શોધખોળ કરો

'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો

Shankaracharya Swami Avimukteshwaranand: સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે PM મોદી છેલ્લા 16 વર્ષથી દેશની સત્તા પર છે, તો શું કારણ છે કે ગૌ હત્યા પર રોક લગાવવામાં વિલંબ થઈ રહ્યો છે.

Shankaracharya Swami Avimukteshwaranand: ઉત્તરાખંડ સ્થિત જ્યોતિષ પીઠ (જ્યોતિર્મઠ)ના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી અવારનવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. મંગળવારે (17 સપ્ટેમ્બર) તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે મોટી વાત કહી છે. શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદીના જન્મદિવસ વિશે કહ્યું કે અંગ્રેજી તારીખથી જે કોઈ વ્યક્તિ પોતાનો જન્મદિવસ ઉજવે છે, અમે તેને હિન્દુ નથી માનતા, કારણ કે, હિન્દુઓના દેવી દેવતાઓની અંગ્રેજી તારીખથી જન્મતિથિ નથી બનાવવામાં આવતી.

ન્યૂઝ તકને આપેલા ઇન્ટરવ્યૂમાં (જ્યોતિર્મઠ)ના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું, 'અંગ્રેજોની તારીખથી જે કોઈ પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે, કાં તો તેમની માતા અંગ્રેજ હશે અથવા તો પિતા અંગ્રેજ હશે. એટલે અમે અંગ્રેજી તારીખથી ઉજવનારા લોકોને ન તો શુભેચ્છાઓ આપીએ છીએ અને ન તો કોઈ ચર્ચા કરીએ છીએ.’

PM મોદી ગૌ હત્યા પર કેમ નથી લગાવતા રોક?

ગૌ હત્યા પર શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું, 'અમારે ભારતના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક જ સવાલ પૂછવો છે, "તમે હિન્દુ છો..તમારી પાસે તાકાત છે અને તમે ગાદી પર બેઠા છો. તમે હિન્દુઓના મત લીધા છે. તમે ગાયના વાછરડાને વહાલ કરતા પણ દેખાઈ રહ્યા છો. છતાં શું કારણ છે કે PM ગૌ હત્યાને બંધ નથી કરાવતા. શું દબાણ છે તે જાહેર કરો. અથવા તો હિન્દુ હિન્દુ વાળા નાટક છોડો."

ગૌ હત્યા મામલે કેમ વિલંબ કરી રહી છે મોદી સરકાર?

સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે BJP છેલ્લા 16 વર્ષથી દેશની સત્તા પર છે, જેમાં પૂર્વ PM અટલ બિહારી વાજપેયીનો કાર્યકાળ પણ સામેલ છે. તો શું કારણ છે કે ગૌ હત્યા મામલે વિલંબ કરી રહ્યા છો. હું PM મોદીને પૂછવા માગું છું અને આનો જવાબ વડાપ્રધાને હિન્દુ જનતા સમક્ષ આપવો જોઈએ.

રાહુલ ગાંધીની જાતિ ગણતરીની માંગ પર શું બોલ્યા સ્વામી અવિમુક્તેશ્વરાનંદ?

ઇન્ટરવ્યૂ દરમિયાન રાહુલ ગાંધીની જાતિ ગણતરીની માંગ પર શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું, 'દેશમાં જાતિ ગણતરી થવી અને ન થવી બંને જ નકામી વાતો છે, પરંતુ, જાતિ ગણતરી થવી જોઈએ, પણ તેનું રાજકીયકરણ ન થવું જોઈએ.

આ પણ વાંચોઃ

પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?
BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
Embed widget