ કે તેઓ મેદાન પર તમામ સ્થિતિ જોઈ શકે છે.

અમિત મિશ્રાના નિવેદનને લઈને કેમ થયો વિવાદ?
થોડા દિવસો પહેલા અમિત મિશ્રાએ એક વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું હતું કે જો તે ભારતીય ટીમની પસંદગી કરી રહ્યો હોત તો તે ક્યારેય શુભમન ગિલને કેપ્ટન ન બનાવત. મિશ્રાએ કહ્યું કે ગિલને કેપ્ટન્સીનો કોઈ ખ્યાલ નથી અને તેણે આઈપીએલમાં પણ નકામી કેપ્ટનશિપ કરી. આ મુદ્દે જ વિવાદ સર્જાયો હતો. કેટલાક લોકોએ તો એમ પણ કહ્યું કે મિશ્રા લાઈમલાઈટમાં આવવા માટે આ બધું કહી રહ્યા છે. મિશ્રાના આ નિવેદને ક્રિકેટ જગતમાં ઘણા વિવાદો ઊભા કર્યા છે. 

હવે આગામી ભારતની ટુર શ્રીલંકા સામે છે જેમાં ટી20 સીરિઝમાં સુર્યકુમાર યાદવને ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. અગાઉ 2023માં તેને ઓસ્ટ્રેલીયા અને દક્ષિણ આફ્રિકા સામે કેપ્ટનની જવાબદારી સંભાળી હતી. અને તેની કેપ્ટનશીપ દરમીયાન ભારતીય ટીમે સારું પ્રદર્શન આપ્યું હતું. હવે આગમી શ્રીલંકા સામે પણ સુર્યકુમાર ફરીવાર કેપ્ટનની જવાબદારી નિભાવશે અને શુભમન ગિલ વાઇસ કેપ્ટન તરીકેની જવાબડરી સંભાળશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Embed widget