CSK માટે ખરાબ સમાચાર, IPL 2026 ની શરુઆત પહેલા જ ઘાયલ થયો MS ધોની, જાણો કેટલા દિવસ રહેશે મેદાનની બહાર?
MS Dhoni Injury: એમએસ ધોની ઈજાને કારણે આઈપીએલ 2026ની શરૂઆતની મેચો રમી શકશે નહીં. ચેન્નાઈ સુપર કિંગ્સે તેની ઈજા અંગે સત્તાવાર નિવેદન જારી કર્યું છે. સીએસકેનો પહેલો મેચ 30 માર્ચે આરઆર સામે છે.

MS Dhoni Injury: એમએસ ધોની આઈપીએલ 2026 ની શરૂઆતની મેચોમાંથી બહાર થઈ ગયો છે; તે ઓછામાં ઓછા બે અઠવાડિયા સુધી રમશે નહીં. ચેન્નાઈ સુપર કિંગ્સે આ માહિતીની પુષ્ટિ કરવા માટે એક સત્તાવાર નિવેદન જારી કર્યું. નિવેદનમાં જણાવાયું છે કે ધોની પિંડીના સ્નાયુઓના ખેંચાણ માટે રિહેબિલિટેશનમાંથી પસાર થઈ રહ્યો છે. સીએસકેની પહેલી મેચ સોમવાર, 30 માર્ચે રાજસ્થાન રોયલ્સ સામે છે.
Official Statement
— Chennai Super Kings (@ChennaiIPL) March 28, 2026
MS Dhoni is currently undergoing rehabilitation for a calf strain. As a result, he is likely to miss the first two weeks of TATA IPL 2026.
Get well soon, Thala! 💛🦁 pic.twitter.com/4dgmt5EWFi
ચેન્નાઈ સુપર કિંગ્સે પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, "એમએસ ધોની હાલમાં પિંડીના સ્નાયુઓમાં ખેંચાણ (Calf Strain) માટે રિહેબિલિટેશનમાંથી પસાર થઈ રહ્યો છે. આ કારણે તેના IPL 2026 ના શરૂઆતના બે અઠવાડિયા સુધી ન રમી શકવાની શક્યતા છે."
IPL 2026 ની કઈ મેચમાં ધોની રમી શકે છે?
ચેન્નાઈ સુપર કિંગ્સના નિવેદન અનુસાર એમએસ ધોની 2 અઠવાડિયા સુધી આઈપીએલમાંથી બહાર રહી શકે છે. આ બે અઠવાડિયામાં CSK ની 4 મેચો થશે. પ્રથમ મેચ 30 માર્ચે રાજસ્થાન રોયલ્સ સાથે છે. ગુવાહાટીમાં યોજાનારી આ મેચ બાદ ટીમ પોતાના ઘરઆંગણે પંજાબ કિંગ્સ સામે 3 એપ્રિલે રમશે. ત્યારબાદ 5 એપ્રિલે RCB સામે અને 11 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ સામે મેચ થશે. આ 4 મેચો આગામી 2 અઠવાડિયામાં યોજાવાની છે.
આ 4 મેચો બાદ ચેન્નાઈની આગામી મેચ 14 એપ્રિલે કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે છે. જો ધોનીની ઈજા અપેક્ષા મુજબ સમયસર ઠીક નહીં થાય તો તે આ મેચમાંથી પણ બહાર રહી શકે છે. તે 18 એપ્રિલે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચથી વાપસી કરી શકે છે. જોકે, આ ધોનીની ખેલાડી તરીકેની છેલ્લી આઈપીએલ આવૃત્તિ માનવામાં આવી રહી છે. 44 વર્ષીય ધોની પોતાની કેપ્ટન્સીમાં CSK ને 5 ખિતાબ જીતાડી ચૂક્યો છે અને ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી 6 વર્ષ પહેલા (2020) નિવૃત્ત થઈ ગયો છે.
સંજુ સેમસન કરી શકે છે વિકેટકીપિંગ
તમને જણાવી દઈએ કે એમએસ ધોની છેલ્લા કેટલાક વર્ષોથી ઘૂંટણની ઈજાથી પરેશાન રહ્યો છે. આ હોવા છતાં તે CSK માટે સતત રમી રહ્યો છે અને 2023 માં તેની કેપ્ટન્સીમાં ચેન્નાઈએ પાંચમો આઈપીએલ ખિતાબ જીત્યો હતો. હવે આ સીઝનમાં એમએસ ધોનીની ગેરહાજરીમાં સંજુ સેમસન વિકેટકીપિંગની ભૂમિકા ભજવતો જોવા મળી શકે છે. ચેન્નાઈનું પ્રદર્શન આઈપીએલ 2025 માં ખૂબ જ ખરાબ રહ્યું હતું. ગત સીઝનમાં તેમની ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી છેલ્લા સ્થાને હતી.



















